SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • પ. ‘છ' પુરુષોના કથનપૂર્વક ૨૧મી કારિકામાં ઉત્તમોત્તમ પુરુષ તરીકે શ્રી વીરપ્રભુને નમસ્કાર કરવા વડે મંગળ કરાયું છે. અને ૨૨મી કારિકામાં પ્રયોજનાદિ કહેવાયા છે. આ રીતે સૂત્રનું અનુબંધ ચતુષ્ટય વિવરણ ભાષ્યગત સંબંધ કારિકામાં સમાવી લીધું છે. ૬. ૨૩થી ૨૬ કારિકામાં સંગ્રહની અશક્યતાનું પ્રતિપાદન કર્યું છે. એનાથી પણ ભાષ્યકાર જ સૂત્રકાર છે, એ સિદ્ધ થાય છે. અન્યથા જો બીજા ભાષ્યકર્તા હોત તો તે સૂત્રકારના માહાત્મ્યનું પ્રદર્શન કરત. પણ સંગ્રહની અશક્યતાનું પ્રતિપાદન ન કરત. ૨૫ ૭. મહાવ્રતની ૫-૫ ભાવનાનાં પ્રતિપાદક (૭/૩) સૂત્રમાં અનુક્ત તે ભાવનાઓના નામનો નિર્દેશ ભાષ્યમાં કરવામાં આવ્યો છે. સિદ્ધિગતિના હેતુ-પ્રતિપાદક સૂત્રમાં અનુક્ત હેતુના દૃષ્ટાંતો ભાષ્યમાં સમાવી લેવાયા છે. ૮. શ્રી હરિભદ્રસૂરિજીમહારાજે, શ્રી વાદિદેવસૂરિજીમહારાજે, શ્રી હેમચંદ્રસૂરિજીમહારાજે પોતપોતાના ગ્રંથમાં જેમ વાચકશ્રીને તત્ત્વાર્થસૂત્રના કર્તા તરીકે દર્શાવ્યા છે, તેમ સ્યાદવાદમંજરી ગ્રંથમાં શ્રી મલ્લિસેનસૂરિજી મહારાજે તત્ત્વાર્થભાષ્યના કર્તા તરીકે વાચકશ્રીને દર્શાવ્યા છે. તથા દ્વાદશારનયચક્રની ટીકામાં શ્રી સિંહસૂરિ મહારાજે તત્ત્વાર્થભાષ્યને ઉદ્ધૃત કર્યું છે. વિશેષમાં હરિભદ્રસૂરિ મ.સા. તત્ત્વાર્થ (અ.૨ સૂ.૪૩) સૂત્રની ટીકામાં “ત્રિવન્ધનત્વાતુ સારસ્યેતિ સ્વામિપ્રાયમિધાય મતાન્તરમુવન્યસત્રાદòત્વિવિના” આવો ઉલ્લેખ કર્યો છે તે પણ ભાષ્ય સ્વોપન્ન છે, એ હકીકતનું સમર્થન કરે છે. સિદ્ધસેનગણિજીએ તત્ત્વાર્થસૂત્ર (અ.૯, સૂ.૨૨)ની ટીકા (પૂર્વમુદ્રિત પૃ.૨૫૩)માં સ્વતસૂત્રસન્નિવેશમાશ્રિત્યોત્તમ્ ” એમ જે કહ્યું છે તે આ ગણિવર્ય ભાષ્યને સ્વોપન્ન માને છે એ વાતનું ઘોતક છે. તેમજ ૧/૧૧ તત્ત્વાર્થસૂત્રની ટીકામાં “શાસ્તીતિ 7 પ્રચાર વ દ્વિધા ગ્રાત્માનું વિમખ્ય મૂત્રા(માવ્યારારેઔવમાદ-શાસ્તીતિ મૂત્રાર કૃતિ શે।” આ પદો દ્વારા સ્પષ્ટપણે સૂત્રકાર અને ભાષ્યકાર એક છે એમ કહ્યું છે. 66 ૯. ભાષ્ય સ્વોપન્ન છે. સ્વયં સૂત્રકાર વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજે રચ્યું છે. એ વાતમાં શ્વેતાંબરાચાર્યોને કોઈ વિવાદ નથી. એથી શ્વેતાંબરસંપ્રદાયમાં જેટલી પણ ટીકાઓ રચાઈ છે તે દરેક .ભાષ્યસહિતના સૂત્રો ઉપર જ રચાઈ છે. શ્રી સામંતભદ્રાચાર્યજી અને આચાર્યશ્રી ગંધહસ્તીજીનું ગંધહસ્તી મહાભાષ્ય પણ ભાષ્યાનુસા૨ી જ હતું. આવું માનવા પાછળ ત્રણ કારણ છે. ૧) ભાષ્યાનુસારી જે હારિભદ્રીયાદિ ટીકાઓ છે તેની સામ્યતા જેમ સિદ્ધસેનીય ટીકામાં જોવા મળે છે તેમ ગંધહસ્તી મહાભાષ્યના જે છૂટક ઉદ્ધરણો મળે છે તેની પણ ઘણા અંશે સામ્યતા સિદ્ધસેનીય ટીકામાં જોવા મળે છે. માત્ર સૂત્રાનુસારી સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિ જે દિગંબરીય ટીકાઓ છે તેમાં જેમ ભાષ્યાનુસારી હારિભદ્રીયાદિ ટીકાની જરા પણ સામ્યતા દેખાતી નથી તેમ ગંધહસ્તી મહાભાષ્યના ઉદ્ધરણોની પણ જરાય સામ્યતા દૃષ્ટિગોચર થતી નથી. ૨) બન્ને ગંધહસ્તી મહાભાષ્યના કર્તા શ્વેતાંમ્બર આચાર્ય હતા. દિગંબરોની જેમ શ્વેતાંબરોએ તત્ત્વાર્થસૂત્રનું સ્વોપજ્ઞભાષ્ય ફગાવ્યું નથી. (દિગંબરોએ શા કારણે સ્વોપજ્ઞ ભાષ્ય ફગાવી દીધું તે વાત १. “ लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः । ( तत्त्वार्थभाष्य १ / ३५ )
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy