________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા •
૬. વાચકશ્રીની નમ્રતા ૫૦૦ ગ્રંથોના પ્રણેતા હોવા છતાં એમની કેટલી ઉચ્ચકક્ષાની નમ્રતા હતી કે જેના કારણે પોતે પ્રશમરતિ પ્રકરણમાં કહે છે કે જેમ એક ભિખારી જ્યાં ત્યાં વેરાયેલા દાણા શોધી શોધીને વીણી લાવવા મોટા મોટા શહેરોમાં પ્રવેશ કરવાની લાલચ ધરાવતો હોય તેમ શાસ્ત્રવૈભવ અને બુદ્ધિવૈભવ વિનાનો હું મારી શક્તિનો વિચાર કર્યા વિના જ તેના અંશો શોધી શોધીને એકત્રિત કરવા માટે તે સર્વજ્ઞશાસન રૂપ શહેરમાં પ્રવેશ કરવાને લલચાઈ રહ્યો છું.” તથા છેલ્લે કહે છે કે છંદશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આગમશાસ્ત્રમાં કહેલ અર્થથી જે વિપરીત મારાથી કહેવાયું હોય, તે પુત્રના અપરાધની માફક સજ્જન પુરુષોએ મારી તમામ સ્કૂલનાઓ નભાવી લેવી અને ક્ષમા આપવી.
૭. શ્રીમદ્ વાચક ઉમાસ્વાતિજીનો સમય પ્રશસ્તિના પાંચમા શ્લોકના કથન મુજબ શ્રીમદ્ ઉમાસ્વાતિજી ઉચ્ચનાગરી શાખાના હતા. આર્ય સુસ્થિતથી કોટીગણ નીકળ્યો. તેમાંથી ચાર શાખા નીકળી. (૧) ઉચ્ચનાગરી (૨) વિદ્યાધરી (૩) વૈરી(વજી) (૪) માધ્યમિકા. એમાં કોટીગણની પ્રથમ શાખા ઉચ્ચનાગરી હતી. તેમાં શ્રીમદ્ ઉમાસ્વાતિજી થયા. કલ્પસૂત્રમાં આર્ય શાન્નિશ્રેણિકથી આ શાખા પ્રારંભ થયાનો ઉલ્લેખ મળે છે. આર્ય સુહસ્તિસૂરિજી વીર સં. ૨૯૧માં વર્ષે સ્વર્ગે ગયા. તેમનાથી ચોથી પેઢીએ આ શાખા નિકળી. એક પેઢી દીઠ લગભગ ૪૫ વર્ષ ગણવામાં આવે તો પણ ૪૭૧ વર્ષે આ શાખા નિકળ્યાનું અનુમાન કરી શકાય. અને તે શાખામાં શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજ થયા. એટલે વીર સં. ૪૭૧ વર્ષની પહેલા તો નથી થયા, પણ, પછી જ થયા છે. એ નક્કી થયું, તત્ત્વાર્થ સૂત્ર ઉપર યાકિનીમહત્તરારૂનુશ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકા વિ.સં. ૧૦૦૦ માં વર્ષે પરચાઇ તેથી ૪૭૧ અને ૧૦૦૦ એ બે વચ્ચે પર૯ વર્ષનું આંતરુ છે.
હિમવદ થેરાવલીના ઉલ્લેખ મુજબ વીર સં.૮૫૦માં થએલ તૃતીય આગમ વાચનામાં આચાર્યશ્રી ગંધહસ્તીજીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર ગંધહસ્તી મહાભાષ્ય રચ્યું હતું. એની અપેક્ષાએ આ પ૨૯ વર્ષના લાંબા આંતરામાંથી હજુ ૧૫૦ વર્ષનો સંકોચ કરી શકાય છે તેમજ • આપ્તમીમાંસા, યુજ્યનુશાસન, બૃહસ્વયંભૂ સ્તોત્ર આદિ ગ્રંથોના પ્રણેતા આચાર્યશ્રી સામતભદ્રજીસૂરિ
१. “श्रुतबुद्धिविभवपरिहीणस्तथाप्यहमऽशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः" ।।४।। २. “यच्चाऽसमंजसमिह छन्दः-शब्द-समयाऽर्थतो मयाऽभिहितम् । पुत्राऽपराधवत् तन्मर्षयितव्यं बुधैः सर्वम् ।।३१२ ।। (प्रशमरतौ) ३. “थेरेहिंतो सुट्ठियसुप्पडिबद्धेहिंतो वग्घावच्चसगुत्तेहिंतो इत्थ णं कोडियगणे नामं गणे निग्गए, तस्सणं इमाओ चत्तारि साहाओ, . चत्तारि कुलाई एवमहिज्जंति । से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जंति तं जहा -' उच्चनागरि २. विज्जाहरि य ३. . वइरी य ४. मज्झिमिल्ला य । कोडिगणस्स एया, हवंति चत्तारि साहाओ से तं साहाओ" (कल्पसूत्रे स्थविरावल्याम पृ.२१९) ४. “थेरेहितो णं अज्जसंतिसेणिएहिंतो एत्थ णं उच्चनागरी साहा निग्गया । (कल्पसूत्रस्थविरावल्याम् पृ.२१४ ।) ૫. ૧૪૪૪ ગ્રંથપ્રણેતા યાકિનીમહત્તરાસૂનુ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૧૮૦ વર્ષ થયા છે. આ અંગે વિશેષ
જાણકારી માટે શ્રી હરિભદ્રસૂરિજી કૃત શાસ્ત્રવાર્તા-સમુચ્ચય અને એની વ્યાખ્યા “સ્યાદ્વાદકલ્પલતાના હિન્દી વિવેચન ભા.૧
માં પૂ. તાર્કિક શિરોમણિ આચાર્યદેવશ્રી જયસુંદરસૂરિજી કૃત “ભૂમિકા” નામના નિબંધ ને જોઈ લેવા ખાસ ભલામણ છે. ६. आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीवविद्वांसः प्रभावकाश्चाभवन् । तैश्च पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकविरचिततत्त्वार्थोपरि • अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम् (हिमवद थेरावली पृ.९)
.