SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે પણ યથાવત્ ઉદ્ધત કર્યો છે. આના સિવાય ૮મી “ધે વીને’ આદિ કારિકાઓ બીજે પણ એક ઠેકાણે ૩ ૪' રુપે ઉદ્ધત કરી છે. શ્રી વિરસેનાચાર્યજીએ પોતાની પખંડાગમની જયધવલા ટકા શક. સં.૭૩૮ (વિ.સં. ૮૭૩)માં પૂર્ણ કરી છે એમાં પણ ભાષ્યની અંતિમ ૩૨ કારિકાઓ ઉદ્ધત કરવામાં આવી છે. શાકટાયન નામના યાપનીયોના અગ્રેસર આચાર્યશ્રીએ સ્ત્રીમુક્તિ કેવલિભુક્તિ પ્રકરણમાં ૨૭મી ભાષ્યકારિકા ઉદ્ધત કરી છે. ૨૨. જ્યાં સૂત્રકાર અને ભાષ્યકાર ભિન્ન હોય છે, ત્યાં સૂત્રપાઠોનું વિસંવાદિપણુ સિંદિગ્ધપણુ અર્થોની ખેંચતાણ વિગેરે દેખાય છે. દા.ત. જુઓ સર્વાર્થસિદ્ધિ આદિ દિગંબરીય ટીકા તેમજ બાદરાયણકૃત બ્રહ્મસૂત્ર (= શારીરિક સૂત્રોના વ્યાખ્યાગ્રંથો. સૂત્ર અને ભાષ્યની પર્યાય શબ્દો આપવાની એક સરખી શૈલી વિગેરે અનેક બાબતો ભાષ્યને સ્વોપજ્ઞ સાબિત કરવાના ઘણા મજબૂત પ્રમાણ છે. ૨૩. “પટ્ટાવલીમાં તત્ત્વાર્થસૂત્રના કર્તા તરીકે શ્રી શ્યામાચાર્યજીના ગુરુ આચાર્ય સ્વાતિજીની સંભાવના કરી છે અને ભાષ્ય પ્રશસ્તિમાં તત્ત્વાર્થસૂત્રના કર્તા ઉચ્ચનાગરી શાખાગત વાચકશ્રી ઉમાસ્વાતિજીને કહ્યાં છે. એથી સૂત્રકાર આચાર્ય સ્વાતિજી હશે અને ભાષ્યકાર વાચકશ્રી ઉમાસ્વાતિજી હશે.” - આ શંકા પણ હવે અસ્થાને છે કારણ કે હિમવદ થેરાવલીમાં અને શ્યામાચાર્યજીના શિષ્ય આચાર્ય શ્રી સ્વાતિજીએ (ઉર્ફ-ઉમાસ્વાતિજીએ) સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર રચ્યું એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તેમજ ૩૧મી કારિકામાં, પ્રશસ્તિનાં ૪થા શ્લોકમાં અને ભાષ્યમાં પણ વાચકશ્રી ઉમાસ્વાતિજીએ સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર રચ્યું છે એ વાતને સિદ્ધ કરવા ઘણા બધા પ્રમાણો રહેલા છે જે ઉપરોક્ત ૨૨ મુદ્દામાં શક્યતઃ રજૂ કર્યા છે.” એથી એ નિશ્ચિત થાય છે કે પટ્ટાવલી અને ભાષ્યપ્રશસ્તિએ બન્નેના મતે જે ભેદ છે તે નામાદિને લઈને છે. ભાષ્યની સ્વોપજ્ઞતાને લઈને નથી, ભાષ્ય અને સૂત્રના કર્તા તો બન્નેના મતે એક જ છે. ૨૪. દિગંબરો ભાષ્યને સ્વોપજ્ઞ નથી માનતાં કારણ કે તેમ માનતાં નિમ્ન નિર્દિષ્ટ આપત્તિઓ તેમના મતમાં આવે, અને એથી એમની સ્ત્રીમુક્તિ, કેવલિભુક્તિ, વસ્ત્રમુક્તિના નિષેધની જે મૂળભૂત માન્યતા છે તેનું જ ઉમૂલન થઈ જાય. . A. ૯/૧૧ સૂત્રમાં ૧૧ પરિષદો કેવલીભગવંત માટે જણાવ્યા છે. અને તેના અનુસાર ભાષ્યમાં જ વેદનીયકર્મના ઉદયથી થતા ૧૧ પરિષહોની અંતર્ગત સુધા અને પિપાસા પરિષહ દર્શાવ્યા છે. દિગંબો કેવલીભક્તિ (કેવળીને કવલાહાર) ન માનતાં હોવાથી એમને વિરોધ આવે. B. ૧૦૭ સૂત્રના ભાગ્યમાં સિદ્ધોને વિશે લિંગદ્વારમાં ત્રણે લિંગે સિદ્ધ થઈ શકે તેમ કહ્યું છે. દિગંબરો સ્ત્રીમુક્તિ (= સ્ત્રીલિંગે સિદ્ધ) માનતા ન હોવાથી એમાં વાંધો આવે છે. 1 c ૯ ૪૮ સત્રના ભાગમાં પલાકાદિ નિગ્રંથોને દ્રવ્યલિંગ (સાધવેષ-વસ્ત્રપાત્રાદિનો ઉલ્લેખ કર્યો છે. દિગંબરો સવસ્ત્રમુક્તિ નથી સ્વીકારતાં તેથી તેમને તે વાત અનિષ્ટ છે. D. ૧/૩૧ સૂત્રના ભાષ્યમાં કેવળીઓને વિશે અનુસમય (એક સમય જ્ઞાન અને એક સમય દર્શન) ઉપયોગની માન્યતા દર્શાવી છે. તેમાં પણ દિગંબરોને વિરોધ આવે છે. કેમ કે તેઓ એક સમયમાં યુગપદ્ (= એક જ સાથે) જ્ઞાનદર્શનનો ઉપયોગ માને છે. E. ૫/૩૮ સૂત્ર અનુસાર ભાષ્યમાં “કેટલાક કાળને વાસ્તવિક દ્રવ્યરૂપે માને છે” આવું કથન છે. આ કથન પણ દિગંબરોને સમ્મત નથી. કારણ કે તેઓ સ્વયં કાલને એકાંતે વાસ્તવિક છઠા દ્રવ્ય તરીકે માને છે. “બીજા કેટલાક માને છે' એમ નહીં, પણ, “સૂત્રકાર સ્વયં કાળને એકાંતે વાસ્તવિક દ્રવ્યતરીકે માને છે' એમ તેમનું કહેવું છે. . ૧. શાકટાયનનું સ્ત્રીનિર્વાણ-કેવળીભુક્તિ પ્રકરણ.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy