SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ • सम्यग्दर्शनीनः मूर्तीमूर्त्तत्वख्यापनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ जीवः । एतत्कथयति, क्षीणे दर्शनमोहनीये नैवासौ सम्यग्दर्शनी भण्यते, कस्तर्हि ? सम्यग्दृष्टिरेसिौ भण्यते, ततः सिद्धसाध्यता, स पुनः क्षीणदर्शनमोहः किं रूपी ? नेत्याह- अरूपी। अविद्यमानं रूपमस्येत्यरूपी, सर्वधर्मादिषु क्षेपः। नासौ रूपादिधर्मसमन्वितः अमूर्त आत्मेति । छद्मस्थ-केवलिनोर्यद्यपि कर्मपटलोपरागः तथाप्यात्मा न स्वभावमुपजहाति, आगन्तुकं हि कर्मरजो मलिनयत्यात्मानमभ्रादीव चन्द्रमसम् । सिद्धः सर्वथाप्यरूप एव । सम्यग्दृष्टिरिदानीमाशक्यते- किं स्कन्धो ग्राम इति, तन्निरासायाह- नोस्कन्धः। ___ अरूपत्वादेव न स्कन्धः पुद्गालादिरूपः स्वप्रदेशाङ्गीकरणात् स्यात् स्कन्धः, अथवा पञ्चास्तिकायसमुदितिः स्कन्धः, नो शब्दस्य तद्देशवाचित्वान्नोस्कन्धः सम्यग्दृष्टिः । एवं नोग्रामोऽपि वक्तव्यः । एवं सम्यग्दर्शनिनः सम्यग्दर्शनकारणत्वात् पुद्गलानपादिक्षत् सम्यग्दर्शनं, तैर्वियुतः पुद्गलैः सम्यग्दृष्टिरिति ।। - હેમગિરા - સાધવા ઈચ્છે છે અર્થાત ક્ષીણદર્શન મોહનીય આદિ સમ્યગ્દર્શની નથી. એમ જે પ્રશ્નકારે કહ્યું તે જ અમે કહીએ છીએ કે તેઓ સમ્યગ્દર્શની નથી પણ સમ્યગ્દષ્ટિ છે. વળી આ ક્ષીણદર્શનમોહવાળો જીવ રૂપી છે કે અરૂપી ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે રૂપી નથી પણ અરૂપી છે. આ અરૂપી પણ અજીવ એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાર્ય તથા આકાશને વિશે પણ સમજવું. . ટૂંકમાં પુદ્ગલાસ્તિકાય સિવાયના દરેક દ્રવ્ય અમૂર્ત છે રૂપરસાદિ. એક પણ ધર્મથી યુક્ત નથી, તેથી આત્મા અમૂર્ત-અરૂપી છે જો કે છબસ્થને (ઘાતિ-અઘાતી) અને કેવળીઓને (અઘાતિ) કર્મ પટલનો ઉપરાગ (મેલ) તો છે જ છતા પણ આત્મા પોતાના સ્વભાવને નથી છોડતો ખરેખર તો જેમ ચંદ્ર કે સૂર્ય ઉપર છવાયેલા વાદળા તે સૂર્ય ચંદ્રના તેજને મલીન (ઝાંખુ) કરે પણ સર્વથા તેને લોપી ન શકે તેમ આત્મા ઉપર લાગતી આગંતુક કર્મરાજ એ આત્મ સ્વભાવને મલીન કરે પણ સર્વથા ન લોપી શકે. એ અપેક્ષાએ કર્મમય અને કર્મક્ષયને આશ્રયી આત્મા રૂપારૂપી છે, જયારે સિદ્ધાત્માઓ તો સર્વથા અરૂપી જ છે. * નોસ્કંધ અને નોજીવની વ્યાખ્યા : પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ એ સ્કંધરૂપ છે કે ગ્રામરૂપ છે. સમાધાન :- સમ્યગ્દષ્ટિ અંધ કે ગ્રામરૂપ નથી પણ નોસ્કંધ છે. આત્મા એ અરૂપી હોવાથી પગલાદિ સ્કન્ધ રૂપ નથી. કારણ કે પુગલાદિના સ્કંધ તો રૂપી હોય છે. આત્મપ્રદેશોની અપેક્ષાએ આત્માને “સ્કન્ધ” પણ કહી શકાય. કારણ કે આત્મા અસંખ્ય આત્મપ્રદેશના સમૂહાત્મક છે. અથવા જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ, પુદ્ગલ, આ પંચાસ્તિકાયના સમુદાયરૂપ જે સ્કંધ છે તેનો એક દેશ આત્મા છે. “નો' શબ્દ તે તે વસ્તુનો દેશવાચક શબ્દ છે. સમ્યગ્દષ્ટિ આત્મા પંચાસ્તિકાય રૂપ સ્કન્ધનો એક દેશ. રૂપ હોવાથી “નોસ્કન્ધ' રૂપ છે. આ રીતે “નોગ્રામને વિશે પણ અર્થઘટન કરવું.(ગ્રામ = સમુહ 9. “વાસો, અત: સિદ્ધ' રાAB... રૂ. ક્ષેથ: રાકૃ. ૪, "ર્વિધુ. રાB...
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy