________________
“હું આવું છું ગુરુદેવ આપને શરણ, લઘુગુરુદેવ આપો મને ચારિત્ર ચરણ, હે ગુરુણીમૈયા વરસાવો કૃપાકિરણ,
જલ્દી મિટે મારા જન્મ મરણ. સંસારને આખરી અલવિદા કરતાં અને સંયમ જીવનમાં પ્રવેશ કરતાં પહેલાં સૌ પ્રથમ અનંતા અનંત આત્માઓનું કલ્યાણ કરનાર જયવંતા જૈનશાસનને મારા ભાવભર્યા વંદન....તથા પ્રેરણા પિયૂષપાન પાતા સંયમ જીવનના પ્રદાતા અનંત ઉપકારી પૂ. ગુરુભગવંતો તથા ગુરુણીમૈયા અને સર્વ સાધક સમુદાયને મારા ભાવભર્યા વંદન....
અજબ છે વિતરાગનું અનેરૂ શાસન, ગજબના છે પંચાંગી આગમ શાસ્ત્રોના વિશ્વકલ્યાણકારી વિધાનો....પામે તે પુણ્યવાન ! પણ એ પાળી બતાવે તે તો મહાપુણ્યવાન સંપૂર્ણ નિર્જરા સાધવાનો પ્રક્રિયા રાગદ્વેષની જડ ઉખેડવા માટેનું સમર્થ સાધન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત પાંચ મહાવ્રતનું પાલન એટલે સાધુપણું આવું જ અણમોલ અવર્ણનીય સાધુપણું મને પ્રાપ્ત થંઈ રહ્યું છે ત્યારે સંયમના શેષાવનમાં વિચરવા આતુરતા છે. સંસ્કૃતિના સ્વાગતમ અને વિરતીના વેલકમ જીવન દ્વારે આલેખવા છે. માનવતાના મંગલદ્વારે આવી તપના તોરણ બાંધી ઉરની ઉર્મિ પવિત્ર બનાવવી છે. બસ હવે તો મણીજયા ગુરુણીના નભોમંડળમાં અમિત બની ચમકવું છે રત્નત્રયનું રજવાડી રાજ્ય મેળવી ચૈતન્ય ચાંદની ચમકાવવી છે. મુશ્કેલીના મહાસાગરનું મંથન કરી મહાવીરની મહેફિલમાં મહાલવું છે. આ રીતે કુમારી જયાબેન પોતાનું અંતિમ પ્રવચન પૂર્ણ કર્યા બાદ વેશપરિવર્તન કરીને સંયમના શણગાર સજીને, નૂતન દિક્ષીત બનીને જ્યારે દીક્ષામંડપમાં પધાર્યા ત્યારે સૌએ જય જયના નાદથી તેમને વધાવ્યા અને નવદિક્ષીતનું ગુરુદેવે નીતાબાઈ મહાસતીજી નામ પરિધાન કર્યું.
ભાગ્યશાળી હુઈ કઠોર ગાંવકી નગરીયાં, ચતુર્વિધ સંઘકી છલક ઉઠી ઉરગગરીયાં, કમિભંતેસે લઘુગુરુદેવને બનાઈ સંયમીયાં,
મણીજયા” ગુણીકી મલક રહી નજરીયાં. ગુરુણીમૈયા સાથે વિચરતાં જ્ઞાનાભ્યાસમાં દિનપ્રતિદિન પ્રગતિ કરતાં મા સરસ્વતીની અનહદ કૃપા પ્રાપ્ત કરતાં શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, આગમો આદિનું વિશાળ નોલેજ મેળવ્યું મુંબઈના ચાતુર્માસોમાં ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠમાં પાંચ વર્ષની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે વિદ્યાભાસ્કરની ડીગ્રી મેળવી, પાર્થડી બોર્ડ અહમદનગરની દશ ખંડની ધાર્મિક પરીક્ષાઓ પૂર્ણ કરી પ્રથમ નંબર સાથે “જૈન સિદ્ધાંત આચાર્ય” ની ડિગ્રી પ્રાપ્ત કરી. હિન્દીમાં વધુ બોર્ડ અને પ્રયાગ બોર્ડની નવ પરીક્ષા પાસ કરીને “રત્ન” અને “સાહિત્યરત્ન”ની ડિગ્રી એનાયત કરી ત્યાર બાદ લાડનું (રાજસ્થાન) તેરાપંથી યુનિવર્સિટીમાં જૈનોલોજીમાં બી.એ. અને એમ, એ. ની ડિગ્રી મેળવી હમણાં છેલ્લા ત્રણ વર્ષથી નવરંગપુરા ઇન્ડોલોજી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહના માર્ગદર્શન હેઠળ અથાગ
૨૯