SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ • મતિ-સ્મૃતિજ્ઞાનસ્વરુપયોતન तत्त्वार्थाधिगमसूत्रम् १/१३ यच्च प्रतीतं न तस्य लक्षणमाचक्षते विचक्षणाः, नहि हुताशनस्योष्णतालाञ्छनमत्यन्तप्रतीतत्वादभिदधते विद्वांसः, किं तर्हि सूत्रेण प्रतिपादयति? उच्यते- लक्षणं, द्विविधं तत्स्थमतत्स्थं चेति, तत्स्थमग्नेरौष्ण्यवत्, अतत्स्थं वारिणो बलाकादिवत्, मतिज्ञानस्य लक्षणं यत्तत्स्थं न पुनस्ततो ज्ञानादिभिन्नमित्येतदादर्शयति सूत्रेण ।। __मतिः स्मृति: संज्ञेत्यादि । अत एव च ज्ञानशब्दं प्रत्येकं लगयति- मतिज्ञानं स्मृतिज्ञानमित्यादि । येयं मतिः सैव ज्ञानमित्यस्य ख्यापनार्थं मननं मतिस्तदेवज्ञानं मतिज्ञानमिति । मतिज्ञानं नाम यदिन्द्रियानिन्द्रियनिमित्तं वर्तमानकालविषयपरिच्छेदि । स्मरणं स्मृतिः सैव ज्ञानं स्मृतिज्ञानं, तैरेवेन्द्रियैर्यः परिच्छिन्नो विषयो रूपादिस्तं यत् कालान्तरेण विनष्टमपि स्मरति तत् स्मृतिज्ञानम्, अतीतवस्त्वालम्बनमेककर्तृकं चैतन्यपरिणतिस्वभावं मनोज्ञानमितियावत् । - હેમગિરા - પ્રતીત હોવાથી વિદ્વાનો ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ છે, એમ ન ઉચ્ચારે. # લક્ષણના બે પ્રકારને ઓળખીએ , શંકા - તો તમે સૂત્ર વડે શું પ્રતિપાદન કરવાના છો ? સમાધાન :- લક્ષણ બે પ્રકારના છે. ૧. તથં (તસ્મિનું તિષ્ઠતીતિ) ૨. તિક્ષ્ણ (ન તથમિતિ) (૧) “ઉષ્ણતાવાળો અગ્નિ- અગ્નિમાં સદાના માટે રહેતી ઉષ્ણતાને તલ્ય લક્ષણ કહેવાય. અને (૨) “બક-બગલા આદિ વાળ સરોવર'- આ બક-બગલા આદિ સદા પાણીમાં નથી હોતા તેથી આને અતસ્થ લક્ષણ કહેવાય. ઉષ્ણતા (લક્ષણ) એ અગ્નિ (લક્ષ્ય)ને, અગ્નિ સાથે રહીને ઓળખાવે છે તેથી તત્સ્ય લક્ષણ કહેવાય છે. હંસ વગેરે લક્ષણ એ સરોવર (પાણી) લક્ષ્યની સાથે તાદાભ્ય રૂપે રહ્યા વિના તે સરોવરને ઓળખાવે છે તેથી અતસ્થ લક્ષણ કહેવાય છે. મતિજ્ઞાનનું જે તસ્થ લક્ષણ છે, તે જ્ઞાનથી ભિન્ન નથી પણ અભિન્ન છે. તેથી અહીં સૂત્રનાં માધ્યમ તત્ત્વ લક્ષણ એકાર્થિક નામરૂપે હમણા કહીએ છીએ. મતિ વગેરે (એકાર્થિક) બધાંય જ્ઞાન સ્વરૂપ છે. એ જ જણાવવાં ભાષ્યકાર દરેક સાથે “જ્ઞાન” શબ્દને જોડે છે. * મતિજ્ઞાનના પર્યાયવાચી નામો # ૧) જે આ મતિ છે તે જ જ્ઞાન છે એવું જણાવવા “મનન કરવું તે મતિ’ અને ‘તે મતિરૂપ જે જ્ઞાન તેજ મતિજ્ઞાન એવો વિગ્રહ “મતિજ્ઞાન' પદનો કરવો. મતિજ્ઞાન એટલે ઈન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તે થનારું, વર્તમાન કાળના વિષયનું બોધક. ૨) સ્મરણ કરવું તે સ્મૃતિ, સ્મૃતિ એ જ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન. તે જ ઈન્દ્રિયોથી જે રૂપ-રસાદિ વિષયનું જ્ઞાન થયુ હતું તે જ્ઞાન કાલાન્તરે નાશ પામ્યા બાદ ફરી એનું જે સ્મરણ તે સ્મૃતિજ્ઞાન છે. આશય એ કે પૂર્વે જે વસ્તુનું આલંબન લીધેલું તેનો જ્ઞાતા અને વર્તમાનનો સ્મર્તા- ઉભય એક કર્તારૂપ છે. આવું એક કર્વક ચૈતન્ય પરિણતિના સ્વભાવવાળું મનોજ્ઞાન એ સ્મૃતિજ્ઞાન છે. ૩) ઈન્દ્રિયો વડે અનુભૂત વિષયને ફરી જોઈને “તે જ આ વસ્તુ છે કે જે મેં સવારે જોઈ હતી” એવું જે જ્ઞાન થાય, તે સંજ્ઞાજ્ઞાન કહેવાય. ૪) આગામી
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy