SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૦. અહીં જો કોઈ એમ કહે કે “આ પ્રશસ્તિમાં ભાગ્યકારના નામથ્રામાદિનું વર્ણન છે, પણ સૂત્રકારના નામથ્રામાદિનું નહિ' તો એ વાત પણ યુક્તિયુક્ત નથી કેમ કે પ્રશસ્તિના પાંચમા શ્લોકમાં સ્પષ્ટતયા તેમણે પોતે જ તત્ત્વાર્થ મહાશાસ્ત્ર રચ્યું તેમ લખે છે તેથી પ્રશસ્તિગત નામઝામાદિ માત્ર ભાષ્યકારના નહિ પણ સૂત્રકારના પણ છે. ૧૭. હવે જો કોઈ એમ કહે કે પ્રશસ્તિના શ્લોક સૂત્રકારના જ રચેલા છે, ભાષ્યકારના નહિ. તેથી પ્રશસ્તિ અંતર્ગત નામ-ગ્રામાદિ સૂત્રકારના છે, ભાષ્યકારના નહિં. અતઃ “ભાષ્ય સ્વપજ્ઞ નથી' તો આ વાત પણ યુક્તિસહ નથી કેમ કે પ્રશસ્તિગત શ્લોકો અગર સૂત્રકારના છે તો જેમ સૂત્ર ઉપર ભાષ્ય રચાયું તેમ પ્રશસ્તિગત શ્લોક ઉપર કેમ ભાષ્ય ન રચ્યું... રાજવાર્તિક આદિ ટીકાઓ જેમ સૂત્ર ઉપર રચાઈ છે તેમ સૂત્રકારકૃત પ્રશસ્તિ ઉપર કેમ ન રચાઈ. શ્વેતાંબરીય બધી ટીકા ભાષ્યાનુસારી છે તેથી ભાષ્યના અંગરૂપ પ્રશસ્તિની પણ ટીકા રચાઈ છે. વળી નામગ્રામાદિના જ્ઞાપક પ્રશસ્તિરૂપશ્લોક સૂત્રકારવડે રચાએલા આજસુધી નથી જોવાયા. તેથી સર્વમાન્યશાસ્ત્રપદ્ધતિને આશ્રયીને પ્રશસ્તિના શ્લોકો ભાષ્યકાર પ્રણીત જ સિદ્ધ થાય છે. ૧૮. સંબંધ કારિકાઓમાં ૨૧મી અને ૩૧મી કારિકામાં તથા ૫/૩૭ અને ૫/૪૦ સૂત્રના ભાષ્યમાં વનિ' “પ્રવામિ' તથા વસ્થામ: વિગેરે પ્રથમ પુરુષનો નિર્દેશ છે. આ નિર્દેશમાં કરેલી પ્રતિજ્ઞા અનુસાર આગળના સૂત્રોમાં તેનું વિધાન કરવામાં આવ્યું છે. આના ઉપરથી પણ સૂત્ર/ભાષ્યના કર્તા એક છે, એ સિદ્ધ થાય છે. ૧૯. પ્રારંભની સંબંધકારિકા, ૧૦/૭ સૂત્રની વિવરણાત્મક અંતિમ કારિકા અને પ્રશસ્તિ આ ત્રણે ભાષ્યના અંગ છે. અગર જો તે સૂત્રના અંગરૂપ હોય તો, જેમ સૂત્ર ઉપર ભાષ્ય રચ્યું, તેમ સૂત્રના અંગરૂપ એ ત્રણે ઉપર ભાષ્ય કેમ ન રચાયું? ૨૦. શ્વેતાંબરોએ ભાષ્યને સ્વોપજ્ઞ જ સ્વીકાર્યું છે. માટે અંતિમ કારિકાનો આઠમો શ્લોક ઉમાસ્વાતિવાચકશ્રીનો માનીને શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં ૯૯૩માં પદ્યરૂપે ઉદ્ધત કર્યો છે. તેવી જ રીતે સંબંધ કારિકાનો જ ર૯મો શ્લોક વાચકશ્રીકૃત છે. તેવું સ્વીકારીને શ્રીમુનિચંદ્રસૂરિજીએ ધર્મબિંદુગ્રંથની વૃત્તિમાં ઉદ્ધત કર્યો છે. ૨૧. દિગંબરો ભાષ્યને સ્વોપજ્ઞ નથી માનતાં, છતાં અમૃતચન્દ્રસૂરિકૃત તત્ત્વસારમાં ભાષ્યના અંગરૂપ ૩૨ શ્લોકની અંતિમકારિકાઓને સામાન્ય સંખ્યાક્રમ ભેદ કરીને સ્વીકારવામાં આવી છે. તત્ત્વાર્થસૂત્રની સુપ્રસિદ્ધ ટીકા-તત્ત્વાર્થવાર્તિકના કર્તા આચાર્ય અકલંકદેવજીએ પોતાની ટીકામાં ભાષ્યની અંતિમ ૩૨ કારિકાઓ પ ર કહીને ઉદ્ધત કરી છે, એટલું જ નહિ, એક કારિકા સાથેનો ભાષ્યનો ગદ્ય અંશ १. “भगवदाज्ञा चेयम्- श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।। (श्री हरिभद्रसूरिविरचितधर्मबिंदुप्रकरणस्य सू. ३/११ श्री मुनिचंद्रसूरिकृतटीकायाम् (पृ. ५३) । २. "ततो वेदनीयनामगोत्रायुष्यकक्षयात्कृत्स्नलबन्धननिर्मुक्तो निर्दग्धपूर्वोपात्तेन्धनो निरुपादान इवाग्निः पूर्वोपात्तभववियोगाद्धत्व भावाच्चेतरस्याप्रादुर्भावाच्छान्तः संसारसुखमतीत्यान्त्यान्तिकमैकान्तिकं निरुपम निरतिशयं नित्यं निर्वाणसुखमवाप्नोतीति । एवं તત્ત્વરિતાના રચત્મિનો પૃ...” -માથા “ततः शेषकर्मक्षयाद्भावबन्धनिर्मुक्तः निर्दग्धपूर्वोपादनेन्धनो निरुपादान इवाग्निः पूर्वोपात्तभववियोगाद्धत्वभावाच्चोत्तरस्याप्रादुर्भावात्सान्तसंसारसुखमतीत्य आत्यन्तिकमैकान्तिकं निरुपमं निरतिशयं निर्वाणसुखमवाप्नोतीति। तत्त्वार्थभावनाफलमेतत् । ૩rts a-gવં તત્ત્વરિજ્ઞાનારિયાત્મિનો મૃાં...” - રાનવર્તિદા (9. રૂદ્9)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy