________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् पूर्वादीनां रचनाफलप्रकाशनम् •
२२७ ___ भा० एतेन पूर्वाणि वस्तूनि प्राभृतानि प्राभृतप्राभृतानि अध्ययनान्युद्देशाश्च व्याख्याताः ।। अथ पूर्वादिरचना किमर्था इत्येवमाशङ्कयेत ?। उच्यते- तत्रापि नान्यत् करणे प्रयोजनमस्ति, किन्त्वेतदेव, तदाह- एतेनेत्यादि । एतेनाङ्गोपाङ्गभेदप्रयोजनेन सुखग्रहणादिना पूर्वाणि दृष्टिपातान्तःपातीनि पूर्वं प्रणयनात्, वस्तूनि-पूर्वस्यैवांशोऽल्पः वस्तुनः प्राभृतमल्पतरं, प्राभृतात् प्राभृतप्राभृतमल्पतरं, ततोऽध्ययनं ग्रन्थतोऽल्पतरं, तत उद्देशकोऽल्पतर इति । व्याख्यातानीति । सुखग्रहणादि यदेवाङ्गोपाङ्गादिकरणे फलं तदेवात्रापीति ।।
सम्प्रत्येवं मन्यते पर:-श्रुतज्ञानस्य द्विविधादिकरणे सूक्तमनेन प्रयोजनं, यदुक्तं मया- कः पुनर्मतिज्ञान-श्रुतज्ञानयोर्विशेष इति, तत्रानेन साम्प्रतार्थग्राहि मतिज्ञानं त्रिकालविषयं तु श्रुतज्ञानमित्ययं विशेषो दर्शितः, तंत्रतावताऽप्यपरितुष्यन् विषयकृतं च साम्यमुभयोरस्तीति मन्यमानः अत्रावसरे
- હેમગિરા - ભાષ્યાર્થ:- આ અંગોપાંગ(ની રચનાનું પ્રયોજન) કહેવા થકી પૂર્વો, વસ્તુઓ, પ્રાભૂતો, પ્રાભૃતપ્રાભૂતો, અધ્યયન અને ઉદ્દેશાઓ(ની રચનાનું પ્રયોજન)ની પણ વ્યાખ્યા કરાઈ. તરવા તત્પર બને તો વચ્ચે જ તેનો રસ ભાંગી પડે. જો સરોવરાદિ હોય તો હજુ તરી શકે. એ જ રીતે મહાન એવી ગ્રંથરાશિ જો અંગોપાંગાદિ રૂપે પ્રવિભક્ત કરવામાં આવે તો નાની નદી અને તળાવને તરવાની જેમ ગ્રંથ અધ્યયન સુગમ બની જાય. તેથી અંગોપાંગાદિની રચના સાર્થક છે, અને જરૂરી છે.
શંકા - માની લીધું કે આ અંગોપાંગની રચના પ્રયોજન સહિતની આવશ્યક છે પણ પૂર્વ આદિ રચના શા માટે કરાઈ ?
સમાધાન :- પૂર્વ રચવામાંય બીજું કોઈ પ્રયોજન નથી પણ આ જ પ્રયોજન છે. અર્થાત્ અંગોપાંગ રચવાનું પ્રયોજન જેમ શિષ્યોને સુખપૂર્વક ગ્રહણાદિ થઈ શકે તે છે. તેમ પૂર્વો કે જે દૃષ્ટિવાદની અંતર્ગત છે તેની પણ રચના તે વખતના શિષ્યોને સુખેથી ગ્રહણાદિ થઈ શકે તે માટે જ છે. પૂર્વાદિમાં આદિ થી “વસ્તુ', “પ્રાભૃત', “પ્રાભૃતપ્રાભૃત', અધ્યયનો અને ઉદ્દેશાઓનું ગ્રહણ કરવું. પૂર્વનો એક અલ્પ અંશ તે વસ્તુ, અલ્પતર અંશ તે પ્રાભૃત, પ્રાભૃત થકી અલ્પ તે પ્રાભૃત-પ્રાભૃત, વળી તે (પ્રાભૃતપ્રાભૃત) ગ્રંથ કરતાં અધ્યયન નાનું હોય અને ઉદેશે એ અધ્યયન કરતાં ય અલ્પતર છે. સારાંશ એ કે અંગોપાંગનું પ્રયોજન કહીને પૂર્વથી માંડી ઉદેશાઓના પ્રયોજન વિશે પણ વ્યાખ્યા કરી દીધી છે. અર્થાત્ જે ફળ અંગોપાંગોનું છે તે જ ફળ પૂર્વાદિનું પણ છે તેમ સમજવું.
હવે કરાતા પ્રશ્ન(પ્રશ્નકાર)ની પૂર્વભૂમિકા –+ શ્રુતના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ દ્વિવિધ ઈત્યાદિ ભેદ કરવા અંગેનું પ્રયોજન અત્યાર સુધીમાં સારી રીતે ગ્રંથકાર વડે કહેવાયું. વળી મારા વડે જે પૂછાયું હતું કે મતિ-શ્રુતજ્ઞાનમાં વિશેષ અંતર શું છે? તેના જવાબમાં ય વર્તમાન અર્થગ્રાહી ૨. ત્રેવાડર TA. |