________________
• ભૂમિકા •
તત્ત્વાર્થાધિગમસૂત્ર
તેથી વલ્લભી વાચનાના સંકલનમાં એમની માન્યતાઓનો કાંઈ મતભેદ થઈ ગયો હોય, એ સ્વભાવિક છે. પણ એનું તાત્પર્ય એ નથી કે શ્રી ઉમાસ્વાતિજીની સામે કોઈ જુદા આગમો હતા. વલ્લભી વાચનામાં આગમના સંકલન થતાં પૂર્વે અનેક ગણો, શાખાઓ અને કુલોના જૈન આચાર્યો પાસે સ્વગુરુ પરંપરાથી આવેલા આગમો હતાં. અને એમાં મૌખિક અધ્યયન-અધ્યાપનની પરંપરા, ૧૨ વર્ષીય દુકાલ, પાઠભેદો પુનરાવર્તનાદિ સ્વાધ્યાયના વિક્ષેપ આદિના લીધે જે મતભેદ અક્ષરભેદ સૂત્રભેદાદિ થઈ ગયા હતા તેઓનું જ વલ્લભી વાચનામાં સંકલન કરવામાં આવ્યું હતું. ત્રુટિત પાઠોની પૂર્તિ કરી, મતભેદ-પાઠભેદોનો સમન્વય કરી યોગ્ય જણાતાં બીજા પણ પાઠોને પાઠાંતર તરીકે યથાયોગ્ય સમાવેશ કરી મોટાભાગના આગમોનું સંકલન કરી લેવામાં આવ્યું હતું છતાં કેટલાક પાઠભેદ-મતભેદોનું સંકલન-સંશોધન નથી પણ થયું. એથી ૨-૪ સ્થળે આગમ-ભાષ્યનો મતભેદ જોઈ એ સિદ્ધ ન કરી શકાય કે વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્વેતામ્બર પરંપરાના ન હતા.
બીજી વાત એ કે મતભેદ માત્ર શ્વેતામ્બર પરંપરામાં જ છે એવું નથી. પરંતુ દિગંબર પરંપરા જેને પોતાના ગ્રંથો માને છે એમાં ય છે. દા.ત. કસાયપાહુડના ક્ષપણા અધિકારની ચૂલિકાની માન્યતા અને ષટ્ખંડાગમના સત્કર્મ પ્રાભૂતની માન્યતામાં પણ મતભેદ દેખાય છે. સ્વયં ધવલા ટીકાકારને આ કહેવું પડ્યું કે “બન્ને પ્રકારના વચનોમાંથી કોને સાચા માનવા, એ શ્રુત કેવળી કે કેવળી જાણે બીજા કોઈ નહિં” જો કસાયપાહુડ અને ષટ્ખણ્ડાગમમાં મતભેદ હોવા છતાં એક જ પરંપરાના ગ્રંથ માની શકાય તો વાચકશ્રીને શ્રી ઉમાસ્વાતિજી કે જેઓનું વચન નયસાપેક્ષ છે, તેમને આગમિક પરંપરાના માનવામાં શું વાંધો?
૨૪
-
૯. તત્વાર્થાધિગમસૂત્રનું ભાષ્ય સ્વોપજ્ઞ છે
:
વાચકશ્રીએ સૂત્ર રચ્યું સાથે સાથે એના ઉપર ભાષ્ય પણ રચ્યું છે. આ ભાષ્ય સરળ-સુગમભાષામાં રચ્યું છે.
૧. જ્યા સૂત્રાનુસારી વાક્યો વડે સૂત્રના અર્થ અને સ્વ(ભાષ્યના) પદો વર્ણન કરાય છે, તે ભાષ્ય કહેવાય... આ ભાષ્યનું લક્ષણ પ્રસ્તુત તત્ત્વાર્થ ભાષ્યમાં બરાબર દેખાય છે. સાથે સાથે ભાષ્યને સ્વોપન્ન સિદ્ધ કરનાર એક શાસ્ત્રીય લક્ષણ પણ ભાષ્યમાં બરાબર પ્રતિબિંબિત થાય છે. તે આ રીતે કે
૨. “સૂત્રમાં નહિ કહેવાયેલી એવી માલા સરખી (= સૂત્રને બંધ બેસતી) વાતને વૃત્તિમાં કહેવાય છે. એનાથી જ સિદ્ધ થઈ જાય છે કે સૂત્રકાર અને વૃત્તિકાર એક છે.” આ વાત તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્યની એકતા જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે
૩. “તત્ત્વાર્થાધિગમ નામના ગ્રંથને હું કહીશ.” એમ કહી આ સૂત્રનું ‘તત્ત્વાર્થાધિગમ’· એવું નામ પણ ભાષ્યકારશ્રીએ ૧/૨૨ મી સંબંધ કારિકાથી સૂચિત કર્યું છે.
૪. ‘મોક્ષમાર્ગને હું કહીશ.' એમ કહી મોક્ષમાર્ગના કથનનો ઉપક્રમ ભાષ્યકારશ્રીએ ૩૧મી કારિકામાં કર્યો છે, અને, તે અપેક્ષીને જ “સર્ચવર્શનજ્ઞાનવારિત્રાન્તિ મોક્ષમાર્ગ” એવું પ્રથમ સૂત્ર રચાયું છે. જો આ ઉપક્રમની અપેક્ષાએ ન રચાયું હોત તો સૂત્ર ‘સમ્યવÁનજ્ઞાનવારિત્રેળ મોક્ષઃ' આવું થાત.
૧. સૂત્રાર્થો વર્વતે યત્ર વાગ્યેઃ સૂત્રાનુસારિમિઃ । સ્વપનિ ચ વર્ગો માળું માવિવો વિદ્યુઃ ।।9 || ૨. “તારેવ સૂત્ર મૂત્રવૃત્તિતોરેવત્વે જ્ઞાપમ્, માનોપમાયાઃ મૂત્રાવનુત્તાયા વૃત્તાવેવ યનાત્” (ાવ્યમાતા - ૧૯/૨ પૃ.૩૨૯)