SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • ટકા સિદ્ધ થાય છે. જો અગર એમ કહો કે કાલાણુઓ દિગંબરોને પણ માન્ય નથી તો આ વાત ખોટી છે કારણ કે તત્ત્વાર્થરાજવાર્તિકમાં (પૃ.૨૨) “વર્તના પરિણામક્રિયાપરત્વીપરત્વે વ વાનસ્થા (૧/૨૨)” સૂત્રની વ્યાખ્યામાં નિમ્નલિખિત ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. “કાલ બે પ્રકારે છે.” ૧. પરમાર્થકાલ ૨. વ્યવહારકાલ. તેમાં પરમાર્થકાલ વર્તના સ્વરૂપ છે. ધર્માસ્તિકાયાદિ જેમ ગતિવિગેરેમાં ઉપકારક છે. તેમ પારમાર્થિકકાલ વર્તના વડે ઉપકાર કરે છે. તેવા કેવા સ્વરૂપનું છે, એવું પૂછતા હો તો સાંભળો કહીએ છીએ. લોકાકાશમાં જેટલા પ્રદેશો છે. તેટલા કાલાણુઓ છે. તેઓ પરસ્પર એકબીજાથી અસંતૃષ્ટ છે. અને એક આકાશપ્રદેશમાં એક એક કાલાણ રહેલો છે, એમ લોકવ્યાપી છે. તત્ત્વાર્થસૂત્રકારે તો નિશ્ચયકાલનો સ્વીકાર જ નથી કર્યો. તેથી નિશ્ચય કાલસ્વરૂપ તે કાલાણુઓનો તો સ્વીકાર ક્યાંથી થઈ શકે અને એથી જ તે કાલાણુઓના અવગાહનાક્ષેત્રનું પણ પ્રદર્શન નથી કર્યું. કાલાણું હોય તો તેનું અવગાહનાક્ષેત્ર બતાડાય. જ્યારે કાલાણુઓ જ નથી તો અવગાહના ક્ષેત્ર કોનું બતાવું. “મૂર્ત નતિ કૃતઃ શાહ ' વળી જો કાલ એ મુખ્યદ્રવ્ય સ્વીકૃત હોત તો “મનીવછાયાધર્માધાપુર્વ નિઃ” પ/૧ સૂત્રમાં અજીવરૂપે તેનું (કાલનું) નામનું પણ ઉલ્લેખ કરવું જોઈતું હતું. કે જેનાથી એના પછીના સૂત્ર “ટ્રવ્યાપ નીવાશ્વ” પર સૂત્રમાં કાલની પણ મુખ્ય દ્રવ્ય તરીકે ગણના થઈ શકત. પણ સુત્રકારે તેવું ન કર્યું. તેથી એ નિશ્ચિત થાય છે કે કાલ એ મુખ્યદ્રવ્યરૂપ નથી. જો એમ કહેતાં હો કે “TUપર્યાયવત દ્રવ્યમુ” પ૩િ૫ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ કહ્યા પછી “નિશ્વ૫/૩૮ સૂત્રમાં કાલને કહ્યું હોવાથી મુખ્યદ્રવ્ય તરીકે કાલની સિદ્ધિ થાય છે, તો તે વાત પણ અસંગત છે. કારણ કે જો ત્યાં (પ/૩૫ દ્રવ્યનું લક્ષણકથનસૂત્રની પછી) ઉલ્લેખ કરવાથી પણ કાલની મુખ્યદ્રવ્ય તરીકેની સિદ્ધિ થઈ શકતી હોય તો બધાએ દ્રવ્યોની મુખ્યદ્રવ્યતરીકેની સિદ્ધિ માટે ત્યાં (પ/૩૫ દ્રવ્યનું લક્ષણકથકસૂત્રની પછી) જ ઉલ્લેખ કરવું જોઈતું હતું, પહેલા નહીં. બીજું એ કે પ/૨ સૂત્રમાં “વ્ય”િ (મુખ્યતયાદ્રવ્યપ્રતિપાદક) પદ જે કહ્યું તે પણ નિષ્ફળ = નિરર્થક થઈ જશે. કારણ કે તેના વિના જ અહીં પ૩પ (દ્રવ્યના લક્ષણકથક) સૂત્રની પછી કહેવાથી મુખ્યદ્રવ્યનું પ્રતિપાદન થઈ જાય છે અને ખરેખર ૫/૩પના દ્રવ્યના લક્ષણકથક સૂત્રની પછી વાસ્તબ્ધ સૂત્ર નથી પણ “ઋત્તિખ્યત્વે” એવું સત્ર છે - જેનો અર્થ - કેટલાક કાળને પણ ઔપચારિક રીતે દ્રવ્ય માને છે એ થાય છે. પણ આ અર્થ દિગંબરોને ઈષ્ટ ન હોવાથી “છાતષેત્યેનો તિ ઘ ઉડાડીને વફાનશ્ય' આટલુ સૂત્ર સ્વીકાર્યું, છતાં ઉપરોક્ત કહ્યા મુજબ એ સૂત્ર સ્વીકારવા છતાં પૂર્વાપર વિરોધ હોવાથી કાલાણુઓની સિદ્ધિ થઈ શકતી નથી. D. સ્થાવરના ભેદોમાં ૩ અને ૫ એમ બંન્ને સંખ્યા આગમોમાં દેખાય છે. આમાં કોઈ વિરોધ નથી. આ તો વિવેક્ષાકૃત ભેદ છે. - આચારાગ્નમાં, ઉત્તરાધ્યયનના જીવાભિગમ-અધ્યયનમાં તત્ત્વાર્થની જેમ સ્થાવરના ત્રણ જ ભેદ કહ્યા છે. અને એ જ ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૬ની ગાથા ૩૧માં તથા દશવૈકાલિકના ૪થા અધ્યયનમાં સ્થાવરના પાંચ જ ભેદ કહ્યાં છે. અને પછી ત્રસકાયની વ્યાખ્યા કરી છે. ગંબરોમાં પણ 'સર્વાર્થસિદ્ધિ માન્ય સત્રપાઠમાં સ્થાવરના પાંચ ભેદ કહ્યા છે. જ્યારે શ્રી કુન્દકુન્દ્રાચાર્યજીએ *પંચાસ્તિકાયમાં (ગા. ૧૧૦-૧૧૧) સ્થાવરના ત્રણ જ ભેદ કહ્યાં જ આગળ જઈને ગા. ૧૧૩ માં પ્રશમરતિની જેમ પાંચે સ્થાવરની વ્યાખ્યા એક સાથે કરી છે. 9. માવાર શ્રુતસ્કંધ-9 અધ્યયન-૭ ૩દેશો-૬,૭ ૨. ઉત્તરધ્યયન-૩૬/૬૬, ૩૦૭ રૂ. રવૈવાસ્તિક, અધ્યાય-૪.૪ ૪. સર્વાર્થસિદ્ધિ ર/૧૩ ૬. પંક્તિ 999/999 તથા 99રૂ.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy