SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર સ્વીકારવા જોઈએ. છતાં સ્વીકાર્યા તો છે જ . “વેદનામાં મોહનો સદ્ભાવ પણ કારણ છે. કેવળીને મોહ નથી માટે વેદનારહિત ક્ષુધા-પિપાસા હોય છે” એવી દિગંબરોની (વેદનામાં મોહને સહકારી કારણ માનવાની) માન્યતાનું ખંડન સૂત્રકારે “વેદનીયે શેષાઃ” ૯/૧૬ સૂત્રમાં કરી દીધું છે. આ સૂત્રમાં સુધાપિપાસાદિ ૧૧ પરિષહ માત્ર વેદનીયકર્મથી જન્ય તરીકે પ્રતિપાદન કરવામાં આવ્યા છે. વળી આચાર્ય શ્રી સામન્તભદ્રજીએ આપ્તમીમાંસા (શ્લોક ૯૩)માં વીતરાગમાં પણ સુખ-દુઃખના સદ્ભાવને સ્વીકાર્યા છે.” તેથી તત્ત્વાર્થ સૂત્રકારને કેવલીભુક્તિ માન્ય છે. એ સિદ્ધ થાય છે. ૩. “પુનાશકુશર્તનિર્જન્ચસ્નાતા નિર્જન્ચા:” ૯૪૯ સૂત્રના વ્યાખ્યાનના અવસરે શ્રી ભટ્ટ અકલંકદેવે તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૩૫૯)માં કહ્યું છે કે-પુલાક બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણેને સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે... બકુશ બે પ્રકારના છે. (૧) ઉપકરણ બકુશ અને (૨) શરીર બકુશ. તેમાં ઉપકરણમાં આસક્ત ચિત્તવાળો અનેક પ્રકારના વિચિત્ર પરિગ્રહથી યુક્ત, તથા ઘણી સારી વિશેષતાવાળા ઉપકરણોની આકાંક્ષાવાળો અને તે ઉપકરણોના સમારકામ-પ્રતિકાર-સંસ્કાર કરનારો સાધુ ઉપકરણબકુશ કહેવાય છે. શરીરના સંસ્કારને કરનારો સાધુ શરીર બકુશ થાય છે” આ પ્રમાણે “માત્ર કમંડલ અને મોરપીંછી યુક્ત નગ્ન જે હોય તે સાધુ કહેવાય, વિશેષ ઉપકરણ યુક્ત પરિગ્રહધારી જે હોય તે સાધુ ન કહેવાય.” એવું માનનારા દિગંબરોને આ પ્રશ્ન પૂછીએ છીએ કે- જો તમારા મનમાં મોરપિચ્છિકા અને કમડલ સિવાય અન્ય ઉપકરણોનો નિષેધ જ હોય તો ઉપરોક્ત સ્વરૂપવાળા બકુશ નિગ્રંથોનું નિર્ઝન્યપણું રહેશે જ નહીં. તેઓમાં નિર્ગુન્થતાનો અભાવ થઈ જશે. કારણ કે તેઓ ઉપકરણોમાં આસક્તચિત્તવાળા છે. અનેક પ્રકારના વિચિત્ર પરિગ્રહથી યુક્ત છે, તથા તેની આકાંક્ષા રાખનારા છે. તેમજ તેના સંસ્કાર અને પ્રતિકાર (સારસંભાળ કરનારા છે. જો તેઓમાં પણ નિર્ચન્થતા તમે સ્વીકારો છો તો ધર્મોપકરણ મુક્તિમાં બાધક નથી એ સિદ્ધ થાય છે. અને તમે માનેલ અવસ્ત્રમુક્તિનું ખંડન થઈ જાય છે. ૪. “મૂચ્છ પરિપ્રદ:' ૭/૧૨ સૂત્રમાં મૂર્છાને પરિગ્રહ સ્વરૂપ સ્વીકાર્યું હોવાથી બકુશનિર્ઝન્થોમાં ધર્મના સાધનભૂત એવા ઉપકરણોનો સદ્ભાવ હોવા છતાં પણ મૂર્છાનો અભાવ હોવાથી નિગ્રંથતા છે. એવા આશયથી સૂત્રકારે આ સૂત્ર કર્યું છે એવા વિરોધનો પરિહાર કરવો પણ દિગંબરોને દુશક્ય છે. કારણકે એમ વિરોધનો પરિહાર કરવા જતાં સ્વમત (અવસ્ત્રમુક્તિ)નું ખંડન થઈ જાય. ૫. વળી બીજી વાત એ કે દિગંબર-સ્વરૂપ લિંગ (વેશ) વાળાને જ નિગ્રંથ માનનારા દિગંબરોએ તત્ત્વાર્થરાજવાર્તિકકારના આ વચનો વિચારવા જેવા છે “લિંગ બે પ્રકારના છે. ૧ ભાવલિંગ ૨ દ્રવ્યલિંગ. ભાવલિંગને આશ્રયીને બધા પાંચે નિગ્રંથો લિંગી હોય છે, દ્રવ્યલિંગને આશ્રયીને ભજના છે.” . આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમસૂત્રના સૂત્રકાર વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજને શ્વેતાંબર તરીકે સિદ્ધ કરવામાં સમર્થ એવી યુક્તિઓ હોવા છતાં પણ આ તત્વાર્થસૂત્રને દિગંબર સંપ્રદાય પોતાનું માને છે એ આનંદની જ વાત છે. અને તે કોઈ આશ્ચર્યજનક બીના-ઘટના નથી. કારણ કે બીજા પણ ભક્તામર-સિંદૂરપ્રકર વિગેરે અનેક ગ્રંથો છે કે જે શ્વેતાંબરીય હોવા છતાં દિગંબરો સ્વીકારે જ. છે. ૭. પોતાના માટે પ્રશસ્તિમાં પ્રદર્શિત વાચક શબ્દનો અને ઉચ્ચનાગરી શાખાનો ઉલ્લેખ દિગંબર ગ્રંથોમાં ક્યાંય નથી આવતો. તેથી ઉમાસ્વાતિજી મહારાજ શ્વેતાંબરીય છે એમ સિદ્ધ થાય છે.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy