________________
૨૦
•ભૂમિકા •
તત્ત્વાર્થાધિગમસૂત્ર B. તત્ત્વાર્થસૂત્રમાં ૫ ભાવો કહ્યા અને પ્રશમરતિમાં હું ભાવો કહ્યા. એમાં કોઈ આગમિક વિરોધ નથી પણ સંક્ષિપ્ત અને વિસ્તૃત વિવેચનના કારણે આ થયું છે. તત્ત્વાર્થ એ સૂત્ર શૈલીનો (ગદ્ય) ગ્રંથ છે જ્યારે પ્રશમરતિ વિવેચનાત્મક શૈલીથી લખેલી એક પદ્યાત્મક રચના છે. વળી સાન્નિપાતિક ભાવ એ કોઈ સ્વતંત્ર ભાવ નથી, સાન્નિપાતિક શબ્દ સ્વયં જ આ સત્યનો સૂચક છે કે એ સ્વતંત્ર ભાવ નથી. એક જ લેખક વિસ્તારથી કોઈ ચર્ચા કરતા હોય ત્યારે પૂર્વમાં અનુક્ત અનેક બાબતોની પૂર્તિ કરતા જ હોય છે. તેમ અહિ પણ સમજવું તેથી ભાષ્ય-પ્રશમરતિને કર્તા ભિન્ન સિદ્ધ થઈ શકતાં નથી.. - c. તત્ત્વાર્થમાં વાચકશ્રીએ અવાગ્યેયે" સૂત્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ વાત કરી છે. અર્થાત્ ભેદલક્ષણવાળા પર્યાયાર્થિક નયને માનનારા (ભેદની મુખ્યતાએ વિવક્ષા કરનારા કેટલાક આચાર્યો કાલને કહ્યું દ્રવ્ય માને છે. જ્યારે બીજા આચાર્યો અભેદ લક્ષણવાળા દ્રવ્યાર્થિક નયને પ્રધાન રાખી કાલને દ્રવ્ય ન કહેતા પર્યાય કહે છે.
જ્યાં આગમમાં કાલ એ પાંચદ્રવ્યથી દ્રવ્યાન્તર - જુદુ દ્રવ્ય નથી એમ કહેવામાં આવ્યું છે ત્યાં એ વાત અભેદ (દ્રવ્યાર્થિક) નયથી કહેલ છે. તેમ જાણવું.
પ્રજ્ઞાપના અને ભગવતીજીમાં કાલને જીવ અને અજીવના પર્યાયરૂપે કહ્યું છે તે અભેદ (=દ્રવ્યાર્થિક) નયની અપેક્ષાએ જાણવું. અને ઉત્તરાધ્યયનમાં જે સ્વતંત્ર દ્રવ્ય રૂપે કહ્યું છે તે ભેદ (=પર્યાયાર્થિક) નયની અપેક્ષાએ સમજવું. તેમજ પ્રશમરતિમાં જે કાલને સ્વતંત્રદ્રવ્યરૂપે કહ્યું છે તે ભેદ (પર્યાયાર્થિક) નયની અપેક્ષાએ જાણવું અને તત્ત્વાર્થમાં ઉભયનયની અપેક્ષાએ અર્થાત્ દવાદિ પર્યાયાર્થિક અને અભેદવાદિ દ્રવ્યાર્થિકની અપેક્ષાએ જાણવું.
તત્ત્વાર્થસૂત્રની રચનાનો ઉદ્દેશ્ય સમગ્ર જૈન દર્શનના પ્રતિનિધિરૂપ ગ્રન્થની રચના કરવાનો હતો કે જેથી ન્યાયસૂત્ર, વૈશેષિકસૂત્ર, સાંખ્યસૂત્ર, મીમાંસાસૂત્ર અને બ્રહ્મસૂત્ર વગેરેની જેમ જૈન દર્શનનો પણ કોઈ પ્રતિનિધિ સૂત્ર-ગ્રન્થ થાય અને તેથી સમગ્ર જૈન દર્શનના પ્રતિનિધિના રૂપમાં કોઈ વાત કહેવાતી હોય તો એ પ્રસ્તુતીકરણ માત્ર એક નયની અપેક્ષાએ ન થઈ શકે માટે સમગ્રનયથી જ ત્યાં વાત કરવી પડે. પ્રશમરતિ ગ્રન્થ પ્રતિનિધિ સૂત્ર નથી. માટે ત્યાં એમને જેની વિવેક્ષા હોય એ નયથી વાત કરી શકે.
પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ ચાલનારા ભેદવાદિ કેટલાક આચાર્ય કાલને દ્રવ્ય જરૂર માને છે પણ કાલને મુખ્ય દ્રવ્ય - નિશ્ચયદ્રવ્ય તરીકે નથી માનતા. ઔપચારિક દ્રવ્ય તરીકે માને છે તેમજ કાલાણુઓની મુખ્યકાલરૂપે સત્તા પણ નથી સ્વીકારાઈ. તેમજ- ભગવતી, પ્રજ્ઞાપના આદિ આગમોમાં પર્યાયનયથી કાલની પણ દ્રવ્ય તરીકે વિવફા જરૂ૨ કરી છે, પણ કાલાણુની મુખ્યતયા સત્તાનું પ્રતિપાદન નથી કરાયું. અને તેમજ તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે પાંચમાં અધ્યાયયમાં દ્રવ્યોની અવગાહના નિરૂપણના સમયમાં જેમ “ધર્મયોઃ કૃત્ન” (તોછા), પ્રદેશ વુિ માન્યા પુનાનાં, ૩મધ્યમા વિષ નીવીના” ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય રૂ૫ ચાર દ્રવ્યોની અવગાહના ક્ષેત્ર સાક્ષાત્ દેખાડયું, (પ્રદર્શન કર્યુ.) તેમજ જો મુખ્યકાલ રૂપ સમગ્રલોકમાં પણ રહેલા કાલાણુઓ હોય તો તેઓનું પણ અવગાહના ક્ષેત્ર સાક્ષાતુ દેખાડયું હોત, પણ, સૂત્રકારે કોઈપણ રીતે દેખાડયું તો નથી. તેથી ફલિત થાય છે કે કાલાણુઓની મુખ્યકાલરૂપે સત્તા તેમના મતે પણ નથી. અને આ રીતે કાલાણુઓનો અભાવ સિદ્ધ થયે છતે સૂત્રકાર શ્વેતાંબરમતાનુસારી છે. એ સો 9. “નવા વેવ હાની નીવા વેવ વાહનો ત્તિ પર્યુષ્ય"T