SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રશમાદ્દિવ્યાવ્યા - तत्त्वार्थाधिगमसूत्रम् १/२ भाष्य- तदेवं प्रशम-संवेग-निर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति । । २ । । सुपरीक्षितप्रवक्तृप्रवाच्यप्रवचनतत्त्वाभिनिवेशाद् दोषाणामुपशमात् प्रशम इत्युच्यते, इन्द्रियार्थ - परिभोगव्यावृत्तिर्वा प्रशमः, तस्य प्रशमस्याभिव्यक्तिः = आविर्भावश्चिनं=लक्षणं भवति सम्यग्दर्शनस्य। यो तत्त्वं विहायात्मना तत्त्वं प्रतिपन्नः स लक्ष्यते सम्यग्दर्शनसम्पन्न इति । संवेग :- सम्भीतिः जैनप्रवचनानुसाराद् यस्य भयं नरकादिगत्यवलोकनाद् भवति, त एवं जीवाः स्वकृतकर्मोदयान्नरकेषु तिर्यक्षु मनुजेषु महद् दुःखं शारीर- मानसं शीतोष्णादिद्वन्द्वापातजनितं भारारोपणाद्यनेकविधं दारिद्र्य- दौर्भाग्यादि चानुर्भवन्ति यद् यथैतद् न 'भविष्यति तथा यत्नं करोमि इत्यनेनापि संवेगेन लक्ष्यते, समस्त्यस्य सम्यग्दर्शनमिति । ५२ निर्वेदो=विषयेष्वनभिष्वङ्गोऽर्हदुपदेशानुसारितया यस्य भवति, यथेहलोक एव प्राणिनां दुरन्तकामभोगाध्यवसायोऽनेकोपद्रवफलःपरलोकेऽप्यतिकटुकनरकतिर्यग्मनुष्यजन्मफलप्रद इत्यतो न किञ्चि→ હેમગિરા ભાષ્યાર્થ :- તે આ પ્રમાણે-પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યથી અભિવ્યક્ત (પ્રગટ) થાય છે સ્વરૂપ જેનું એવી તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. એ તત્ત્વાર્થશ્રદ્ધાનંનું સૂચક છે. ‘વૅમ્’ શબ્દથી “સમ્યક્ત્વ માટે નિર્ધારિત કરાયેલ જુદા જુદા પ્રશમાદિ ચિહ્નોને પણ આ પ્રમાણે જાણો.” એવું નિર્દેશ કર્યું છે. * સમ્યક્ત્વના પ્રશમાદિ ૫ લક્ષણ ** પ્રશમ :- પરીક્ષા કરીને સારી રીતે પીછાણી લીધેલા પ્રવકતા (દેવ-ગુરૂ), પ્રવાચ્ય (પ્રતિપાદ્ય ધર્માદિ) અને પ્રવચન (પ્રેરણાત્મકઉપદેશ) વિશે અભિનિવેશ અચલ શ્રદ્ધાપૂર્વક સ્વીકારથી ક્રોધાદિ દોષોનો જે ઉપશમ તે. અથવા ઈન્દ્રિયજન્ય વિષયોના પરિભોગની વ્યાવૃત્તિ=બાદબાકી તે પ્રશમ. આ પ્રશમનું પ્રકટીકરણ થવું તે સમ્યગ્દર્શનનું ચિન્હ છે. ખરેખર જે વિષય-કષાયરૂપ અતત્ત્વોને મૂકી તત્ત્વનો આત્માથી સ્વીકાર કરે છે તે સમ્યગ્દર્શનથી યુક્ત ચોક્કસ છે એમ કહી શકાય. સંવેગ :- વિશેષ ભય. જિનવચનાનુસાર નરકગતિ આદિના કટુ વિપાકો જોઈ-જાણી જેને (શબ્દ આદિ વિષયોમાં) વિશેષ ભય (અત્યંત અરુચિ) થાય છે. તે જ જીવો સંવેગના પરિણામવાળા થાય છે અર્થાત્ જીવો પોતાના કરેલા કર્મોદયને લીધે નરકમાં અનેક શારીરિક, માનસિક, શીત, ઉષ્ણાદિ કલેશ રૂપ દ્વન્દ્વથી ઉત્પન્ન થયેલ મોટા દુઃખો, તેમજ તિર્યંચના અવતારમાં ભારારોપણાદિ અનેક પ્રકારના દુઃખો, મનુષ્યના અવતારમાં દુર્ભાગ્ય, દરિદ્રતા આદિ જે અનેક મોટા દુઃખોને અનુભવે છે. તેથી “તે આ મહા દુ:ખો જે રીતે ન આવે તેવો પ્રયાસ હું કરું' આવો સંવેગનો પરિણામ જે જીવમાં હોય તે પરિણામથી પણ તે જીવમાં સમ્યગ્દર્શન છે તેવી અભિવ્યક્તિ થાય છે. નિર્વેદ :- અરિહંત પ્રભુના ઉપદેશ પ્રમાણે સ્પર્શાદિ વિષયોની અરુચિ અનાસક્તભાવ પેદા છુ. ‘સ્વવ્યા, ન તુ પરોવરોઘેન' કૃત્યર્થ: ૩. માનસશીત" મુ./ä,માં)| 3. મતિ મુ.પ્રા./માં)| ૪. ત (રા.)। ૬. મતિ પા.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy