SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ • તત્ત્વાર્થ-વિમર્શના तत्त्वार्थाधिगमसूत्रम् १/२ | ભાગ- તાનામર્થનાં શ્રદ્ધાનું, प्रभेदः, तत्रेदं सूत्रं वाक्यान्तरनिरूपणद्वारेण प्राणायि सूरिणा। अथवा समुदायो मुक्तेः कारणतया निरूपित इति, न च समुदायिष्वपरिज्ञातेषु तत् परिज्ञानमस्तीत्याद्यस्य लक्षणप्रचिकासयिषया सूत्रं पपाठ ।। तत्त्वार्थेत्यादि । अनेकसमासकल्पनासम्भवे यत्र सुखेन बुद्धिराधातुं शक्यते प्रतिपिपादयिषितार्थप्रवणां तां कल्पनामुपन्यस्यति ।। तत्त्वानामर्थानामिति। तत्त्वानाम् अविपरीतानां, के वा अविपरीताः ? ये स्याद्वादकेसरिगोचरमनतिक्रम्य स्थिताः, ये त्वेकर्नयकलभकविलोकितास्ते विपरीताः। अर्थानामिति, अर्यमाणानां स्वैः स्वैर्ज्ञानविशेषैः परिच्छिद्यमानानां, श्रद्धानं रुचिरभिप्रीतिः सम्यग्दर्शनं, यथाऽर्हता विगतरागद्वेषप्रपञ्चेन जगदे जगदेकबन्धुना तथेदं सत्यं जीवादिवस्तु। ननु च व्यभिचारे सति विशेषण - હેમગિરા - ભાષાર્થ - તત્ત્વ (અવિપરીત) એવા અર્થની શ્રદ્ધા તે તત્ત્વાર્થ-શ્રદ્ધા પ્રભેદ- બીજા વાક્યો (વાક્યાન્તર)નો સહારો લઈ પ્રસ્તુત પદાર્થનું નિરૂપણ કરવું તે. આ બીજું સૂત્ર આચાર્યશ્રીએ વાક્યાન્તર નિરૂપણ (પ્રભેદ) દ્વારા રચ્યું છે. અથવા તો પ્રથમ સૂત્રમાં જે સમુદિત કારણો મુક્તિ માટેના જણાવ્યા તે સમુદાયમાં રહેનાર એક એક અવયવ જો ન જણાય તો આખા સમુદાય (સૂત્ર)નો બોધ ન જ થઈ શકે તે બાબતને ધ્યાનમાં લઈ પ્રથમ પદનું લક્ષણ જણાવતાં બીજુ સૂત્ર શાસ્ત્રકારે રચ્યું છે. ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન' પદમાં અનેક સમાસની કલ્પનાઓ સંભવે છે. (તેથી) આ કલ્પનાઓમાંથી બુદ્ધિ જેને સુખપૂર્વક ગ્રહણ કરી શકે તેવી તથા, પ્રતિપાદન કરવાને ઈષ્ટ એવા અર્થ(ને સમજાવવા)માં ચતુર એવી કલ્પનાને જણાવતાં ભાષ્યકાર કહે છે. # સ્યાદ્વાદ અને એકનાચથી દુષ્ટ અર્થમાં તરતમતા જે તત્ત્વ' એટલે અવિપરીત, જે પદાર્થો સ્યાદ્વાદ રૂપી કેસરી સિંહ (સર્વનયમય જૈન સિદ્ધાંત)ના વિષયક્ષેત્રને ઓળંગ્યા વર્તી રહ્યા છે તે અવિપરીત (તત્ત્વ) કહેવાય. પરંતુ જેઓ એક જ નય રૂપી હાથીના બચ્ચાની આંખે અધૂરા જોવાયેલા છે તેઓ વિપરીત કહેવાય છે. આશય એ છે કે કેસરીસિંહ સરખી અનેકાંત દૃષ્ટિથી જોવાયેલા તત્ત્વો અવિપરીત છે અને બાળહસ્તી સદેશ એકાંત દૃષ્ટિથી જોવાયેલા તત્ત્વો વિપરીત છે. પોત-પોતાના જ્ઞાન વિશેષથી જણાતાં અવિપરીત અર્થોની રુચિ-તે તરફની પ્રીતિ, તેનું નામ શ્રદ્ધા. જગતના નિષ્કારણ બંધુ, રાગદ્વેષ રહિત એવા અરિહંત પ્રભુએ જે સ્વરૂપે જીવાદિ વસ્તુ કહી છે તે, તે સ્વરૂપે જ છે એવી શ્રદ્ધા તે “તત્ત્વાર્થ-શ્રદ્ધા'. તત્ત્વાર્થ પદમાં “તત્ત્વ' વિશેષણ છે અને “અર્થ એ વિશેષ્ય છે. શંકા :- જયાં વ્યભિચાર (દોષ) આવે ત્યાં જ વિશેષ્ય-વિશેષણ ભાવ દર્શાવવો પડે જેમ કે ૨. “નયત્વે મુ.. (માં..)T
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy