________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે તથા (૧) વાદિ (૨) ક્ષમાશ્રમણ (૩) દિવાકર અને (૪) વાચક - આ ચારે શબ્દો એકાર્થક છે અને પૂર્વકાળે પૂર્વધર' માટે વપરાતા હતા.
વળી મૈસૂર પ્રાંતના નાગર તાલુકાના ૪૬નં-ના શિલાલેખ દ્વારા દિગંબરો પણ તેમને શ્રુતકેવળી દેશીય (= શ્રુતકેવલિ સંદશ) = પૂર્વવિદ્ માને છે. વાચકશ્રી કેટલા પૂર્વધર હતાં એ વાત આગળ વિચારશું પણ વાચકશ્રી પૂર્વધર હતા, એ વાત એમના જીવનચરિત્ર તથા યથોક્ત સાક્ષીપાઠો જોતાં જ જણાઈ આવે છે.
પૂજ્ય વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજાના જીવનચરિત્રની રૂપરેખા મુખ્યતયા એમની પ્રશસ્તિગત શ્લોકથી તથા જંબૂદ્વીપ સમાસની શ્રી સિંહસૂરિત વૃત્તિથી અને ભક્તામર સ્ત્રોત્ર વૃત્તિથી પ્રાપ્ત થાય છે અને એ ત્રણેનો સમન્વય કરીને કાંઈક સ્પષ્ટરૂપે એમનો જીવન પરિચય અપાય છે.
૪. વાચકશ્રી ઉમાસ્વાતિજીની ઉજ્વલ જીવન ઝલક મધ્યપ્રદેશમાં “સતના” ની સમીપમાં વર્તમાનકાલે “નાગોદ' નામથી પ્રસિદ્ધ, પૂર્વકાળે “ન્યગ્રોધિકા' નામે ગામ હતું. ત્યાં કૌભીષણી ગોત્રના સ્વાતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેમની વાત્સીગોત્રની ઉમા નામની ધર્મપત્ની હતી અને એમનો એક પુત્ર હતો. તેમને ઘણી ઇચ્છા પછી આ બાલકની પ્રાપ્તિ થઈ હશે. તેથી માતા ઉમા અને પિતા સ્વાતિના નામને જોડીને તેમનું નામ “ઉમાસ્વાતિ' પાડવામાં આવ્યું. “બપ્પભ’િ સૂરિની જેમ.
વળી એ ઉમાસ્વાતિ બ્રાહ્મણપુત્ર શિવભક્ત હતાં. ઉમાસ્વાતિને નાનપણથી જ વૈદિક ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમને વેદમત ઉપર ખૂબ શ્રદ્ધા હતી. આથી વૈદિક સાહિત્યને ભણી તેમાં તેઓ નિષ્ણાત થયા હતાં.
એકવાર કોક પ્રસંગે તેમને પ્રશમરસ ઝરતી અરિહંત પરમાત્માની પ્રતિમાના દર્શન કરવાનું નિમિત્ત મળ્યું અને જીવનમાં પ્રથમવાર અરિહંત પ્રભુના દર્શન કરતાં જાણે એમને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હોય એવા અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ. અને હૃદયના ભાવો હોઠેથી સરી પડ્યા કે :- “હે ભગવાનું ! તારું રૂપ (પ્રતિમા- આકૃતિ) જ તારી વીતરાગતાને કહી આપે છે. બખોલ (વૃક્ષના મૂળ)માં 9. “વાર્ફ ૩ વમાસમને વિવારે વાયા તિ , પુષ્યામિ ય કુત્તે પU Rધા પjનતિ II” (જેન પરમ્પરાનો ઈતિહાસ) ૨. “તત્વાર્થસૂત્રવર્તારમુમાસ્વાતિમુનીશ્વરમ્ કૃતવત્નીટેશીયં વન્ટેડÉ TUન્દિરમ્ II (૪૦ નં. શિલાલેખ નાગરતાલુકા) ३.. वाचकमुख्यस्य शिवश्रियः, प्रकाशयशः प्रशिष्येण । शिष्येण घोषणनन्दिश्रमणस्यैकादशाङ्गविदा' ।।१।।
“वाचनया महावाचकश्रमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ।।२।। "न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभिषणिना स्वातितनयेन वात्सीसुतेनाय॑म् ।।३।।
अर्हद्वचनं सम्यग्गुरूक्रमेणागतं समुपधार्य । दुखार्तं च दुरागमविहतमतिं लोकमवलोक्य" ।।४।। - “इदमुच्चै गरवाचकेन, सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं, स्पष्टमुमास्वातिना शास्त्रम् ।।५ ।। (प्रशस्तिश्लोकाः) ४. “अस्य सङ्ग्रहकारस्य उमा माता स्वाति पिता, तत्सम्बधादुमास्वातिः । (जंबुद्वीपसमासवृत्ती) ५. “अन्यत्र देवान्तरे न तोषं - चित्तानन्दमुपयाति - उपैति उमास्वातिवाचकवत् । सोऽदृष्टपूर्वां जिनमूर्तिं दृष्टवा स्तुतिं पठितवान् - - 'वपुरेव तवाचष्टे, भगवन् वीतरागताम् । न हि कोटरसंस्थेऽग्नौ, तरूभवति शाड्वलः ।।१।। ततोऽन्यत्र शिवादौ विरक्तो
जिनधर्मदर्शनासक्तोऽभूदुमास्वातिर्द्विजसूनुरात्तव्रतः सूरिपदमाप | क्रमात् पूर्वगतवेत्ता वाचकोऽभूत् ।' (भक्तामर स्तोत्रवृत्तौ) ૬. ૩માં માતા તિઃ પિતા તયોíતત્વ પુત્રો ગુમાવતિ (સિદ્ધમરચા૨/૨/૩૬ ના લઘુન્યાસમાં પૃ-૩૧/અ. શ્રી ઉમાસ્વાતિજી
રચિત ગ્રંથોમાં તેમજ દિગમ્બર શિલાલેખોમાં તેમનું નામ “ઉમાસ્વાતિ” જ લખેલ છે. કેટલાક દિગમ્બર ગ્રંથોમાં તેમનું નામ ઉમાસ્વામિ જણાવ્યું છે પણ તે લેખનદોષનું પરિણામ લાગે છે. કેમકે ઉમાનો પુત્ર “ઉમાસ્વામી” ન જ હોય, કિન્તુ ઉમા સુત કે • ઉમાસ્વાતિ હોય. ૭. “વણ નામ પિતા, મટિનાગ્ની માતેતિ વિશેષ: I,