________________
• નુસૂત્રસ્યવિચાર: ૦
तत्त्वार्थाधिगमसूत्रम् १/३४ ऋजु=सममकुटिलं सूत्रयतीति ऋजुसूत्रः ऋजु वा श्रुतम् आगमोऽस्येति सूत्रपातनवद् वा ऋजुसूत्रः यस्मादतीतानागतवक्रपरित्यागेन वर्तमानपदवीमनुधावति, अतः साम्प्रतकालावरूद्धपदार्थत्वात् ऋजुसूत्रः, एष च भावविषयप्रकारातीतानागतविषयवचनपरिच्छेदे प्रवृत्तः सर्वविकल्पातीतातिसंम्प्रमुग्धसङ्ग्रह विशिष्टत्वाद् व्यवहारस्यायथार्थतां मन्यमानः अचरणपुरूषगरूडवेगव्यपदेशवद् वर्त्तमानक्षणसमवस्थितिपरमार्थवस्तु व्यवस्थापयति, अतीतानागताभ्युपगमस्तु खरविषाणास्तित्वाभ्युपगमान्न भिद्यते, दग्धमृतापध्वस्तविषयश्चानाश्चासो न कस्यचिदपि स्यात् ? (स्यादेवेत्यर्थः) अघटादिलक्षणमृदाद्यनर्थान्तरत्वाच्च → હેમગિરા
ઋજુસૂત્ર :- જે વસ્તુને ઋજુ સમ = અકુટિલ અવક્રપણે સ્થાપે = સૂત્રિત કરે તે ઋજુસૂત્ર અથવા ઋજુ એવું શ્રુત=આગમ છે જેનું તે ઋજુશ્રુત. કારણ કે આ નય અતીત કે અનાગત રુપ વક્રતાનો પરિત્યાગ કરી વર્તમાન પરિસ્થિતિને અનુસરનારો છે. એથી વર્તમાનકાળ માત્રથી યુક્ત અર્થને જ સ્વીકારતો હોવાથી ઋજુસૂત્ર કહેવાય છે.
२८२
* ઋજુસૂત્ર નય દ્વારા વ્યવહારનયની સમીક્ષા
=
આ ઋજુસૂત્રનય જ્યારે (વ્યવહારનય અંગે) ભાવ = ભાવનિક્ષેપને આશ્રયિ, વિષય લૌકિક સમ, ઉપચારબહુલ આદિ (પા.નં.૨૬૮માં નિર્દિષ્ટ)વ્યવહારના સિદ્ધાંતોને આશ્રયિ અને પ્રકાર = શુદ્ધ વ્યવહાર, અશુદ્ધ વ્યવહાર ઈત્યાદિ પેટાભેદને આશ્રયિ પરિક્ષા કરવા પ્રવૃત્ત થાય ત્યારે આ વ્યવહારની અપરમાર્થતા દર્શાવતા કહે છે કે આ વ્યવહારનયમાં ભાવનિક્ષેપાદિ સર્વ વિકલ્પો નથી ઘટતા તેથી આ નય અત્યંત મૂઢ (સ્થૂલ) એવા સંગ્રહનય જેવો જ જણાય છે. અર્થાત્ વ્યવહા૨ નય જેમ સંગ્રહનયને અયુક્ત માને છે તેમ ખુદ વણ અયુક્ત છે. દા.ત.
સંગ્રહ નય જેમ સર્વવસ્તુને સામાન્ય રુપ માની, ‘સત્તા' ધર્મનો સ્વીકાર કરે છે અને તેથી વિશેષ વાદિ એવો વ્યવહારનય (સામાન્ય એ વ્યવહારમાં અનુપયોગી હોવાથી આકાશ પુષ્પની જેમ અસત્ છે. તેથી સામાન્યને માનનાર) આ સંગ્રહને અમાન્ય કરે છે તેમ આ વ્યવહારનય વિનષ્ટ અને અનુત્પન્ન એવા (વર્તમાનમાં અનુપયોગી હોવાથી આકાશ પુષ્પની જેવા) અતીત અને અનાગત પદાર્થને માની સ્વયં પણ અયથાર્થ ઠરે છે. (જેમ વ્યવહારમાં અનુપયોગી એવું સામાન્ય અસત્ છે તેમ અતીત અનાગત વસ્તુ પણ વ્યવહારમાં અનુપયોગી હોવાથી અસત્ છે, અસત્ ધર્મ બંન્નેમાં સરખુ હોવાથી બેઓમાં કોઈ ભેદ નથી. તેથી આ નય સંગ્રહવત્ અયુક્તસિદ્ધ થાય છે.
આ વિષયમાં દૃષ્ટાંતના માધ્યમે વ્યવહારનયની અયથાર્થના દર્શાવતાં ઋજુસૂત્ર નય કહે છે કે જેમ ‘પગ વિનાનો પુરુષ ગરુડ વેગે ચાલે છે' એ વાક્ય પરસ્પર વિરોધી છે. તેમ અતીત વસ્તુ એ સરૂપ છે તેમ કહેવું અત્યંત વિરુદ્ધ છે. આથી આ ઋજુસૂત્ર નય વર્તમાન ક્ષણવાળી વસ્તુને જ વાસ્તવિક માને છે. તે સિવાયનું બધુ અપરમાર્થ માને છે. બળી ગયેલ, મરી ગયેલ
તાવિહ્નિત પાટો મુ.વ્રતો ન કૃષ્ણ(મા.સં.) ૨. સસ્ત્રવિમુ° સં./ રૂ. પ્રગ્રહા હું,સં,TA
▸