SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ • मनःपर्यायेषुभावमनसः पर्यायानां ज्ञानम् · तत्त्वार्थाधिगमसूत्रम् १/९ अवधिज्ञानमिति । अवशब्दोऽधः शब्दार्थः, अवधानादवधिः, ज्ञानं परिच्छेदः एतदुक्तं भवति'अधोविस्तृतविषयमनुत्तरोपपादिकादीनां ज्ञानमवधिज्ञानम्, यतो बहुत्वं च विषयस्योररीकृत्यैवं व्युत्पत्तिः अन्यथा तिर्यगूर्ध्वं वा विषयं परिच्छिन्दानस्यावधिव्यपदेशो न स्यात् । अथवा अवधिः = मर्यादा, अमूर्तद्रव्यपरिहारेण मूर्तिनिबन्धनत्वादेव तस्यावधिज्ञानत्वम् । तच्च चतसृष्वपि गतिषु जन्तूनां वर्तमानानामिन्द्रियनिरपेक्षं मनःप्रणिधानवीर्यकं प्रतिविशिष्टक्षयोपशमनिमित्तं पुद्गलपरिच्छेदि देवमनुष्य-तिर्यङ्-नारकस्वामिकमवधिज्ञानमिति । अवधिश्च स तज्ज्ञानं च तदित्यवधिज्ञानम् । मनःपर्यायज्ञानमिति। मनोद्विविधं द्रव्यमनो भावमनश्च तत्र द्रव्यमनो मनोवर्गणा, भावमनस्तु ता एव वर्गणा जीवेन गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते । तत्रेह भावमनः – હેમગિરા - * અવધિ જ્ઞાનની ઓળખ અવધિજ્ઞાન :- અવ શબ્દ અધઃ = નીચે એવા અર્થને જણાવે છે. અર્થાત્ નીચે નીચેના વિષયનું અવધારણ = અવધિ અને જ્ઞાન = પરિચ્છેદ. ભાવાર્થ આ પ્રમાણે :- અનુત્તર વિમાનવાસી આદિ દેવોને નીચેના વિભાગનું વિસ્તારથી જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન છે. વ = ધઃ એ વ્યુત્પત્તિ વિષયની બહુલતાને લઈને સમજવી. અનુત્તરવાસી દેવો લોકના સહુથી ઉપરીસ્થાને રહ્યાં હોવાથી તેમના અવિધવિજ્ઞાનની નીચેની વિષયતા સામાન્યથી બહુ છે. વિષયની બહુલતાને આશ્રયીને જ આ વ્યુત્પત્તિ સમજવાની છે અન્યથા જો એકાંતે આવો અર્થ અવધિનો કરવામાં આવે તો તિર્કી અથવા ઉર્ધ્વદિશામાં રહેલ વિષયોનો બોધ જે અવધિજ્ઞાનીને થાય છે, તેના માટે ‘અવધિ’ શબ્દ નહીં ઘટે. અથવા અવિધનો ‘મર્યાદા’ અર્થ કરવો. અમૂર્ત દ્રવ્યનો પરિહાર કરી મૂર્ત દ્રવ્યો સુધીનું જ જ્ઞાન કરાવે તે અવધિજ્ઞાન. આ જ્ઞાન ચારે ગતિમાં વર્તતા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક જીવોના સ્વામિત્વવાળું, ઈન્દ્રિયથી નિરપેક્ષ, મનના પ્રણિધાનના બળે થનારું છે. અર્થાત્ અવિધનો ઉપયોગ મૂકવા પૂર્વે મનથી પ્રણિધાન કરવું પડે છે. એક વિશિષ્ઠ ક્ષયોપશમના નિમિત્તે થનારું, પુદ્ગલ (રૂપી) માત્રનું પરિચ્છેદક. આ જ્ઞાન ચારેગતિમાં વર્તતા જીવોને થાય છે. ‘લધિજ્ઞાન' પદમાં પણ પૂર્વની જેમ વિશેષણ વિશેષ્ય રૂપ કર્મધારય સમાસ કરવો. * મન:પર્યાયજ્ઞાનનો પરિચય મનઃ પર્યાયજ્ઞાન :- મન બે પ્રકારે છે. ૧. દ્રવ્યમન ૨. ભાવમન. દ્રવ્યમન :- મનોવર્ગણા તથા ભાવમન :- ગ્રહણ કરાએલી આ જ મનોવર્ગણા જીવ વડે જ્યારે વિચારાય, ચિંતવાય ત્યારે તે ભાવમન કહેવાય. અહીં મન:પર્યાયજ્ઞાનમાં મન તરીકે ‘ભાવમન’નું ગ્રહણ કરવું. આ ભાવમનના જે પર્યાય તે મનઃપર્યાય. જેમકે કોઈ વ્યક્તિ-વિશેષ એવું વિચારે કે “આત્મા કયા સ્વભાવનો હોય ?” “સુખાદિનો કર્તા-ભોક્તા અનુભવ કરનાર, જ્ઞાન સ્વભાવવાળો અમૂર્ત હોય છે” ઈત્યાદિ પર . અધોડધોવિસ્તૃ TA.| १६० =
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy