________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા ૦
નામ પણ . નથી તો કઈ રીતે કહી શકાય કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજ યાપનીય હતા ?
B. જે સ્થવિરાવલી અને પટ્ટાવલી વર્તમાનમાં આપણને ઉપલબ્ધ છે તે બધી પરમ્પરાવિશેષ (= શાખા-પ્રશાખા વિશેષ) થી જોડાએલી હોય છે. જ્યારે એક સમયમાં અનેક આચાર્ય હોય ત્યારે તે બધાની પરમ્પરા વિશેષનો પટ્ટાવલીઓમાં ઉલ્લેખ નથી થતો. વળી જે આચાર્યની પરમ્પરા દીર્ઘજીવી ન હોય, તેમના નામો પ્રાયઃ લેવામાં આવતાં ન હતા, આજે એવા પણ ઘણા ગણ, કુલ, શાખાઓ છે જેના ઉલ્લેખો મળે છે છતાં એમની આચાર્ય પરમ્પરાના સંબંધમાં આપણે કાંઈ નથી જાણતાં.
૨૩
C. કલ્પસૂત્ર સ્થવિરાવલી, મથુરાના અભિલેખો અને તત્ત્વાર્થની પ્રશસ્તિ આ ત્રણેના સમન્વયથી એ ફલિત થાય છે કે વી.સં.૪૭૧માં ઉચ્ચનાગરી શાખા તે આર્ય શાન્તિશ્રેણિકથી નીકળી હતી, તેમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજ થયા. એમના પ્રગુરુ શ્રી શિવાર્ય એજ આર્ય શાન્તિશ્રેણિક હતા, અને ચારે દિશામાં જેમની કીર્તિ ફેલાએલી છે એવા મહાવાચક શ્રી મૂલાચાર્ય = યુગપ્રધાનાચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી એમના વિદ્યાગુરુ હતા વગેરે.
D. આ પ્રમાણે શ્વેતામ્બરીય ગ્રંથો અને સ્થવિરાવલી પ્રમાણે શ્રી ઉમાસ્વાતિજી મહારાજનું સંપૂર્ણ જીવનચરિત્ર, ગુરુપરંપરા વગેરે મળે જ છે. જ્યારે દિગંબરીય અને યાપનીય પરંપરામાં ઉચ્ચનાગરીશાખા, ‘વાચક' વિશેષણ, ગુરુ પરંપરા, એમના રચેલા અન્ય ગ્રંથો કે એ ગ્રંથોની સંખ્યા, એમના માતા પિતાનું નામ, ગામ, જન્મસ્થળ, ગ્રંથરચના સ્થળ, ગ્રંથ રચના પ્રયોજન વગેરે કાંઈ પ્રાપ્ત થતા નથી.
E. શ્વેતામ્બરોને આગમોની જેમ તત્ત્વાર્થસૂત્ર અને એનું સ્વોપજ્ઞ ભાષ્ય પણ ઉત્તરાધિકારમાં પ્રાપ્ત થયું છે. જ્યારે દિગંબરોને તત્ત્વાર્થસૂત્ર સીધે સીધુ નથી મળ્યું. શ્વેતાંબરમાંથી (શિવભૂતિજીના અન્વયે) યાપનીયો પાસે આવ્યું અને યાપનીયો પાસેથી દિગંબરોને મળ્યું.
F. યાપનીય ત્રિલોકપ્રશપ્તિ વગેરે ગ્રંથોમાં જે તત્ત્વાર્થની ઉક્ત વાતોની સામ્યતા દેખાય છે એનું પણ મૂલ કારણ એ જ જણાય છે કે યાપનીયોની પાસે જે આગમગ્રન્થો ઉપલબ્ધ હતાં તે માથુરી વાચના કે એના પણ પૂર્વના હશે. ભગવતીઆરાધનાની વિજયોદય ટીકામાં આગમોના જે અંશ કે ઉદાહરણો ઉપલબ્ધ થાય છે તે પણ સમ્ભવતઃ માથુરી વાચના કે એના પૂર્વના છે. તેથી ત્રિલોક પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોની સામ્યતા હોવા છતાં પણ તત્ત્વાર્થસૂત્રના કર્તા ઉમાસ્વાતિજીને શ્વેતામ્બરીય માનવામાં કોઈ બાધા આવતી નથી કારણકે ત્રિલોકપ્રજ્ઞપ્તિ વગેરે યાપનીય ગ્રંથો પણ આગમો ઉપરથી જ રચાયા છે.
ઉ. કાલને સ્વતન્ત્ર દ્રવ્ય માનવાનું, ત્રસ-રૂ અને સ્થાવર-રૂ વગેરે બાબતો જે તત્વાર્થસૂત્રમાં છે તે વિવક્ષાના ભેદે આગમોમાં પણ કહેવાઈ જ છે. બીજી વાત એ કે તત્ત્વાર્થભાષ્યમાં કહેલી, અંતરદ્વીપની સંખ્યા, પુરૂષવેદાદિ પુણ્ય પ્રકૃતિ વગેરેની માન્યતાઓનો વર્તમાન આગમોમાં તફાવત દેખાય છે. અંતરદ્વીપ વિશે શ્રી સિદ્ધસેનગણિજીએ તત્ત્વાર્થ અ.૩/સૂ.૬ની ટીકા (પૃ.૨૭૭)માં લખ્યું છે કે- “કોઈ દુર્વિદગ્ધ ભાષ્યનો આ અંશ વિકૃત કર્યો હશે.” તથા પુરુષવેદાદિને પુણ્યપ્રકૃતિ કહેવાનું કારણ ચિરંતનાચાર્યકૃત ટીપ્પણીમાં “સર્વેઘસમ્યવાસૂિત્રે સમ્યવત્વસ્ય શુદ્ધપુન્નત્વાત્, હાસ્યરો: પુષ્પાશ્રયં વિનાનુષવત્તઃ, પુરુષવેવસ્થ પવિત્રાતિાત્ : મુખ્યવિવા।” આ પંકિતઓથી દર્શાવ્યુ છે. તેમજ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વલ્લભી વાચના (વીર. સં. ૯૮૦) ના ૪૦૦ થી ૫૦૦ વર્ષ પૂર્વે થયા છે એથી એ સ્વાભાવિક છે કે એમના મન્તવ્યો અને વલ્લભીવાચનાના આગમોમાં આંશિક ફેર હોય. એ પણ સમ્ભવ છે કે કદાચ વલ્લભી વાચનાના સમયે મધ્યદેશ સ્થિત ઉચ્ચનાગર શાખાના પ્રતિનિધિ આચાર્યો અનુપસ્થિત હોય અને એમના મન્તવ્યોનું સંકલન નહિ થઈ શક્યું હોય.