SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધપંચાશિકા ૧૦૯ (૬) લિંગદ્વાર - લિંગ બે પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે-ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ. એ ત્રણે લિંગે સિદ્ધ થાય અને સંયમરૂપ ભાવલિંગની અપેક્ષાએ તે સ્વલિગે જ સિદ્ધ થાય. (૭) ચારિત્રદ્વાર - ચારિત્રના પાંચ પ્રકાર સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત. તેમાંથી ક્ષાવિયાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિદ્ધ થાય (ઉપશમયથાખ્યાતમાં વર્તતા સિદ્ધ ન થાય.) ति. चउ पण पुचि तिचरण, जिणा ७ सयं बुद्धि बुद्ध पत्तेया ८ । दुति चउनाणा ९ लहुतणु, दुहत्थ गुरु पणधणुसयाओ १० ॥७॥ અર્થ -તે ભવમાં પૂર્વે અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ ત્રણ, ચાર અથવા પાંચ ચારિત્ર પામીને સિદ્ધ થાય, તીર્થકર તે સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિદ્ધ થાય. ૮ બુધદ્વાર - એ ચારે પ્રકારે સિદ્ધ થાય. (૯ જ્ઞાનદ્વાર - કેવલજ્ઞાને સિદ્ધ થાય અને તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ બે, ત્રણ . અને ચાર જ્ઞાને સિદ્ધ થાય. ૧૦ અવગાહના દ્વાર – જઘન્યથી બે હાથની અવગાહના અને ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય. ભાવાર્થઃ ચારિત્રદ્વારમાં વિશેષતા – તે ભવમાં પૂર્વે અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ કેટલાક પહેલું, ચોથું અને પાંચમું એ ત્રણ ચારિત્ર પામીને સિદ્ધ થાય. કેટલાક પહેલું, બીજું, એથું અને પાંચમું એ ચાર પામીને સિદ્ધ થાય. કેટલાક પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું એ ચાર પામીને સિદ્ધ થાય. કેટલાક ઉપર કહેલા પાંચે ચારિત્ર પામીને સિદ્ધ થાય. તીર્થકર તે સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિદ્ધ થાય.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy