SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मतिज्ञानस्य विग्रहोपदर्शनम् • १५९ वस्तुस्वरूपावधारणमित्यर्थः । मतिज्ञानं, मतेर्ज्ञानमिति समासो नैव कार्यः, मतेर्ज्ञानं किं ? येन सा गृह्यते, सा च गृह्यते केवलादिना, ततश्चोत्तरपदार्थप्राधान्यात् तत्पुरुषस्य तन्मात्रग्रहणं स्यात्, नत्विन्द्रियानिन्द्रियनिमित्तमिति, तस्मात् ज्ञानशब्दो व्यभिचारी सामान्यज्ञानवाचकः सन्निन्द्रियानिन्द्रियनिमित्तोपजातया मत्या समानाधिकरणतया विशेष्यते, मतिश्च सा ज्ञानं च मतिज्ञानम् । तच्च श्रोत्रेन्द्रियव्यतिरिक्तं चक्षुरादीन्द्रियानक्षरोपलब्धिर्या तन्मतिज्ञानम् । श्रुतज्ञानमिति । श्रूयते तदिति, अस्मिन् पक्षे शब्दमात्रं गृह्यते, श्रुतिः श्रवणमित्यस्मिन् पक्षे ज्ञानविशेष उच्यते, स एव च ग्राह्यः श्रुतमित्यनेन । कीदृशः स इति चेत्? उच्यते- शब्दमाकर्णयतो भाषमाणस्य पुस्तकादिन्यस्तं वा चक्षुषा पश्यतः घ्राणादिभिर्वा अक्षराणि उपलभमानस्य यद् विज्ञानं तत् सर्वं श्रुतमुच्यते, तेन ज्ञानं विशेष्यते, श्रुतं च तज्ज्ञानं चेति श्रुतज्ञानम् । - હેમગિરા - સ્વરૂપને અવધારણ કરવું તે જ્ઞાન. મતિજ્ઞાનં પદમાં “મતિનું જ્ઞાન” આવો ષષ્ઠિ તપુરુષ સમાસ ન કરવો. સમાનાધિકરણ કર્મધારય સમાસ કરવો. જો ષષ્ઠિતપુરુષ સમાસ કરીએ તો એ સમાસ ઉત્તર પદ પ્રધાન હોવાથી “જ્ઞાન” એ પ્રધાન રહેશે, અને તેથી ઈન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તાવાળી મતિએ ગૌણ બની જવાથી જ્ઞાનમાત્રનું ગ્રહણ થશે. અને જ્ઞાન તો કેવલાદિ રૂપ પણ છે. તેથી વ્યભિચાર આવે. વળી મતિનું જ્ઞાન એમ કહેતાં, “મતિ જે જ્ઞાન વડે ગ્રહણ કરાય છે તે મતિનું જ્ઞાન' એવો અર્થ થશે અને તે અર્થથી તો કેવલાદિ વડે પણ મતિનું ગ્રહણ કરાય છે તો કેવલાદિને પણ મતિના જ્ઞાન તરીકે માનવા પડશે. કારણ કે મતિ (છદ્મસ્થમતિજ્ઞાની)ના જ્ઞાન (વિચારો)ને કેવલી આદિ (અંશતઃ મનપર્યાય અવધિ) જ્ઞાનીઓ જાણે છે. તેથી “મતિનું જ્ઞાન એમ તપુરુષ સમાસ ન કરતાં મતિ એવું જે જ્ઞાન તે મતિજ્ઞાન એમ સમાનાધિકરણ કર્મધારય સમાસ કરવો ઉચિત છે. અર્થાત્ ઈન્દ્રિય – અનિન્દ્રિય નિમિત્તે ઉત્પન્ન થનાર મતિ સાથે સમાનાધિકરણ તરીકે જ્ઞાન પદને વિશેષિત કરી અર્થ કરવો કે- “મતિ એવું જ્ઞાન તે મતિજ્ઞાન”. શ્રોત્રેન્દ્રિય સિવાય ચક્ષુ આદિ ઇન્દ્રિયથી થતી જે અનક્ષર જ્ઞાનની ઉપલબ્ધિ તે મતિજ્ઞાન છે. * શ્રુતજ્ઞાનનું લક્ષણ શ્રુતજ્ઞાન :- “સંભળાય તે શ્રુતઆ વ્યુત્પત્તિ-પક્ષ વ્યુત્પત્તિમાં સંભળાતા શબ્દ માત્રનું ગ્રહણ થાય છે. જયારે “શ્રવણ કરવું તે શ્રુતિ” આ પક્ષમાં જ્ઞાન વિશેષનું ગ્રહણ કર્યું છે. અર્થાત્ તે જ્ઞાન વિશેષને જ શ્રુતપદથી ગ્રહણ કરવું. પ્રશ્ન :- તે જ્ઞાન વિશેષ કેવા પ્રકારનું છે ? જવાબ:શબ્દને સાંભળનારનું, બોલનારનું અથવા પુસ્તકાદિમાં છપાયેલ = લખાયેલ શબ્દને આંખો વડે જોનારનું અથવા નાસિકાદિ વડે અક્ષરોને જાણનાર (અમુક સુગન્ધ વગેરેથી તે તે સુગન્ધી વસ્તુનું અક્ષરાત્મક બોધ કરનાર)નું જે વિજ્ઞાન તે સર્વને અહીં જ્ઞાનવિશેષ તરીકે જાણવું અને એવા જ જ્ઞાનને શ્રુત સાથે વિશેષિત કરી “શ્રુત એવુ જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન’ એ પ્રમાણે અર્થ કરવો. ૨. તત્ કૃત” મુ(ઉં,મ) I
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy