________________
નક્ષત્ર, ચારિત્રની ચાંદની સોળે કળાએ ખીલવી દીધી....મોક્ષમાર્ગની સીટ રીઝર્વેશન કરવા પંચમહાવ્રતના મોતી આપી બીજા તીર્થમાં નંબર અપાવી મને ન્યાલ કરી દીધી. આવા ગુરુણીમૈયાના ઉપકારોનો બદલોવાળવા હું અસમર્થ છું. પૂ. ગુરુણીમાં રહેલા અનેક ગુણોમાંથી થોડા ગુણો ચૂંટીને આ મંગલ મહોત્સવની યાદમાં અંતરના અહોભાવથી અભિનંદનના અક્ષરો આલેખું છું, શુભેચ્છાના શબ્દો સમાવું છું, ભક્તિના ભાવો ભરું છું, હૃદયનો રસથાળ રેઢું છું.
‘હજારો તારોમેંસે ચાંદ કોઈ એક હોતા હૈ સેંકડો વૃક્ષોભેંસે ચંદન કોઈ એક હોતા હૈ ।
લાખો પત્થરકી ખાનોમેંસે હીરા કોઈ એક હોતા હૈ
ઇસી તરહ હજારો વ્યક્તિમેં સે જ્ઞાની કોઈ એક હોતા હૈ
સ્મિત હોઠ પર ફૂટી નીકળતું...અનાયાસે ખીલતું ફૂલ....સ્મિત પૂ. ગુરુમૈયાના મુખપર મેં જ્યારે જોયું છે ત્યારે આ ફૂલની ફોરમ જ હોય....ઘણી વખત ઉપમાઓ પર બુઠી થઈ જાય છે...ગુરુણીને શું આપું ઉપમા ? ચંદ્રની.... ? દરિયાની.... ? વાદળની.... ? કે ચાંદનીની....? આમ જોઉં તો મારો અધિકાર પણ શું ઉપમા આપવાનો ? પણ લાગણી એ પોતે જ અધિકાર છે એના માટે ગણતરીની કે ગણિતની જરૂર નથી.
પૂ. ગુરુણીમૈયાની જન્મથી માંડીને....દીક્ષા પછીની આજ સુધીની જે આરાધનાની યાત્રા થઈ કેવી રીતે વર્ણવીએ એ અનુક્રમણિતા...આરાધનાની ? ચોક્કસ કહીશ કે આજ સુધીની જીવનયાત્રા પૂ. ગુરુણીની અવર્ણનીય છે અનુમોદનીય છે...સાકરના ટુકડા જેવું છે પૂ. · ગુરુણીશ્રીનું જીવન....જ્યાંથી ચાખો ત્યાં મધુરતા જ મળે જેમનું જીવન આલેખતાં અત્યંત આનંદ અનુભવું છું આવી જ એક વિરલ વિરાટ વિભુતિ અણમોલ રત્ન કે જે ભાગ્યવંત સૌરાષ્ટ્રની શસ્ય શ્યામલા રસાલ પ્રદેશ જામનગરની ભોમકાના પુણ્યવંતા શ્રેષ્ઠી પિતા પદમશીભાઈ અને વાત્સલ્ય નિધાન ધર્મલક્ષી સાક્ષાત મૂર્તિ સમા ગંગાબેનમાતાની ગૌરવશાળી ગોદે મહાન રત્ન
અવતરણ પામ્યા.
‘‘રત્નકુક્ષી આપકે ગંગાબહન માઈ હૈ” આશિષદાત્રી પ્રેમલ પિતાજી પદમશીભાઈ હૈ
મોહન હરખચંદ મનસુખભૈયા કો હર્ષકી વધાઈ હૈ
માલદે પરિવારમેં જ્યાબહનકા જન્મ મંગલદાઈ હૈ
જન્મ વધામણા જીવનના વધામણા સાથે લઈને આવ્યા. કોને ખબર હતી કે આ નાનકડી બાળા ભવિષ્યમાં વીરપ્રભુના મહાન માર્ગે પ્રયાણ કરી જ્ઞાનપ્રકાશની જ્યોત લાવી માતપિતાના નામને દુનિયામાં રોશન કરશે.
આવું મહામૂલું રત્ન જ્યારે કુટુંબમાં અવતરણ પામે છે. ત્યારે સમગ્ર પરિવાર પણ પાવન બની જાય છે આવી વિરલ વ્યક્તિને જન્મ આપનાર માતા ધન્યવાદને પાત્ર છે અને પિતા પણ અભિનંદનીય છે.
૨૭