________________
• સડ્યાત મેતેભ્યઃ દ્રવ્યોાવઃ ૦
तत्त्वार्थाधिगमसूत्रम् १/५
भाष्य- अणवः स्कन्धाश्च सङ्घातभेदेभ्य उत्पद्यन्त इति वक्ष्यामः ( ५- २५,२६) यदित्यणुकादि द्रव्यतो द्रव्यं इति, तृतीयार्थे पञ्चम्यर्थे वा तसिरूत्पाद्यः, द्रव्यैः सम्भूय यत् क्रियते, यथा बहुभिः परमाणुभिः सम्भूय स्कन्धस्त्रिप्रदेशिकादिरारभ्यते तद् द्रव्यद्रव्यम् । अथवा यद् द्रव्यात् तस्मादेव स्कन्धात् त्रिप्रदेशिकादेर्यदेर्कः परमाणुः पृथग्भूतो भवति तदा तस्माद् भिद्यमानात् त्रिप्रदेशिकात् स्कन्धात् परमाणुश्च निष्पद्यते द्विप्रदेशिकश्च स्कन्ध इति, स परमाणुरपि द्रव्यद्रव्यं द्विप्रदेशिकोऽपि द्रव्यद्रव्यं भवतीति ।
१०२
तच्चैतद् द्रव्यद्रव्यं पुद्गलमेव भवतीति प्रत्येतव्यम् । नहि जीवादिद्रव्यमन्यैः सम्भूयारभ्यते, न चान्यस्मात् भिद्यमानात् तन्निष्पद्यत इति, परमाणवस्तु सम्भूयान्यदारभन्ते ततश्च निष्पद्यन्त इति, यतः पञ्चमेऽध्यायेऽभिधास्यते अणवः स्कन्धाः (५-२५) इत्यादि, अणवः = परमाणवः, स्कन्धाः द्विप्रदेशिकादयः, सङ्घातात् स्कन्धा भेदादणवो निष्पद्यन्त इति ।
=
→ હેમગિરા
ભાષ્યાર્થ :- અણુઓ અને સ્કંધો સંઘાત તથા ભેદથી ઉત્પન્ન થાય છે એ વાત (અ..૫,સૂ. ૨૫/૨૬) સૂત્રમાં કહીશું.
કહે છે. આ વાતને યજ્ દ્રવ્યતોદ્રવ્ય પદથી સ્પષ્ટ કરે છે તે આ મુજબ :- ‘યવ્' પદથી અણુ આદિનુ ગ્રહણ કરવું. દ્રવ્ય શબ્દને લાગેલો ‘તમ્' પ્રત્યય તૃતીયા અથવા પંચમીના અર્થમાં સમજવો. અર્થાત્ ઘણા દ્રવ્યો ભેગા થઈ જે દ્રવ્યનું નિર્માણ કરે તે ‘દ્રવ્ય દ્રવ્ય.’ જેમ કે ઘણાં પરમાણુઓ ભેગા થઈ ત્રિપ્રદેશિક સ્કંધ આદિ (દ્રવ્ય)નો આરંભ કરે છે તે દ્રવ્ય-દ્રવ્ય છે. અથવા ત્રિપ્રદેશિકાદિ સ્કંધ રૂપ દ્રવ્યમાંથી જ્યારે જે એક પરમાણુ છુટો થાય, ત્યારે તે ભેદાતાં ત્રિપ્રદેશિક સ્કંધમાંથી પરમાણુ અને દ્વિપ્રદેશિક સ્કંધ નિષ્પન્ન થાય છે. તે પરમાણુ પણ દ્રવ્યદ્રવ્ય કહેવાય અને દ્વિપ્રદેશિક પણ દ્રવ્ય દ્રવ્ય કહેવાય છે.
આ માન્યતાવાળાનુ એમ કહેવું છે કે આ દ્રવ્ય-દ્રવ્યનો વિકલ્પ ‘પુદ્ગલ દ્રવ્યમાં જ ઘટે’ ચેતનદ્રવ્યમાં નહીં ઘટે કારણ કે જીવાદિ દ્રવ્ય અન્ય પ્રદેશોના ભેગા થવાથી ક્યારેય નિષ્પન્ન થતાં નથી, અથવા અન્ય પ્રદેશો છૂટા પડવાથી પણ બનતાં નથી, પરંતુ પુદ્ગલ-૫૨માણુઓ જ ભેગા થઈ અન્ય દ્વિપ્રદેશ આદિનો આરંભ કરે અને એનાથી છૂટા પડે ત્યારે ફરી પરમાણુ તરીકે નિષ્પન્ન થાય છે. આ અમારી વાત વાસ્તવિક છે કારણ કે આ વાત બળવઃ ન્ધા (અ.પ.સૂ.૨૫)માં કહેવામાં આવશે. અર્થ આ મુજબ → અળવઃ – પરમાણુઓ, રુન્ધા – દ્વિપ્રદેશિક વગેરે. પરમાણુના સંઘાત (જોડાણ)થી સ્કન્ધો બને અને સ્કંધના ભેદ (વિભાગ)થી અણુઓ બને છે. આ પ્રમાણે ‘દ્રવ્ય દ્રવ્ય' અંગેનો અન્ય પક્ષ પૂરો થયો. હવે ભાવ દ્રવ્યને જણાવે છે.
-
છુ. "ર્વવેવ: પા./