________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• સંજ્ઞા-વિન્તામિનિવોધિજ્ઞાનનક્ષળમ્
१८३
संज्ञाज्ञानं नाम यत्तैरेवेन्द्रियैरनुभूतमर्थं प्राक् पुनर्विलोक्य स एवायं यमहमद्राक्षं पूर्वाह्ण इति संज्ञाज्ञानमेतत्। चिन्ताज्ञानमागामिनो वस्तुन एवं निष्पत्तिर्भवति अन्यथा नेति, यथैवं ज्ञानादित्रयसमन्विते अत्रैव परमसुखावाप्तिरन्यथा नेत्येतच्चिन्ताज्ञानं मनोज्ञानमेव । आभिनिबोधिकम् अभिमुखो निश्चितो यो विषयपरिच्छेदः सर्वैरेवैभिः प्रकारैस्तदाभिनिबोधिकमिति । यदा चैतल्लक्षणसूत्रं तदा इतिशब्द एवमित्यस्यार्थे, एवंलक्षणमेभिः पर्यायैर्निरूपितं मतिज्ञानं ज्ञेयमिति । एवमेतत् कियताऽप्यंशेन भेदं प्रतिपद्यमानमनर्थान्तरमिति व्यपदिशति । नैषां मतिज्ञानंविरहितोऽर्थो विकल्पनीय इति ।
'अपरे तु सर्वे पर्यायशब्दा एवैते शतक्रतु-शक्रादिशब्दवदिति मन्यन्ते, नात्र भेदेनार्थः कल्पनीय इति । तथा चास्य सूत्रस्य पूर्वपक्षमन्यथा रचयन्ति एवं लोके स्मृतिज्ञानं अतीतार्थपरिच्छेदि सिद्धम् संज्ञाज्ञानं वर्त्तमानार्थग्राहि, चिन्ताज्ञानमागामिकालविषयमिति, इह तु सिद्धान्ते आभिनिबोधिकज्ञान→ હેમગિરા
(ભાવિ) કાળ સંબંધી વસ્તુની આ રીતે જ નિષ્પત્તિ થાય છે, બીજી રીતે નહીં. એવું જે જ્ઞાન તે ચિંતા જ્ઞાન. જેમકે- આ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી જે યુક્ત છે તેમને જ પરમસુખની પ્રાપ્તિ થાય છે, અન્યથા (રત્નત્રયીના અભાવમાં) સુખ ન થાય. એવું જે જ્ઞાન એ ચિન્તાજ્ઞાન છે. આ જ્ઞાન પણ એક પ્રકારનું મનોજ્ઞાન રૂપ જ છે.
: ૫) આભિનિબોધિક :- આભિનિબોધિકપદમાં ‘અભિ’ અભિમુખના અર્થમાં તથા ‘ની’ નિશ્ચિતના અર્થમાં સમજી અર્થ આ પ્રમાણે કરવો + અભિમુખ એટલે યોગ્યદેશમાં રહેતી વસ્તુ ને અપેક્ષીને તથા નિશ્ચિત એટલે ઈન્દ્રિયને આશ્રયી સ્વસ્વ વિષય ને અપેક્ષીને થતો બોધ અભિનિબોધ છે, અહીં સ્વાર્થમાં ‘ક’ પ્રત્યય લાગવાથી “આભિનિભોધિક” એવું નામ બન્યું. જો આ સૂત્રને લક્ષણ-સૂત્ર તરીકે લઈએ તો ‘તિ’અવ્યય ‘ત્ત્વમ્’ના અર્થમાં સમજવો અને અર્થ આ પ્રમાણે કરવો :- આ પ્રમાણે (મતિ, સ્મૃતિ આદિ) પર્યાયો વડે નિરૂપિત (=ઓળખાતું) મતિજ્ઞાન આવા પ્રકારના (મતિ, સ્મૃતિ આદિ) લક્ષણવાળુ જાણવું.
* સ્મૃતિ આદિ જ્ઞાનની એકાર્થકતા
આ પ્રમાણે કાંઈક અંશે ભિન્નાર્થક હોવા છતાં આ‘મતિ’ આદિ નામો અનર્થાન્તર (એકાર્થિક) રૂપ જ છે. અર્થાત્ આ બધા નામોને મતિજ્ઞાનથી રહિત અર્થવાળા ન સમજવા. બીજા કેટલાંક આ મતિ આદિ સર્વ પર્યાયવાચિ નામોને શતક્રતુ, શક્ર, ઈન્દ્ર આદિ શબ્દની જેમ એક જ અર્થવાળા માને છે, પણ અર્થ ભેદ માનતા નથી. વળી કેટલાક આ સૂત્રનો અન્ય રીતે પણ પૂર્વપક્ષ રચે છે. તે આ રીતે → લોકમાં સ્મૃતિજ્ઞાન અતીત-વિષયના પરિચ્છેદક તરીકે સિદ્ધ છે, સંજ્ઞા જ્ઞાન એ વર્તમાન અર્થ-ગ્રાહી અને ચિન્તાજ્ઞાન એ આગામી કાળના વિષયના બોધક તરીકે સિદ્ધ છે.. જ્યારે અહીં સિદ્ધાંતમાં તો અભિનિબોધિકજ્ઞાન જ કહેવાયું છે. સ્મૃતિ આદિ નથી કહેવાયા. છુ. તત્રેવ મુ.(ä,માં)૨૫ ૨. વિરહોડર્ન સ્વનીય માં./ રૂ. સર્વપŕવં.માં./ T. ટિ.૨૨।