________________
૪
• ભૂમિકા
તત્ત્વાર્થાધિગમંસૂત્ર ઉત્પન્ન થયા હોવાથી વાચક કહેવાશે, પણ વિદ્યા (પૂર્વજ્ઞાન)ના લીધે વાચક નહિં કહેવાય.' આવી દલીલ કોઈક કરે છે પરંતુ આ વાત યુક્તિયુક્ત નથી. કારણ કે તેમના સમયે પૂર્વેનો ઉચ્છેદ થયો ન હતો. પૂર્વો હાજર હતા માટે વાચક શબ્દનો વાચકવંશીય અર્થ કરતાં પણ પૂર્વધર અર્થ ક૨વો વધારે ઉચિત ગણાય.
જો કોઈ એવો પ્રશ્ન કરે કે ‘ભલે પૂર્વજ્ઞાનનો ઉચ્છેદ ન થયો હોય, અર્થાત્ પૂર્વજ્ઞાન વિદ્યમાન હોય છતાં યોગ્યતા ન હોય તો અનધિકારીને પૂર્વજ્ઞાન ન અપાય. માટે પૂર્વ હાજર હોવા માત્રથી તેમને પૂર્વધર શી રીતે માની શકાય ?” તો આ વાત પણ અસંગત છે. કારણ કે જો તેઓ અયોગ્ય હોય તો તેમને આચાર્યપદ શી રીતે તે કાળમાં મળે ? અને તેઓ પ્રશસ્તિમાં પોતાના માટે જ વાચક વિશેષણ કેમ લગાવે ? જો વાચકવંશીય હોવાથી ‘વાચક' વિશેષણ લગાડ્યું છે, તો એમના ગુરુશ્રી ઘોષનંદિ પણ વાચકવંશીય હતા, તો એમના માટે ‘વાચક' વિશેષણ કેમ ન મુક્યું ? એમને એકાદશઅંગધારી કેમ કહ્યા ?
વળી એમને પોતાના વિદ્યાગુરુ શ્રી મૂલાચાર્ય માટે ‘વાચક' વિશેષણ વાપર્યું છે, કારણ કે તેમના વિદ્યાગુરુ પૂર્વધર હતા. અર્થાત્, અહીં પૂર્વવેત્તા માટે જ ‘વાચક' વિશેષણ છે એ સિદ્ધ થાય છે. તેથી જ સ્વદીક્ષાગુરુને માટે ‘વાચક' વિશેષણ ન લગાડતા સ્વવિદ્યાગુરુને માટે ‘વાચક' વિશેષણ લગાડ્યું છે. તથા ઉચ્ચનાગર એ વાચકવંશની શાખા હતી, એવો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. તેથી શ્રીમદ્ ઉમાસ્વાતિજી માટે વપરાયેલ વાચક વિશેષણનો વાચકવંશીય અર્થ ન કરી શકાય.
અથવા વાચકવંશનો અર્થ વાચકોનો વંશ અર્થાત્ પૂર્વધારી ક્રમભાવી પૂર્વ મહાપુરુષોનો પ્રવાહ. એવો અર્થ કરીએ તો આ અર્થ પ્રમાણે શ્રીમદ્ ઉમાસ્વાતિજીના વિદ્યાગુરુ વાંચક શ્રી મૂલાચાર્ય વગેરેનો જે વંશ તે એમનો(ઉમાસ્વાતિજીનો) વાચકવંશ કહેવાય અને દીક્ષા ગુરુ શ્રી ઘોષનંદિ વગેરેનો જે વંશ તે એમનો ગણધરવંશ કહેવાય. ગણધરવંશ એટલે સ્વ-ગુરુની પટ્ટપરંપરા અને અન્ય વાચકવંશ એટલે સ્વ-વાચનાચાર્ય વિદ્યાગુરુની પટ્ટપરંપરા. એક વાચનાચાર્ય પાસે ઉપસંપદા સ્વીકારી સમુદાયના અનેક સાધુઓ ભણે. આ રીતે ભણનારાઓનો વાચકવંશ એક જ કહેવાય. પણ સ્વદીક્ષાગુરુ જુદા-જુદા હોવાના કારણે ગણધરવંશ ભિન્ન-ભિન્ન કહેવાય. વાચકવંશ-વિદ્યાવંશ આ બન્ને એકાર્થક છે.
વળી ભક્તામર સ્તોત્રવૃત્તિમાં૪ શ્રી ઉમાસ્વાતિજી મહારાજની ટૂંક જીવનીમાં તેઓ પૂર્વગતવેત્તા વાચક હતા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. યાકિનિમહત્તરાસૂનુ શ્રીહરિભદ્રસૂરિજીકૃત પંચાશકજીની ઉપર, નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિજીકૃત ટીકામાં એમને પૂર્વધર વાચક તરીકે કહ્યા છે. શ્રી ધર્મરત્ન પ્રકરણની વાદિવેતાલશ્રી શાન્ત્યાચાર્યની વૃત્તિમાં અને હિમવદ થેરાવલીમાં પણ એમના માટે ‘પૂર્વધર વાચક’ પાઠ મળે છે.
9. “વમુર્ઘારવાવન” (પ્રસ્તિન્નોજ નં. ૬),
२. वायगवंस-वाचकवंश-पु. । वाचकवंशः प्रधानवाचकास्तेषां वंशः प्रवाहो वाचकवंशः पूर्वधराणां क्रमभाविपुरुषपूर्वप्रवाहे . नंदिसूत्रटीका [गा.२९] प्रज्ञापना-१.पद | को य सो 'वायगवंसो' वायंति सिस्साणं कालिय- पुव्वसुत्तं ति वातगा आचार्या इत्यर्थ, गुरुसण्णिहाणे वा सिस्सभावेण वाइतं सुतं जेहिं ते वायगा, वंसो त्ति पुरिसपुव्वपरंपरेण ठितो वंसो भण्णति (नं. सू. चूर्णी गा. २९, पृ. ९)
રૂ. “વિદ્યાયોનિસન્વન્દેયો યુ” (ળિનીય.વ્યા.મૂ.૪/૩/૭૭) ૪. “પૂર્વશતવેત્તા વાવઝોડમૂત્” (મામરસ્તોત્રવૃત્તી), ५. “ वाचकः पूर्वधरोऽभिधीयते स च श्रीमानुमास्वातिनामा महातार्किकः ( पंचाशकवृत्ती ६/४५)
६. “पूर्वगतवेदिना चोमास्वातिवाचकेन” (धर्मरत्नप्रकरणवृत्ती), ७. पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकविरचितत्तत्त्वार्थ (हि.थे. पृ. ९)