SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રકરણ રત્નાવલી અથ –પચંદ્રિય સૌથી થડા છે, તેનાથી ચઉરિંદ્રિય, તેઇદ્રિય અને બેઈદ્રિય વિશેષાધિક તેનાથી સિદ્ધો અને એનેંદ્રિય (વનસ્પતિ નિગદ વિગેરે) અનંતગુણા છે અને અનુક્રમે સેંદ્રિય એટલે એકેંદ્રિય-બેઇદ્રિય વિગેરે વિશેષાધિક છે. ભાવાર્થ: આમાં પહેલા પછી ત્રણ સાધિક છે ને પછી બે અનંતગુણ છે. છ કાયનું અલ્પબહત્વ : तस तेउ पुढवि जल, वाउकाय अकाय वणस्सइ सकाया । थोव असंखगुणाहिय, तिनिओ दोऽणंतगुण अहिआ ॥ ४३ ॥ અર્થ:-સૌથી છેડા ત્રસ જીવે છે, તેનાથી તેઉકાય અસંખ્યગુણ, તેનાથી પૃથ્વીકાય, અપકાય અને વાયુકાય અનુક્રમે વિશેષાધિક તેનાથી વનસ્પતિકાય અનંતગુણા અને તેનાથી સકાય અધિક છે. | ભાવાર્થ અહીં અકાય શબ્દ સિદ્ધો જાણવા અને સકાય શબ્દ સર્વ સંસારી છે જાણવા. છવાવાદિનું અલ્પબદુત્વ जीवा पुग्गल समया, दव्व पएसा य पज्जवा चेव । थोवाणताणता, विसेसमहिआ दुवेऽणता ॥ ४४ ॥ અર્થ -જીવ, પુદ્ગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ અને પર્યાયે એ અનુક્રમે છેડા, અનંતગુણ, અનંતગુણા, વિશેષાધિક અને છેલ્લા બે અનંતગુણ છે. ' | ભાવાર્થ પ્રત્યેક જીવે અનંતાનંત પુદ્ગલથી બંધાયેલા હોય છે અને પુગલે જીવ સાથે સંબદ્ધ અને અસંબદ્ધ એમ બન્ને પ્રકારના હોય છે તેથી જીવ પુદ્દગલે કરતાં અલ્પ છે જીવથી પુદગલો અનંતગુણ છે. તૈજસાદિ શરીર અને ગ્રહણ કરેલા છે, તેના પુદ્ગલે પરિણામને આશ્રયીને જીવ કરતાં અનંતગણું છે. તથા દારિકાદિ પંદર પ્રકારના પ્રયોગથી પરિણત એવા પ્રયોગસા પુદગલો થેડા છે. તેનાથી મિશ્રપરિણત મિશ્રા પુદગલે અનંતગુણ છે. તેનાથી પ્રવેગકૃત આકારને જેણે સર્વથા તો નથી અને જે સ્વભાવે (વિશ્રસા પરિણામે) પરિણામાંતરને પામેલા છે, એવા મૃત કલેવરાદિક વિશ્રસા પરિણત પુદગલે અનંતગુણ છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના સર્વ પગલે જીવ કરતાં અનંતગુણ છે. પુદ્ગલે કરતાં સમયે અનંતગુણ છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy