SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • શ્રી સામંતભદ્રાચાર્યજીનો જે સમય કહેવાય છે, તે જ સમય શ્રી મુનિચંદ્રસૂરિકૃત ગુર્નાવલી આદિ ગ્રંથોમાં નિર્દિષ્ટ થયેલ છે. • તથા શ્રી સામંતભદ્રાચાર્યના સાહિત્યમાં તીર્થંકરની સાક્ષરીવાણી ભૂમિવિહાર, તપસ્યા વગેરે વિધાનો શ્વેતાંબર માન્યતાની જ પુષ્ટિ કરે છે. તથા કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી તથા આચાર્યશ્રી મલયગિરિજી મહારાજ પોતાના સાહિત્યમાં આચાર્ય શ્રી સામન્તભદ્રસુરિજીને મહાન ઑતિકાર તરીકે ઓળખાવે છે. અનેકાન્ત જયપતાકામાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સ્વોપલ્લવૃત્તિમાં “વાદી મુખ્યશ્રી સામંતભદ્રાચાર્યનો Vઉલ્લેખ કર્યો છે. તેમના રચેલા જીવસિદ્ધિ, તત્ત્વાનુશાસન (અપરના આત્માનુશાસ્તિ), કર્મપ્રાભૃતટીકા વગેરે ગ્રંથો હતાં જે વર્તમાનમાં અનુપલબ્ધ છે. *આત્માનુશાસ્તિ ગ્રંથનો ઉલ્લેખ અનુયોગદ્વાર સૂત્ર ૨૦ માં મળે પણ છે. આચાર્ય શ્રી સામતભદ્રજીત ગંધહસ્તિ મહાભાષ્યના “મહા” શબ્દથી જ સ્વોપજ્ઞ લઘુભાષ્યના અસ્તિત્વનો સ્વીકાર થઈ જાય છે. અને જે રીતે ભાષ્યને માન્ય સૂત્રપાઠને અનુસરનારી ભાષ્ય ઉપરની હારિભદ્રીયાદિ ટીકાઓ રચાઈ તે જ રીતે આચાર્યશ્રી સામન્તભદ્રાચાર્યકત ગંધહસ્તિ મહાભાષ્ય પણ ભાષ્ય માન્ય પાઠ ઉપર જ રચાયું હશે. એનું કારણ એ છે કે ગંધહસ્તિ મહાભાષ્યના ઉલ્લેખો અન્ય દિગંબર ગ્રંથોમાં પ્રાપ્ત થવા છતાં તત્ત્વાર્થસત્રના મૂર્ધન્ય દિગંબર ટીકાકાર આચાર્ય પુજ્યપાદ દેવનંદિ તથા આચાર્ય વ. જેવા પોતાની ટીકામાં ક્યાંય પણ ગંધહતિ મહાભાષ્યનો ઉલ્લેખ નથી કરતાં. ઉલ્લેખની વાત તો દૂર રહી પણ આચાર્ય શ્રી સામન્તભદ્રાચાર્યનું નામ પણ લેતા નથી દગંબરોમાં એવો પ્રવાદ છે કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રના મગલાચરણરૂપ મોક્ષમાર્ચ નેતાર, મેત્તર મૃતાત્ જ્ઞાતારું વિશ્વતત્ત્વોનાં, વત્તે ત થ્વયે આ શ્લોક બનાવ્યો હતો. આ મંગલ શ્લોકના વ્યાખ્યાનરૂપે જ ગંધહસ્તિ મહાભાષ્ય અંતર્ગત આપ્તમીમાંસાની રચના શ્રી સામન્તભદ્રાચાર્યજી એ કરી હતી અને આ વાતને સિદ્ધ કરવા પં.શ્રી દરબારીલાલ કોઠીયા – પં. શ્રી ઉદયચન્દ્ર વગેરે દિગંબર વિદ્વાનો આચાર્યશ્રી વિદ્યાનન્દજીના વચનોનો પ્રમાણરૂપે હવાલો આપે છે. ૧. સિવિનામૂરિ, ૧૪. વાડ સમો ચંદ્રસૂરિ પંસો T9 Tી સામંતસૂરિ, સૌનસમોડરજીવાસ Tદ્દ | टीका - सामंतभद्दति, श्री चंद्रसूरिपट्टे षोडशः श्री सामंतभद्रसूरिः । स च पूर्वगत-श्रुतविशारदो वैराग्यनिधिर्निर्ममतया देवकुलवनादिष्वप्यवस्थानात्. लोके वनवासीत्युक्तस्तस्माच्चतुर्थं नाम वनवासीति प्रादुर्भूतं ।।६।। (धर्मसागरीयपट्टावली गा.६) श्रीवज्रशाखाधुरिवज्रसेनानागेन्द्रचन्द्रादिकुलप्रसूतिः । चान्द्रे कुले पूर्वगतश्रुतादयः सामन्भद्रो विपिनादिवासी ।।९।। (गुणरत्नसूरिजीकृत गुरुपर्वक्रमे) ૨. સ્વયંભૂસ્તોત્ર શ્લોક ૪, ૭૪, ૧૦૭, | ૩. સ્વયંભૂસ્તોત્ર શ્લોક ૨૯, ૧૦૮, ૧૧૮ ૫૮ ૪. સ્વયંભૂસ્તોત્ર શ્લોક ૮૩. ५. आह च वादिमुख्य :- “बोधात्मा चेच्छब्दस्य न स्यादन्यत्र तच्छृतिः। यद्बोद्धारं परित्यज्य न वोधोऽन्यत्र गच्छति ।। . न च स्यात् प्रत्ययो लोके यः श्रोत्रा न प्रतीयते । शब्दाभेदेन सत्येवं सर्वः स्यात् परचित्तवित् ।। ટીકા - સાદ વરિપુર્ણ:-સમન્તમદ્ર: (તિ કાન્તનયપતાવિયા” પૃ. ૩૭૫) ६. से किं तं संजूहनामे? संजूहनामे-तरंगवतिकारे मलयवतिकारे अत्ताणुसट्टिकारे बिंदुकारे से तं संजूहनामे । टीका - संवूहतद्धितनाम तरंगवतिकार इत्यादि । संवूहो ग्रन्थसंदर्भकरणम्, शेषं पूर्ववद् भावनीयम्। (अनुयोगद्वारसूत्र-२०) । ७. “शास्त्रावताररचितस्तुतिगोचराप्तमीमांसितस्तुतिरलक्रियते मयाद्य इति तत्वार्थशास्त्रादौ मुनीन्द्रस्तुतिगोचरा प्रणीताप्तपरीक्षेयं विवाद विनिवृत्तये (आप्तपरीक्षा) (अष्टसहस्री) 5. શ્રી સામંતભદ્રાચાર્યજીની કૃતિઓમાં “રત્નકરંડ શ્રાવકાચાર'નું પણ નામ જોડવામાં આવે છે. પરંતુ તે કુન્દકુન્દ “શ્રાવકાચાર” અને ઉમાસ્વાતિ “શ્રાવકાચાર'ની પેઠે તેમના નામ પર ચડાવી દીધેલ હોય એમ લાગે છે. અથવા કોઈ લઘુમંતભદ્રજીએ તે રત્નકરંડકગ્રંથને બનાવ્યો હશે.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy