________________
• દ્વિવિધરિનામ વિમર્શઃ ૦
तत्त्वार्थाधिगमसूत्रम् १/३
सम्प्राप्नोति शुभाज्ञामास्कन्दन्निति तेषां बहुत्वाद् वीप्सया निर्दिशति । अथवा यान्येव पूर्वाण्यध्यवसायान्तराणि तान्येव पराध्यवसायतया वर्तन्त इत्यन्वयं दर्शयति - परिणामश्चानेकरूपो विज्ञानादिस्वभावः चेतनाचेतनद्रव्यगतः, तत्राचेतनः परमाण्वादीनां शुक्लादिः, चेतनस्य तु विज्ञानदर्शनादिर्विषयस्वरूपपरिच्छेदात्मकः ।
तथा देवाद्यर्वस्थाऽपुद्गलात्मिका अविवक्षितचेतनांस्वभावाऽचेतनास्वभावा चेति । अतः परिणामस्य व्यभिचारे विशेषणोपादानमर्थवत्पश्यन्नुवाचेदं परिणामोऽध्यवसायरूप इति । तस्य स्थानान्तराणि → હેમગિરા –
અધ્યવસાયોને પામતો જીવ' એમ જે કહ્યું તેમાં તે તે અધ્યવસાય તરીકે અહીં શુભ અધ્યવસાયો (પરિણામો) ગ્રહણ કરવા. કારણ કે પ્રસ્તુતમાં જે વાત ચાલી રહી છે તે સમ્યગ્દર્શન પ્રાપ્તિની છે. આ દર્શન પ્રાપ્તિમાં જિનેશ્વર પ્રભુની શુભ કલ્યાણકારી એવી આજ્ઞાને અનુરૂપ જ પરિણામ = અધ્યવસાય હોવા જરૂરી છે. તેથી શુભ અધ્યવસાયોનું ગ્રહણ કરવું. વળી આવા શુભ અધ્યવસાયો પણ ઘણાં બધાં છે. તેથી એક જ વાર ‘નિ’ પદ ન લખતા બે વાર (વીપ્સાઅર્થમાં) લખેલ છે. અથવા તો જે પૂર્વે શુભ અધ્યવસાયો હતાં તે જ બીજા શુભતર અધ્યવસાય તરીકે (વર્તે) બને છે તે અર્થને દર્શાવતાં “રામ....'' ઈત્યાદિ પદોના અન્વયને ભાષ્યમાં દેખાડે છે. * અધ્યવસાય વિશેષણની સાર્થકતા :
७०
:
શંકા ભાષ્યમાં ‘પરિણામ’ પદ લખ્યા બાદ ‘અધ્યવસાય’ ફરી કેમ લખ્યું ? આ બેમાં શું તફાવત છે? સમાધાન :- અધ્યવસાય વિશેષણ જરૂરી છે કારણ કે વિજ્ઞાનાદિ સ્વભાવવાળા પરિણામ અનેક પ્રકારના છે. (અધ્યવસાય વિશેષણથી અમુક જ પરિણામ ગ્રાહ્ય છે એ જણાવવું છે) એમાં સામાન્યથી બે ભેદ છે.
(૧) ચેતનદ્રવ્યગત પરિણામ અને (૨) અચેતનદ્રવ્યગત પરિણામ. પરમાણુ આદિના જે સફેદ, પીળા, આદિ વર્ણ વગેરે પરિણામ તે અચેતનદ્રવ્યગત પરિણામ, આત્માના જ્ઞાન, દર્શન આદિ પરિણામ, જે સ્પર્શાદિ વિષયના પરિચ્છેદક (જ્ઞાપક) છે, તે ચેતનદ્રવ્યગત પરિણામ. તથા અપુદ્ગલાત્મક એવી દેવાદિ અવસ્થામાં ચેતના સ્વભાવની વિવક્ષા ન કરીએ ત્યારે અચેતનદ્રવ્યગત પરિણામ ઘટે તેમજ અચેતન (પુદ્ગલ) સ્વભાવની વિવક્ષા ન કરીએ ત્યારે ચેતનદ્રવ્યગત પરિણામ ઘટે અર્થાત્ દેવાદિ અવસ્થામાં જ્યારે જીવત્વની વિવક્ષા કરીએ ત્યારે અપુદ્ગલાત્મક ચેતનદ્રવ્યગત પરિણામ ઘટે અને જ્યારે દેવ-શરીર પુદ્ગલની વિવક્ષા કરીએ તો અચેતનદ્રવ્યગત પરિણામ પણ ઘટે.
આમ પરિણામ ઉપરોક્ત બે પ્રકારે હોવાથી કોઈ ‘અચેતન પરિણામ’નું ગ્રહણ કરી વ્યભિચાર બતાવી શકે. તેથી પરિણામ સાથે ‘અધ્યવસાય’ વિશેષણ જોડવું તે જરૂરી છે આ ‘અધ્યવસાય’ પદ લખવાથી હવે વ્યભિચારને કોઈ સ્થાન નથી. કારણ કે તે અધ્યવસાય રૂપ પરિણામ ચેતનનો જ હોય છે.
અધ્યવસાય સ્થાનમાં ય અનેક સ્થાનાંતરો હોય છે તે જણાવતાં ત્રણ પ્રકાર કહ્યા છે :
. વસ્યાપુ" ।। ર્. "નામાવા મુ.વા. (માં.વં) ।