SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૨ કારણ કે દિગંબરોની આ વાત અયુક્ત ૧. આ શ્લોક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કૃત તત્ત્વાર્થસૂત્ર સંબંધી હોય તો આચાર્ય પૂજ્યપાદ તથા અકલંકદેવાદિ વડે પોતાની ટીકામાં અવશ્ય તેની વ્યાખ્યા કરવી જોઈતી હતી. ટીકાકારો પોતાની વ્યાખ્યામાં મઙગલાચરણ શ્લોકને જ ભૂલી જાય, એવું ક્યારે પણ ન બની શકે. શ્રી પૂજ્યપાદજીએ તથા શ્રી શ્રુતસાગરજીએ સર્વાર્થસિદ્ધિ અને શ્રુતસાગરીની પ્રારંભિક ઉત્થાનિકાથી સ્પષ્ટ દેખાડ્યું છે કે કોક ભવ્યના અનુરોધથી ઉમાસ્વાતિજીના મુખમાંથી સર્વપ્રથમ સભ્ય વર્શનજ્ઞાનારિત્રનિ મોક્ષમાń એ સૂત્ર નીકળ્યું હતું. શ્રી અકલંકદેવજી એ તો પોતાની ટીકામાં આ મંગલશ્લોકનું ગ્રહણ જ નથી કર્યું. આ પ્રસંગ ઉપરથી શ્રી પૂજ્યપાદજી એ કહેવા ઇચ્છે છે કે શ્રીમદ્ ઉમાસ્વાતિજીને મંગલાચરણ કરવાનો પ્રસંગ જ ઉપસ્થિત નથી થયો. ૨. ૩. દિગંબર વિદ્વાનો જે આચાર્ય વિદ્યાનંદજીના વચનો ટાંકીને આ શ્લોક તત્ત્વાર્થના મઙગલાચરણ રૂપે સિદ્ધ કરવા ઇચ્છે છે તે આચાર્યશ્રી વિઘાનન્દજી પોતે જ આ શ્લોકને તત્ત્વાર્થના મંગલ શ્લોક રૂપે નથી સ્વીકારતા, જો સ્વીકારતા હોય તો તત્ત્વાર્થસ્લોકવાર્તિકમાં આ મંગલ શ્લોકની વ્યાખ્યા અવશ્ય કરી હોત, અને એ ઉત્થાનિકાનો સ્વીકાર ન કર્યો હોત. ૪. વાસ્તવિકતા તો એવી ભાસે છે કે શ્વેતામ્બરોએ તો ભાષ્યને સ્વોપજ્ઞ સ્વીકાર્યુ હોવાથી મંગલાદિ મહત્ત્વની વાતો ભાષ્યની સંબંધ કારિકામાં આવી ગઈ, પણ દિગંબરો સામે વારંવાર આ પ્રશ્ન ઉભો થયો હશે કે તત્ત્વાર્થનો મંગલ શ્લોક કયો? કેમકે શિષ્ટપુરુષ રચિત ગ્રંથ મંગલ વિનાનો ન હોય માટે દિગંબરાચાર્યોએ આ સળગતાં પ્રશ્નોને શાન્ત કરવાં તત્ત્વાર્થની શરૂઆતમાં આ શ્લોકનો પ્રક્ષેપ કર્યો હશે. પ્રક્ષેપ કરવાથી મંગલની ખાલી જગ્યા પૂરાઈ ગઈ પણ અનુબન્ધચતુષ્ટયની જગ્યા તો ખાલી જ રહી છે. અનુબન્ધચતુષ્ટય વિનાનો એકલો મગલનો શ્લોક તે યોગ્ય ન ગણી શકાય. વળી દિગંબર ટીકાકારોએ કલ્પેલી ઉત્થાનિકામાં પણ અનુબન્ધ ચતુષ્ટયનો પૂર્ણતયા સમન્વય નથી થયો. ૬. = ૫. આપ્તપરીક્ષામાં શ્રી સામન્તભદ્રાચાર્યજીનો જે ઉલ્લેખ છે કે “તત્ત્વાર્થશાસ્ત્રના પ્રારંભમાં મુનીન્દ્ર (ચરમતીર્થપતિ મહાવીર સ્વામી) ની સ્તુતિના વિષયભૂત આ આપ્તપરીક્ષાની રચના વિવાદને દૂર કરવા માટે છે” આ ઉલ્લેખ જોતાં એવું અનુમાન થાય છે કે શ્રી સામંતભદ્રાચાર્યજીએ તત્ત્વાર્થના સ્વોપજ્ઞભાષ્ય ઉપર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું છે. કારણ કે સ્વોપજ્ઞભાષ્યની સંબંધકારિકામાં વિસ્તારથી ભગવાનમહાવીર સ્વામી (મુનિઓમાં ઇન્દ્ર એવા)ની સ્તુતિ કરી છે એ મુનીન્દ્ર (મહાવીર સ્વામી)ની સ્તુતિના વિષય(Subject) તરીકે આ આપ્તપરીક્ષા ગંધહસ્તિ મહાભાષ્યની શરૂઆતમાં હશે... દિગંબરો પાસે તત્ત્વાર્થસૂત્રનો કોઈ મંગલ શ્લોક જ ન હતો અને એથી વિઘાનન્દજી આપ્તપરીક્ષાની પોતાની ટીકામાં એ મંગલ શ્લોક ન બતાવી શક્યા કે જેના ઉપર આ આપ્તપરીક્ષા રચાઈ. તેમજ મોક્ષમાર્ગસ્વ જ્ઞાતારં પદ વાળા શ્લોકને પણ તેમણે આઘ મ§ગલ શ્લોક તરીકે નહિં સ્વીકાર્યો હોય, જો સ્વીકાર્યો હોત તો તત્ત્વાર્થવાર્તિકમાં અવશ્ય મંગલશ્લોકની પણ વ્યાખ્યા કરી હોત અને આપ્તપરીક્ષામાં પણ એ મંગલશ્લોકનો ઉલ્લેખ કર્યા વિના ન રહ્યા હોત... १. द्वैयाकनाम्ना भव्यवरपुण्डरीकेण सम्पृष्टः 'भगवन्, किमात्मने हितम् ?' इति । प्रश्ने सूत्रमिदमाचार्याः प्राहुः- सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । (श्रुतसागरीटीका पृ.१) ૨. વિષયશ્વાઽધિારી હૈં, સમ્બન્ધન્ય પ્રયોગનમ્ । વિનાઽનુવન્ધ પ્રગ્ન્યા, મક્ાનું નૈવ શસ્યતે ।।9 || 1
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy