SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ऋजुसूत्राभिप्रायविद्योतनम् । २८३ घटादिकालेऽग्नि- घटादिर्नैव स्यात्, न च तदेव तदेकं मृद् द्रव्यमन्यथा वर्तते, किं तर्हि ? अन्यदेव, अन्यप्रत्ययवशाद् वाऽन्यथोत्पद्यत इति च न पिण्डादिक्रियाकाले कुम्भकारव्यपदेशः, यदि चान्यदपि कुर्वन्नन्यस्य कर्तेत्युच्यते पटादिकरणप्रवृत्तोऽपि प्रत्याख्यातविज्ञानान्तरसम्बन्धः स्यादेव कुम्भकारः, ततश्चाशेषलोकव्यवहारोपरोध इत्यतः पूर्वापरभागवियुतः सर्ववस्तुगतो वर्तमानक्षण एव सत्यः, - હેમગિરા કે ધ્વસ્ત થઈ ગયેલ પદાર્થોમાં શું કોઈને અવિશ્વાસ નથી થતો ? અર્થાત્ થાય જ છે. આશય એ છે કે આવા પદાર્થોમાં જેમ કોઈ વિશ્વાસ કરતું નથી, પણ ત્યાજય માને છે. તેમ અતીતઅનાગત વસ્તુ એ અવસ્તુ હોવાથી ત્યાજ્ય છે જો વર્તમાન કાલિન ગૃતિકા જે અઘરૂપ છે તેમાં અનાગત એવા ઘટનું (અભેદ) આરોપણ કરીને તે માટી (અઘટ) આદિને ઘટ આદિનું અનર્થાન્તર (પર્યાય) કહેવામાં આવે તો પછી વાસ્તવિક ઘટ આદિના કાળમાં પણ ઘટ આદિ તરીકેનો વ્યવહાર નહીં થવો જોઈએ. કારણ કે પૂર્વનું જે કૃતિકા દ્રવ્ય હતું કે જેમાં ઘટનું આરોપણ કરતા હતાં તે તો અત્યંત નાશ પામેલ છે. હવે તો ઘટ સ્વરૂપ બીજું જ દ્રવ્ય છે. તેથી વ્યવહારનય માટીમાં જે ઘટારોપણ કરે છે તે અયુક્ત છે. . • & પ્રત્યાખ્યાતવિજ્ઞાનાંતર સંબંધની વ્યાખ્યા જ ઘટ નિર્માણ કરવાને અભિમુખ કૃતિકા દ્રવ્ય એક જ નથી હોતું પણ ક્ષણે ક્ષણે માટી દ્રવ્ય બદલાયા કરે છે. કારણ કે જેમ જેમ માટી દ્રવ્ય ઘટ કાર્યને અભિમુખ થાય છે તેમ તેમ માટી દ્રવ્યની પ્રતીતિ બદલાય છે. પિણ્ડ, સ્થાસક, કોશ, કુશુલ આદિ રૂપે પ્રતીતિઓ ફરતી હોવાથી માટી દ્રવ્ય પણ નવું નવું ઉત્પન્ન થાય છે તે સ્પષ્ટ જ છે. અને તેથી જ ઘટ માટે મૃદ્ધવ્યના પિંડ, સ્થાસકાદિ ક્રિયાકાળમાં પ્રવર્તનાર વ્યક્તિને કુંભકાર ન કહેવાય. જો અન્ય (પિંડાદિ) ક્રિયા કરનારમાં અન્ય (વટાદિ)ના કર્તા (કુંભકાર)નો વ્યપદેશ થઈ શકતો હોય તો પટકાર્યમાં પ્રવૃત્ત વ્યક્તિને પણ પ્રત્યાખ્યાતવિજ્ઞાનાંતર સંબંધથી કુંભકાર કહી શકાશે. વર્તમાન પટ કાર્યમાં પ્રવૃત્ત કર્તાને અન્ય દેશ અને અન્યકાળમાં રહેલ ઘટનો “હું કર્તા હતો અથવા કર્તા થઈશ” એવું જે જ્ઞાન થાય તે વૈજ્ઞાનિક સંબંધ કહેવાય. આ “વૈજ્ઞાનિક સંબંધથી તે અન્ય દેશી અને અન્યકાળસ્થ (ઘટ) વસ્તુનો કર્તા પણ થઈ જશે. આજ રીતે જો અનાગત કાળમાં બનનાર ઘટના કર્તા (કુંભકાર)નો વ્યપદેશ વર્તમાનમાં - ઘટ અનુરૂપ પિંડને બનાવનારમાં જો થઈ શકતો હોય તો ઉપરોક્ત હમણાં કહેલા વૈજ્ઞાનિક સંબંધથી આ ઘટ (મૃતિકા પિંડ) કર્તાને પટ કર્તા તરીકે પણ કહેવામાં કોઈ બાધ નહીં આવે. તે આ પ્રમાણે :- ઘટ બનાવતા વ્યક્તિને હું પૂર્વે વણકર હતો અથવા હું પટ બનાવીશ. એવું જ્ઞાન સ્લરે તો અતીત-અનાગતના વૈજ્ઞાનિક સંબંધથી તે પટ કર્તા પણ થયો અને આવો વ્યપદેશ કરીએ તો એક જ વ્યક્તિ સર્વ વસ્તુનો કર્તા થઈ જતાં લોક વ્યવહાર અટકી પડે. તેથી પૂર્વાપરના વિભાગથી રહિત તથા સર્વ વસ્તુગત જે વર્તમાન ક્ષણ છે તે જ સત્ય છે. અતીત-અનાગત અસતુ ૨. ચત્ પ્રત્ય" #.STAT ૨. તિ ન મુ(મ.) I રૂ. “તો માં..
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy