SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૯ ૮. પ્રશમરતિ પ્રકરણમાં ખુદ ઉમાસ્વાતિજી મહારાજા વસ્ત્રપાત્રાદિ ઉપકરણોનો ઉલ્લેખ કરતા લખે છે કે “જેં સમ્યક્ત્વ જ્ઞાન ચારિત્ર અને નિરવઘ મન વચન અને કાયાની પ્રવૃત્તિને, હાનિ પહોંચાડતુ હોય, અને જે જૈન શાસનની હિલના કરાવે તેવા પિણ્ડ, શય્યા, વસ્ત્ર, પાત્ર અને ઔષધ વિગેરે જે કાંઈ શુદ્ધ અને કલ્પ્ય હોય, છતાં તે અકલ્પ્ય બની જાય છે આનાથી વિરૂદ્ધ જે અલ્પ્ય પણ કલ્પ્ય બની જાય છે... ૧૪૫” આ (વસ્ત્ર, પાત્રાદિ) ઉલ્લેખથી પણ તેઓ શ્વેતાંબરીય છે એ સિદ્ધ થાય છે. : ૯. ડૉ. કુસુમ પટોરિયા પ્રશમરતિ પ્રકરણ સાથે ભાષ્યનો વિરોધ દર્શાવતા લખે છે કે A. તત્ત્વાર્થ ભાષ્ય અને પ્રશમરતિ પ્રકરણમાં સંયમના સત્તર પ્રકાર સંખ્યાથી એક હોવા છતાં વ્યાખ્યાથી ભિન્ન ભિન્ન દર્શાવ્યા છે. ભૂમિકા • B. તત્ત્વાર્થ ભાષ્યમાં ભાવોના પાંચ પ્રકાર કહ્યાં છે અને પ્રશમરતિમાં છ કહ્યાં C. તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્યમાં કાલને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનવામાં તટસ્થતા પ્રદર્શિત કરી છે જ્યારે પ્રશમરતિમાં કાલદ્રવ્યને સમાનભાવે માની ૬ઠ્ઠા દ્રવ્ય તરીકે સ્વીકાર્યા છે D. પ્રશમરતિમાં સ્થાવરકાયના પાંચ ભેદ કહ્યા છે અને તત્ત્વાર્થ ભાષ્યમાં ત્રણ જ ભેદ કહ્યાં માટે બંન્નેના કર્તા ભિન્ન છે એ સિદ્ધ થાય છે ઈત્યાદિ. સમીક્ષા : A. સંયમના ૧૭ ભેદોની વ્યાખ્યા (એક જ સૂત્રકાર વર્ડ) બન્ને શૈલીથી કરવાની પરમ્પરા અતિપ્રાચીન છે. પ્રવચનસારોદ્વાર ગ્રન્થમાં બન્ને રીતે આ સંયમના ૧૭ ભેદોની વ્યાખ્યા કરી છે. ભગવતીઆરાધનામાં ગાથા ૪૧૬-૧૭ માં જે સંયમના ભેદ દર્શાવ્યા છે તે સમવાયાંગ (જૈન શ્વેતામ્બર આગમ) મુજબ છે જ્યારે એ જ પરમ્પરાના પ્રતિક્રમણમાં "સત્તરસવિહિદુગસંનમેતુ"ની વ્યાખ્યા કરતાં આચાર્ય પ્રભાચન્દ્રજીએ તેની ટીકામાં પૃથ્વીકાયાદિ સંયમના ૧૭ ભેદ દર્શાવ્યા અને ત્યાંજ બીજી બાજુ પાંચ આશ્રવ આદિના આધારે પણ સંયમના ૧૭ ભેદોને દર્શાવ્યા છે. વર્ગીકરણ શૈલીની આ વિવિધતા ગ્રંથર્તાની વિવક્ષા પર નિર્ભર હોય છે. શ્રી સિદ્ધસેનસૂરિજી પ્રવચનસારોદ્વારમાં અને આચાર્યશ્રી પ્રભાચન્દ્રજી પ્રતિક્રમણ સૂત્રની વ્યાખ્યામાં જો આ બન્ને રીતે વ્યાખ્યા કરી શકે છે તો શું પૂ. વાચકશ્રી બે ભિન્ન ગ્રંથોમાં સંયમના ૧૭ ભેદોને ભિન્ન-ભિન્ન રીતે ન દર્શાવી શકે? આના પરથી જો ભાષ્ય અને પ્રશમરતિને ભિન્નકર્તૃક માનીએ તો ઉપરોક્ત એક જ ગ્રંથના એક નામના બે કર્તા માનવા જોઈએ. १. यत्पुनरुपघातकरं सम्यक्त्व-ज्ञान- शील-योगानाम् । तत्कल्प्यमप्य कल्प्यं प्रवचनकुत्साकरं यच्च ।। १४४ ।। किञ्चिच्छुद्धं कल्प्यमऽ कल्प्यं स्यात्स्यादऽ-कल्प्यमऽपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजा ऽऽद्यं वा ।। १४५ ।। ( प्रशमरतौ) ૨. યોનિગ્રહઃ સંયમઃ। સઃ સપ્તવવિધઃ। તઘથા - પૃથ્વીયિ-સંયમઃ, પ્રાયિ-સંયમઃ, તેનòાયિ-સંયમઃ, વાયુાયિસંયમઃ, વનસ્પતિજાયિ-સંયમ, દ્વીન્દ્રિય-સંયમ, ઝીન્દ્રિય-સંયમ:, વતુરિન્દ્રિય-સંયમ, વેન્દ્રિય-સંયમઃ, પ્રેક્ષ્ય-સંયમ:,ઉપદેશ-સંયમઃ, અપહૃત્ય-સંયમ:, પ્રમુખ્ય-સંયમઃ, વ્યાય-સંયમ, વા-સંયમ:, મનઃસંયમઃ, ૩વર્ળ-સંયમ:, કૃતિ સંયમો ધર્મઃ તત્ત્વાર્થભાવ્ય ૧/૬ ३. पंचाश्रवाद्विरमणं पंचेन्द्रियनिग्रहश्च कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेद: ।। - प्रशमरतिकारिका ૪. ઉપરોક્ત વિરોધોની સમીક્ષા A આદિ સંજ્ઞાઓ વડે મસર છે એ પ્રમાણે આગળ પણ સમજવું. १७२ ५. पंचासवा विरमणं पंचेन्दिय निग्गहो कसायजओ । दण्डत्तयस्स विरई सत्तरसहा संजमो होइ ।। -प्रवचनसारोद्धार-६६/५५५ ढविद अगणि मारू वणस्सइ बि ति चउ पणिदिजीवा । पेहु घेह पमज्जण परिठवण अणो वई काए । ।-प्र.सा.६६/५५६ ૬. ‘પંચાસર્વદિ વિરમાં પંચેન્દ્રિય નિમ્બો ખાય નયો તિર્દિ ડેર્દિ ય વિટિ સત્તારસ સંનયા મળિા' । - દિગંબર પ્રતિમણસૂત્રની પ્રભાચંદ્રાચાર્યત ટીકા.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy