SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૦ ભૂમિકા ૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર પૃ.૨૮ માં ૨૪માં મુદ્દામાં કહેલી છે.) શ્વેતામ્બર આચાર્યોએ તત્ત્વાર્થ સૂત્ર ઉપર જે કોઈ ટીકા-વિવરણ રચ્યાં છે તે બધાએ ભાષ્યના અનુસારે જ છે. તેથી ગંધહસ્તી મહાભાષ્યના કર્તા શ્વેતામ્બર હોવાથી એ બન્ને મહાભાષ્ય ભાષ્યાનુસારી જ હતાં એ સિદ્ધ થાય છે. ૩) સૂત્રાનુસારી ટીકા રચનાર સૂત્રગત પદ ઉપર જ વિવેચન કરે, તેવો નિયમ છે. સૂત્રગત પદોને છોડી સ્વતઃ કાંઈ ન્યૂનાધિક વિવેચન ન કરી શકે. જ્યારે સૂત્ર ઉપર ભાષ્ય રચનાર માટે એ નિયમ નથી. ભાષ્ય કર્તા તો સૂત્રગત પોથી અને સ્વ (ભાષ્ય) પદોથી પણ વિવક્ષા મુજબ યથાયોગ્ય ન્યૂન કે અધિક અર્થ વિવેચન કરી શકે છે. ટીકાકાર તો સૂત્રની પંક્તિએ પંક્તિએ ચાલે. સૂત્ર પંક્તિનું અર્થ કરી ચરિતાર્થ થઈ જાય છે. જ્યારે ભાષ્યકાર દરેક પંક્તિનો અર્થ કરે જ એવો નિયમ નથી, એમને સુગમ જણાતી પંક્તિના અર્થ ન પણ કરે અને ક્યાંક અતિ દુર્ગમ જણાતી પંક્તિના તાત્પર્યાર્થ સુધી પહોંચવા સ્વ(ભાષ્ય) પદોથી અધિક પણ અર્થવિવેચન કરી શકે છે. શાસ્ત્રમાં તો સૂત્રને અંધ સ્થાનીય કહ્યા છે. એક સૂત્રના અનેક અર્થો નીકળતાં હોય છે. ત્યાં જે અર્થ ૧. પૂર્વાપર સંગત હોય, ૨. આગમાનુસારી હોય, ૩. ગીતાર્થસંવિગ્ન પરંપરા અનુસારી હોય. તે જ અર્થ ગ્રાહ્ય બને. સૂત્રના આવા સાચા અર્થોનું જ્ઞાન, તેના તાત્પર્યાર્થો અને રહસ્યાર્થોનું જ્ઞાન તો એના ભાષ્ય ઉપરથી જ મળી શકે. તેથી ભાષ્ય ન હોય તો સૂત્રનાં સાચા અર્થો કયા ? તેની કાંઈ ગતાગમ ન પડે, બધા સ્વમતિથી એક જ સૂત્રના પરસ્પરવિરુદ્ધ અનેક અર્થો કરે રાખે. જેના કારણે કોઈ એકપણ અર્થ શ્રદ્ધેય ન બની શકે. તેથી સૂત્રના સાચા અર્થો સમજવા સૂત્ર ઉપર ભાષ્ય રચવાની પરંપરા પ્રાચીન કાલથી ચાલતી આવે છે. મોટાભાગે સૂત્રકાર પોતે જ સૂત્ર ઉપર ભાષ્ય રચતા હોય છે, જે સહુથી પ્રમાણિક ગણાય. કારણ કે પોતે જ સૂત્ર રચ્યું છે અને એનું ભાષ્ય પણ સ્વયં રચે છે એથી એમાં સ્વ(સૂત્રકાર)ના આશય વિરુદ્ધ કોઈ અર્થ થવાની શક્યતા જ નથી. આવા ભાષ્યને સ્વોપજ્ઞભાષ્ય કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રનું ભાષ્ય પણ સ્વોપજ્ઞ જ છે. ક્યારેક સૂત્ર ઉપર ભાષ્ય સૂત્રકાર પોતે ન લખી શક્યા હોય તો પશ્વાતુર્તિ સમર્થ આચાર્યો ઉપરોક્ત ત્રણ બાબતોને ધ્યાનમાં લઈ સૂત્ર ઉપર ભાષ્ય રચે. એ ભાષ્ય પણ એટલું જ પ્રમાણિક કહેવાય કે જેટલું સૂત્ર અને સ્વોપન્ન ભાષ્ય. એટલે ભાષ્ય સૂત્રનો જે અર્થ નક્કી કરે એ અર્થ જ પ્રમાણિક કહેવાય. માટે સર્વ ટ્રીકાકારો ભાષ્યાનુસારી ટીકાની રચના કરે છે. તેમજ જે માત્ર સૂત્રાનુસારી ટીકા ૨ચે છે તે ટીકા પણ જો ભાષ્ય અવિરુદ્ધ હોય તો જ પ્રમાણિક બની શકે. જો ભાષ્યથી વિરુદ્ધ સૂત્રનો અર્થ કરી નાંખે તો એ ટીકા પ્રમાણિક ન બને. આ નિયમ માત્ર જૈન દર્શનમાં છે તેવું નથી પણ સર્વ દર્શનોમાં આ જ નિયમ છે. પાણિની વ્યાકરણની જેટલી પણ ટીકાઓ છે તે દરેકમાં પતજલીના ભાષ્યથી વિરુદ્ધ એક પણ સૂત્રનો અર્થ કરેલો નથી. પતજલીના યોગસૂત્ર ઉપ૨ જે તત્ત્વવૈશારદી વગેરે ટીકાઓ છે તે પણ વ્યાસમુનિના ભાષ્યાનુસારી જ છે. તેથી દરેક ટીકાકારે સૂત્રના સાચા અર્થને સમજવા, તાત્પર્યાર્થ અને ઐદંપર્યાર્થ સુધી પહોંચવા ભાષ્યને અનુસરવું જ પડે. અને આ જ બલવાન હેતુથી બન્ને ગંધહસ્તી મહાભાષ્યો સ્વોપજ્ઞ ભાષ્યાનુસારી હશે એ કહેવામાં કોઈ બાધ નથી. જેમ વર્તમાન કાળે સ્વોપજ્ઞ ભાષ્ય ઉપર રચાયેલી સિદ્ધસેનીય ટીકા સહુથી મોટી હોવાથી મોટા ભાગના જૈન સમાજમાં ગંધહસ્તી મહાભાષ્ય તરીકે જ પ્રસિદ્ધિને પામેલી છે તેમ સ્વોપજ્ઞભાષ્ય ઉપર અતિવિસ્તારથી રચાયા હોવાથી આ બન્ને વિવરણો મહાભાષ્યના નામે પ્રસિદ્ધ થાય તેમાં. કોઈ આશ્ચર્ય નથી, સ્વભાવિક જ છે.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy