SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ ૧૫૬ પ્રકરણ રત્નાવલી સમયે પૂર્ણ થાય છે તથા પાંચમી વચનપર્યાપ્તિ અને છઠ્ઠી મનઃપર્યાપ્તિ એ બને ત્યારપછી એક જ સમયે પૂર્ણ થાય છે. (કારણ કે તેને તે સ્વભાવ જ છે.) ભાવાર્થ –દેવ અને નારકમાં પર્યાપ્તિને કાળઃ નારકી ૧ આહારપર્યાપ્તિ - ૧ સમયે ૧ સમયે ૨ શરીરપર્યાતિ અંતર્મુહૂર્ત અંતમુહૂર્વે ૩ ઇદ્રિયપર્યાપ્તિ ૧ સમયે ૧ સમયે ૪ શ્વાસેચ્છવાસપર્યાપ્તિ ૧ સમયે ૧ સમયે ૫ ભાષાપતિ ૧ સમયે ૬ મનપર્યાપ્તિ ૧ સમયે . દેવ અને નારકીને ઉત્તરક્રિયામાં પણ એ જ પ્રમાણે પર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. ૮ કૃષ્ણરાજીનું સ્વરૂપ – बंभे रिटे तइंअमि, पत्थडे अट्ठ कण्हराईओ। इंदय चउसु दिसासु, अख्खाडगसंठिआ दिग्धे ॥ ४७ ॥ અર્થ :–બ્રહ્મલેક નામના પાંચમા દેવલોકમાં રહેલા ત્રીજે રિષ્ટ નામના પ્રસ્તરમાં આઠ કૃષ્ણરાજીઓ છે. ઈન્દ્રક વિમાનની ચારે દિશાઓમાં બે બે કૃષ્ણરાજીઓ છે અને તે આખાટકના (અખાડાની ભૂમિ)ના સંસ્થાન જેવી લાંબી છે. ભાવાર્થ –પાંચમા દેવલોકના ત્રીજા પ્રસ્તરમાં આઠ કૃષ્ણરાજીઓ છે. તે સચિત્ત અને અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતને આકારે છે. . રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તામાં રહેલા ઈન્દ્રક વિમાનની ચારે દિશાઓમાં બે બે કૃષ્ણરાજી છે તે આ પ્રમાણે -પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તીછીં પહેલી બે કૃષ્ણરાજી છે. પશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તિર્થી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિર્થી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. દક્ષિણ દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછ પહોળી બે કૃષ્ણરાઓ છે. તે કૃણરાજીઓને આકાર - આખાટક સંસ્થાન જેવી લાંબી છે. આખાટક એટલે પ્રેક્ષણને સ્થળે ચારે તરફ , બેસવાના આસન હોય છે તે આકારે રહેલી છે. પ્રજ્ઞપ્તિની ટીકામાં આ પ્રમાણે કહેલું છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy