SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર સ્વર્ગગમન વીર સં૫૮૪માં થયું. વાચકશ્રી પણ ૧૦ પૂર્વધર હતા, એવું કેટલાક વિદ્વાનો માને છે. ૨. સામાન્યથી નિયમ છે કે “ગણધર ભગવંતો, પ્રત્યેકબુદ્ધ, ૧૪ પૂર્વધરો અને અંતમાં સંપૂર્ણ ૧૦ પૂર્વધરોનું રચેલું સૂત્ર જ વધુ પ્રમાણભૂત ગણાય છે. કેમકે ૧૦ પૂર્વધર ચોક્કસ સમ્યક્તી જ હોય એવું શાસ્ત્રીય વચન છે. એટલે તેમણે રચેલું સૂત્ર માન્ય કરવામાં કોઈ બાધા આવતી નથી. તત્ત્વાર્થ સૂત્ર દ્વાદશાંગીના એક વ્યવસ્થિત સાંગોપાંગ પ્રતિબિંબ રૂપ સૂત્ર છે અને તેને અત્યંત પ્રમાણિક ગણી તેના સાક્ષીપાઠો વિવિધ ગ્રંથોમાં અપાયા છે. તેથી પૂર્વાચાર્યોએ તેના કર્તા શ્રીમદ્ ઉમાસ્વાતિજીને ૧૦ પૂર્વી ગણ્યા હશે એવું અનુમાન થાય છે. ૩. જ્યારે વિભિન્ન દર્શનોમાં પોતપોતાના સિદ્ધાન્તોને પ્રતિપાદન કરવા માટે સંક્ષિપ્તસુત્ર શૈલીના ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયા એ કાલમાં જ જૈનદર્શનમાં તત્ત્વાર્થસૂત્રની રચના થઈ છે. યોગસૂત્ર - વિક્રમની પૂર્વેની સદીમાં અને ન્યાયસૂત્ર વિક્રમની પ્રારંભની સદીમાં રચાયાનું સંભળાયમનાય છે એ વાત પણ વાચકશ્રીના સમયની પુષ્ટિ કરે છે, કે વાચકશ્રી વિક્રમની આરંભમાં કે પૂર્વેની સદી (વી.સં.૪૩૧ થી ૫૮૪) માં થયા છે. વર્તમાન ઉપલબ્ધ (કોટિગણગત વયરી શાખાની) કલ્પસૂત્ર સ્થવિરાવલીની પટ્ટાવલીમાં ઉચ્ચનાંગરી શાખાના આચાર્યોની પરંપરાનો ઉલ્લેખ મળતો નથી. માત્ર ઉચ્ચનાગરી શાખાની ઉત્પત્તિનો જ નિર્દેશ છે. વાચકશ્રીના અને આચાર્યશ્રી સ્વાતિજીના નામાદિમાં ભેદ હોવા છતાં ૧૦ પૂર્વધર તરીકેની સામ્યતા હતી તેથી પઢાવલીકારે આચાર્યશ્રી સ્વાતિ માટે તત્ત્વાર્થસૂત્રકાર તરીકેની સંભાવના 9. ન્યૂનદશપૂર્વઘરેઃ શ્રી ઉમાસ્વાતિવાવવમુર્ણઃ (આચાર્યશ્રી લાવણ્યસૂરિજી કૃત તત્ત્વાર્થ ત્રીસૂત્રી ટીકાની પ્રસ્તાવનામાં તથા પ્રશમરતિ પ્રકરણની પં. શ્રી કુંવરજી આણંદજી કૃત પ્રસ્તાવનામાં) अर्थतस्तीर्थंकरप्रणीतं सूत्रतो गणधरोपनिबद्धं चतुर्दशपूर्वधरोपनिवद्धं दशपूर्वधरोपनिबद्धं प्रत्येकबुद्धोपनिबद्धं च प्रमाणभूतं सूत्रं भवतीत्यस्य प्रतिपादनार्थं दशपूर्विनमस्कारः कृतः, तथा चोक्तम्-“अर्हत्प्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्भदृब्धं च । स्थविरग्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम् ।।१ ।।” इति, अथवाऽन्यत्प्रयोजनम्-चतुर्दशपूर्विणश्च नियमेनैव सम्यग्दृष्टय इति” (श्री द्रोणाचार्यकृत ओघनियुक्तिटीका पृ.६) उक्तञ्चान्यत्र “चोद्दश दश य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा इति" () નામભેદ - વાચકશ્રી ઉમાસ્વાતિજી - આચાર્યશ્રી સ્વાતિજી. ૪. શ્વેતામ્બરીય પટ્ટાવલી ગોત્રભેદ - કૌભિષણી ગોત્ર - હારિતગોત્ર આચાર્યશ્રી સંભૂતિવિજયજી શાખાભેદ - ઉચ્ચનાગરી શાખા - નિર્ચથી શાખા સમયભેદ - વીર.સં.૪૭૧ પછી - વીરસં.૩૩પમાં આચાર્યશ્રી સ્થૂલભદ્રસૂરિજી ગુરુપરંપરાભેદ – આચાર્યશ્રી મહાગિરિજી - આચાર્યશ્રી સુહસ્તીજી આચાર્યશ્રી બહુલ આચાર્યશ્રી બલિસ્સહ ૩. પાક આચાર્યશ્રી સ્વાતિજી આચાર્યશ્રી સુસ્થિત * આચાર્યશ્રી સુપ્રતિબદ્ધ આચાર્યશ્રી વજસ્વામીજી (વજીશાખા) આચાર્યશ્રી વજસેનસૂરિજી આચાર્યશ્રી ચંદ્રસૂરિજી | (ચાંદ્રકુલ) આચાર્યશ્રી સામન્તભદ્રસૂરિજી (વનવાસી ગચ્છ) કોટિગણ શ્રી શ્યામાચાર્યજી આચાર્યશ્રી ઇંદ્રદિગ્નજી (પ્રજ્ઞાપનાના કર્તા) આચાર્યદિન્ન ૪. શ્રી શાન્નિશ્રેણિકજી આર્યશ્રીસિંહગિરિજી વાચકશ્રી શિવાર્ય (ઉચ્ચ નાગરી શાખા) | ૧૧અંગધારી આચાર્યશ્રી ઘોષનંદિ આચાર્યશ્રી વજસ્વામીજી વાચકશ્રી ઉમાસ્વાતિજી
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy