________________
• ભૂમિકા •
તત્ત્વાર્થાધિગમસૂત્ર ટિપ્પણીમાં પણ વાચકશ્રીને ૧૦પૂર્વી તરીકે દર્શાવવા સામાન્ય પ્રયાસ થયો હોય તેવો ઉલ્લેખ
જણાય છે. ૭. ઉચ્ચનાગરી શાખા શ્રી વજસ્વામિજીની દીક્ષા પહેલા નીકળેલી છે, અને તેમાં ઉમાસ્વાતિજી મહારાજા
થયા. એથી શ્રી ઉમાસ્વાતિજી મહારાજા એમના પૂર્વકાલીન કે સમકાલીન હશે, પણ સ્વર્ગગમન આર્યશ્રી વજસ્વામિજી કરતાં પ્રથમ થયું હશે. કારણ કે અંતિમ ૧૦ પૂર્વી તરીકે આર્ય વજસ્વામિજી થયા' એ શાસ્ત્રવચન છે. (જેની નોંધ પૃ.૧૩ની ટીપ્પણી ૨.માં છે.) વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજના વાચનાચાર્ય (વિદ્યાગુરુ) નું નામ મૂલાચાર્ય છે તે જ યુગપ્રધાન આચાર્ય ભદ્રગુપ્તસૂરિ હોવાની સંભાવના થાય છે. કારણ કે જિનાલયમાં મુખ્ય ભગવાન માટે જેમ મૂળનાયક શબ્દ વપરાય છે તેમ ઉપાશ્રયમાં-સંઘમાં પ્રમુખાચાર્ય માટે મૂલાચાર્ય શબ્દ વપરાતો હતો. તેથી મૂલાચાર્યનો બીજો અર્થ સંઘાચાર્ય = યુગપ્રધાનાચાર્ય પણ થાય છે. વાચકશ્રીના સમયે યુગપ્રધાન આચાર્ય તરીકે ૧૦ પૂર્વધર શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ વિદ્યમાન હતાં. વળી મૂલાચાર્ય માટે વાચકીએ “થતીર્તે.” એવું જે વિશેષણ મુક્યું છે એના ઉપરથી એ ખ્યાલ આવે છે કે મૂલાચાર્યજી = યુગપ્રધાનાચાર્ય હશે, કારણ કે યુગપ્રધાનનું પુણ્ય જ એટલું બધું પ્રકૃષ્ટ હોય છે કે જેના કારણે એમની કીર્તિ ચારે દિશામાં પ્રસરેલી હોય છે. તેમજ વાચકશ્રીના પ્રગુરુ જે વાચક શિવાર્ય છે તે જ ઉચ્ચનાગરી શાખાના મૂલ આર્ય શ્રી શાન્નિશ્રેણિક હોવાની સંભાવના થાય છે. (જેમ શ્યામાચાર્યનું અપરના કાલકાચાર્ય હતું તેમ આર્ય શાન્નિશ્રેણિકનું પણ અપરનામ
શિવાર્ય હશે.) ૯. શ્રી વજસ્વામિજી જેમ ૧૧ અંગ સ્વગુરુ પાસે ભણી ૧૨મું અંગ શ્રી ભદ્રગુપ્તસૂરિજી પાસે ભણવા
ગયા તેમ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પણ ૧૧અંગ સ્વગુરુ પાસે ભણી, ૧૨મું અંગ શ્રી વાચક મૂલાચાર્ય = યુગપ્રધાનાચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ પાસે ભણવા ગયા હતાં.
આ બધા મુદ્દા વિચારતાં પૂ.વાચકશ્રી ઉમાસ્વાતિજી મ. ચોક્કસ ૧૦ પૂર્વધર હતાં. એવું ફલિત થાય છે અને એના દ્વારા વાચકશ્રીનો સમય વીર સં.૪૭૧ની પછી અને ૫૮૪ વર્ષની અંદરનો હશે એવું અનુમાન થાય છે.
૮. તત્વાર્થ સૂત્રકારનો સંપ્રદાય તત્ત્વાર્થસૂત્રના કર્તા વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્વેતાંબર સંપ્રદાયના હતા. કારણકે તેમના વડે રચિત તત્ત્વાર્થસૂત્રમાં શ્વેતાંબર માન્ય વાતો જ દેખાય છે હકીકતમાં તે સમયે દિગંબર મત ઉભો १. “इह हि खलु पुरा स्वीय निरवद्यविद्यासंयमसम्पदागणधरप्रत्येकबुद्धश्रुतकेवलिदशपूर्वाणां सूत्रकृन्महर्षिणां महिमानमात्मसात्कृर्वद्भि
रुमास्वातिपादैराचार्यवर्चसूत्रितस्य तत्त्वार्थाधिगमस्य मोक्षशास्त्रस्य गन्धहस्त्याख्यं महाभाष्यमुपनिबन्धन्तः स्याद्वादविद्यागुरवः
श्रीस्वामिसामन्तभद्राचार्याः । (अष्टसहस्रौलघुसमन्तभद्रकृतटिप्पणी) २. किलैकस्याचार्यस्य बहव आचार्याः श्रुतार्थमुपसम्पन्नाः, ते चैकस्यां वसतावमान्तः पृथक्पृथग्वसतिषु स्थिताः सन्तः 'तत्र'
मूलाचार्यसमीपे 'अन्यत्र वा' आत्मीयासु वसतिषु वसन्तु सर्वेषामपि शय्यातराः परिहर्त्तव्याः। (बृहत्कल्पभाष्य टीका-पृ.९८३ पं.१८)