________________
• सम्यग्दर्शनस्य लक्षणप्रतिपादकसूत्रम् •
સૂત્રનું- તત્ત્વાર્યશ્રદ્ધાનું સર્શનમ્ ।૫-૨૫
सम्प्रति सम्यग्दर्शनादीनां यथाक्रमसन्निविष्टानामाद्यस्यैव लक्षणं यथोद्देशस्तथा निर्देश इत्यभिधातुकाम आह- “ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् " ( १-२ ) । 'पदाक्षर - वचन - वाक्यानामभिप्रायविवरणं व्याख्ये'ति वचनात्। प्रागवाचि वाचकमुख्येन "लक्षणतो विधानतश्चोपदेक्ष्यामः” (१ - १) इति, सत्यपि प्रमाणनय-निर्देशादि-सदाद्यनेकानुयोगद्वारव्याख्याविकल्पे पुनः पुनस्तत्र तत्रैतदेव द्वयमुपन्यस्यन् भाष्याभिप्रायमाविष्करोति सूरिः लक्षण - विधाने एवास्मिन् शास्त्रे प्रधानाधिकारिके इत्यतो लक्षणमुपन्यस्यति । अंत्र च पर्याय-निर्भेद-प्रभेदादिभिः पदाद्यभिप्रायः प्रकाशनीयः, तत्र प्रधानशब्दस्य तदर्थशब्दान्तराणि पर्यायाः, प्रकृतिप्रत्ययादिनिर्भेदेन तथागृहीतान्वर्थशब्दविवरणं निर्भेदः, तथा वाक्यान्तरेण निरूपणं હેમગિરા
સુત્રાર્થ :- તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. ॥૨॥
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
४५
દ્વિતીય સૂત્રની અવતરણિકા :- ઉદ્દેશ મુતાબિક નિર્દેશ હોય છે તે ન્યાયે અહીં પણ “સમ્યવÁનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ન” આ પ્રથમ સૂત્રના ક્રમમાં ઉદ્દિષ્ટ પ્રથમ સમ્યગ્દર્શન છે તેથી તેના લક્ષણનો નિર્દેશ કરતા હમણા બીજા સૂત્ર (૧/૨)ને કહે છે.
તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્ણનમ્- આ સૂત્રથી સમ્યગ્દર્શનની સચોટ વ્યાખ્યા જણાશે. સૂત્રમાં રહેલ પદ, અક્ષર, એકવચન, દ્વિવચન, બહુવચન અથવા કારકવચન તથા વાક્ય આ બધાના અભિપ્રાય શું છે તેનું વિવરણ કરવું તેનું જ નામ ‘વ્યાખ્યા’ છે. પ્રસ્તુતમાં પણ પ્રથમ સૂત્રનાં ‘સમ્યગ્દર્શન' પદને લઈ તેની વ્યાખ્યા કરવા શાસ્ત્રકારે બીજું સૂત્ર બનાવ્યું છે. પ્રથમ સૂત્રના ભાષ્યમાં વાચક શ્રી ઉમાસ્વાતિજી કહી ગયા છે કે લક્ષણ અને વિધાનથી સમ્યગ્દર્શન વગેરે કહીશું [ તેથી બીજા સૂત્રને કહે છે. 1
* લક્ષણનો પ્રથમ ઉપન્યાસ
-
જો કે પ્રમાણ, નય, નિર્દેશ, આદિ અને સત્, આદિ અનુયોગના દ્વારોથી વ્યાખ્યાના અવસરે કરવાના હોવા છતાં વારંવાર આ બન્ને (લક્ષણ અને વિધાન)ને તે તે સ્થાનોમાં વિસ્તારથી કહેનારા વાચકશ્રી ભાષ્યના અભિપ્રાયને એમ કહીને પ્રગટ કરે છે કે આ શાસ્ત્રમાં લક્ષણ અને વિધાનનો જ પ્રધાન અધિકાર છે અને તેથી તે બેમાંથી લક્ષણનો પ્રથમ ઉપન્યાસ કરે છે અને આ સમ્યગ્દર્શનના લક્ષણને સમજવા સર્વપ્રથમ પર્યાય, નિર્ભેદ, પ્રભેદ, આદિ વડે સમ્યગ્દર્શનના પદ, અક્ષર આદિના અભિપ્રાય પ્રકાશવા જોઈએ. તેમાં પર્યાય- જે મુખ્ય શબ્દ હોય તેના જ અર્થને સૂચવતાં બીજા પર્યાયવાચી શબ્દો. નિર્ભેદ- નામ, ધાતુ આદિ પ્રકૃતિ તેમજ તેના પુરુષ આદિ બોધક પ્રત્યયો ઈત્યાદિ ભેદો વડે ગ્રહણ કરેલા (બનેલા) પદોના અર્થને અનુરૂપ (વ્યુત્પત્તિમય) શબ્દોથી વિવરણ. ૨. "ર્દેશસવસવા" મુ.(માં)/ ૨. શાસ્ત્ર ૬ પ્રધા" મુ. (રા)/ રૂ. અત્ર પf" મુ.(T) ।