SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નિગોદ ષદ્વિશિકા ચૌદ રાજ પ્રમાણુ લાંબે યથાસ્થાને ઓછો વધતા પહેળો (પણ ઘનાકારે ક૯પીએ તો ૭ રાજ લાંબો ૭ રાજ પહેળો) આ લેક છે. એ લોકમાં અસંખ્ય નિગોદનાં ગળા છે. એક એક ગાળામાં અસંખ્ય નિગે છે. અને એક એક નિગોદમાં અનંત નિગોદના જીવ છે. આ સર્વ સામાન્ય નિગોદની સ્થિતિ છે. પણ એનાથી વિશેષ વર્ણન કર્તા મહાત્માએ એકદમ સુક્ષમ તત્વ લઈ છત્રીસ શ્લેકમાં જે નિગોદનું વર્ણન કર્યું છે તેની સ્થિતિ આદિ જણાવી છે, તે ખૂબ જ ગંભીર છે, ગહન છે. ગુચ્ચમથી જે એને સમજવામાં આવે તો જીવસૃષ્ટિનું મૂળસ્થાન બરાબર સમજાય જાય તેમ છે. આવા ગહન વિષયને શકય પ્રયત્નોએ સમજવાથી આત્મવિકાસ થશે તે નિઃશંક છે. लोगस्सेगपएसे जहन्नपयम्मि जियपएसाणं । उक्कोसपए य तहा, सव्वजियाणं च के बहुया ? ॥१॥ અર્થ–લેકના એક પ્રદેશમાં જઘન્યપદે જીવના પ્રદેશ તથા ઉત્કૃષ્ટપદે જીવના પ્રદેશ અને સર્વ છે, તેમાં કેણ ઘણું છે? : ભાવાર્થ-આ ગાથામાં ત્રણ રાશિના અલ્પબદુત્વને પ્રશ્ન પૂછે છે૧ જઘન્યપદે (જે આકાશપ્રદેશમાં સર્વથી ચેડા જીવના પ્રદેશ હેય તે) એક આકાશ પ્રદેશમાં જીવોના પ્રદેશ કેટલા? ૨ ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશે વધારેમાં વધારે જીવ પ્રદેશ હોય તે, એક આકાશપ્રદેશમાં જીના પ્રદેશ કેટલા? ૩ સર્વ જીવોની સંખ્યા. ચૌદ રાજપ્રમાણ લેક છે. જ્યાં છએ દ્રવ્ય હોય છે તેને લોકાકાશ કહે છે. તે ચૌદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે. પ્રદેશ –જે આકાશક્ષેત્રના કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ ન કલ્પી શકાય તેને પ્રદેશ કહે છે. આ ચૌદ રાજલક નિગદથી ભરેલું છે. નિગદના બે પ્રકાર છે. (૧) સૂક્ષ્મનિગોદ (૨) બાદરનિગેદ તેમાં સૂક્ષમનિગદ ચૌદરાજ લેકમાં સર્વત્ર છે. બાદરનિગદ નિયતસ્થાનવર્તી હોય છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy