________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા •
૧૭
જ ન હતો થયો. તેથી સીધી-સટ શ્વેતાંબર આધારિત જ સૂત્ર રચના હતી. પરંતુ ત્યારબાદ ઉભા થએલા દિગંબરોએ સ્વમતને સિદ્ધ કરવા માટે જે સૂત્ર પરિવર્તન કર્યું, તે આગમ/તર્કથી જોતા કેટલું બિનપાયેદાર છે તેની મીમાંસા કેટલાક દૃષ્ટાંતથી કરીએ
૧. ચોથા અધ્યાયમાં “વશાવ્યવગ્વદાવવિાઃ પોષપન્નપર્યન્તાઃ” આ ત્રીજા સૂત્રમાં સૂત્રકાર વડે ભવનવાસીઓના ૧૦, વ્યંતરોના ૮, જ્યોતિષ્ઠોના ૫, અને કલ્પોપપન્નવૈમાનિકદેવોના ૧૨ ભેદોને દર્શાવનાર ઉદ્દેશસૂત્ર કહેવાયું. દિગંબર ટીકાકારો વડે પણ સર્વાર્થસિદ્ધિટીકામાં (પૃ. ૧૩૫) તત્વાર્થરાજવાર્તિકમાં (પૃ.૧૫૦) અને તત્વાર્થશ્લોકવાર્તિકમાં (પૃ. ૩૭૨) આ સૂત્ર મૌલિકરૂપથી જ સ્વીકારાયુ છે. પરંતુ સૂત્રકથિત ભેદોનો વિસ્તાર કરતી વખતે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષદેવોના તો સૂત્રનિર્દિષ્ટ સંખ્યામુજબ જ દેખાડ્યા પણ જ્યારે વૈમાનિકદેવોના વિસ્તારનો પ્રસંગ આવ્યો ત્યારે સૂત્રમાં કથિત (સૂત્રકારને અભિમત ૧૨) ભેદોને છોડીને ૧૬ ભેદોનું પ્રદર્શન દિગંબરટીકાકારો વડે કરાયું. એમ કરવાથી શું ઉદ્દેશભંગના દોષ એમને ન લાગે ? જો કલ્પોપપન્ન વૈમાનિક દેવોના ૧૬ ભેદ દેખાડવા સૂત્રકારને ઇષ્ટ હોત તો “વશાલ્ટપગ્યોઽવિવન્ત્યાઃ ત્વોષપન્નપર્યન્તાઃ” એવું ઉદ્દેશ સૂત્ર રચ્યું હોત ! પણ તેવું રચ્યું તો નથી. તેથી ૧૬ ભેદ સૂત્ર પ્રદર્શક શ્રી ઉમાસ્વાતિ મહારાજ રચિત નથી એ સિદ્ધ થાય છે. અને આ વાત બન્ને પક્ષના સૂત્રોને જોઈને પણ માધ્યસ્થ પ્રાજ્ઞવ્યક્તિ વિચારી શકે છે.
૨. “ભુત-પિપાસા-શીત-ઉષ્ણ-દંશમશક-ચર્ચા-શય્યા-વધ-રોગ-તૃણસ્પર્શ-મલ. આ ૧૧ પરિષહોને સૂત્રકારે “એકાદશ જિને” ૬/૧૧ સૂત્રમાં સ્પષ્ટતયા જિનકેવળીને વિશે દેખાડ્યા છે. અને કેવલીમાં ક્ષુધાપરિષહનો સદ્દભાવ હોવાથી કેવલિઓનેં આહાર પણ હોય. એ સિદ્ધ થાય છે. પરંતુ દિગંબરોને કેવલી ભગવંત માટે કવલાહાર સ્વીકૃત ન હોવાથી આ સૂત્રની વ્યાખ્યાઓમાં તેઓ “ન સન્તિ” નો અધ્યાહાર કરીને એનાથી સ્વમત અનુકૂલ અર્થ કરવા મથે છે. જ્યારે મૂલસૂત્ર સ્પષ્ટતયા કેવળી વિશે ૧૧ પરિષહના સદ્ભાવને સૂચવે છે. આ સંદર્ભમાં દિગમ્બર પરમ્પરાના પ્રસિદ્ધ વિદ્વાન ડો. હીરાલાલજીના વિચાર મનનીય છે “કુન્દકુન્દ્રાચાર્યે કેવળી ભુક્તિનો નિષેધ કર્યો છે, પણ તત્ત્વાર્થસૂત્રકારે વિશેષથી કર્મસંહિતા અનુસારે એ (કેવલિભુક્તિ) ને સિદ્ધ કરી છે કે વેદનીયોદયજન્ય ક્ષુધા પિપાસાદિ ૧૧ પરિષહ કેવળીને પણ હોય છે. (૯/૮-૧૭) જ્યારે સર્વાર્થસિદ્ધિકાર અને રાજવાર્દિકકારે એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે મોહનીયના અભાવમાં વેદનીય કર્મનો પ્રભાવ જર્જરિત થઈ જાય છે, એથી એ વેદનાઓ કેવળીને નથી હોતી, પણ કર્મસિદ્ધાન્તથી આ વાત સિદ્ધ નથી થતી. તે આ રીતે કે મોહનીયના અભાવથી રાગદ્વેષજન્ય પરિણામનો અભાવ અવશ્ય થશે, પણ વેદનીય જન્ય વેદનાઓનો અભાવ તો નહિ જ થઈ શકે, જો થઈ જાય તો મોહનીયના અભાવમાં વેદનીયનો ઉદય માનવો જ ન જોઈએ. પણ સિદ્ધાંતમાં તો માન્ય છે. જે રીતે મોહનો અભાવ હોવાથી પ્રજ્ઞા-અજ્ઞાન-અદર્શન-અલાભ-નાન્ય-અરતિસ્ત્રી-નિષદ્યા-આક્રોશ- યાચના-સત્કારપુરસ્કાર એમ ૧૧ પરિષહ કેવલીમાં સ્વીકાર્ય નથી, તે જ રીતે મોહના ઉદયરૂપ સહાયનો અભાવ હોવાથી ક્ષુધા-પિપાસાને પણ (વેદના વિના નામ પૂરતા પણ) ન ૧. જુઓ દિગંબરસંપ્રદાયનું ૧૬ ભેદ પ્રદર્શક સૂત્ર “સૌધર્મેશાનભાનમારમાહેન્દ્રબ્રહ્મવ્રહ્મોત્તરત્તાન્તાવિષ્ઠશુદ્રમહાશુઋશતાર સહસ્રારેવ્વાનતપ્રાળતવોરારદ્યુતવોર્નવસુ ત્રૈવેયજી વિનયવૈનયન્તનયન્તાપરાનિતેષુ સર્વાર્થસિદ્ધો ઘ” (તત્ત્વાર્થરાજવાર્તિક અ.૪/ સૂ. ૧૯) શ્વેતાંબર સંપ્રદાયમાં તો ૧૨ જ ભેદ પ્રદર્શક સૂત્ર છે જુઓ “સૌધર્મેશાનમાનમારમાહેન્દ્રબ્રહ્મનોનાન્તમહાશુસહસ્રારેવ્વાનતપ્રાળતયોર રળવ્યુતયોર્નવસુ પ્રેવેચવુ વિનયવૈનયન્તનયન્તાપરાનિતેષુ સર્વાર્થસિદ્ધો ૪” (૪/૧૯)