________________
ગુણાનુરાગના ગણિત અને મૈત્રીની મેથડથી સ્નેહના સરવાળા કરતા એવા પ.પૂ. ગુરણીમૈયા નીતાબાઈ મહાસતીજીની મંગલમય માંગલ્યતાના જીવનગુણની પ્રસરતી મહેક...
લેખિકા :- શિષ્યા ૫. ચાંદનીબાઈ મ.સ.
આજ આપકે હજારો ગુણ ગાનેકા અવસર આયા હૈ
મેરે મનમેં નઈ નઈ ખુશીયોંકી ભરતી લાયા હૈ નીતાગુરુણી” આપને જ્ઞાનકા દિવ્ય દીપ જલાયા હૈ
આપકા જીવન લિખનેકા મેરે અંગમેં આનંદ છાયા હૈ સૂર્ય પોતાનો પરિચય આપે છે. પ્રકાશ લાવીને, ચંદ્ર પોતાનો પરિચય આપે છે શીતળતા અર્પીને, પુષ્ય પોતાનો પરિચય આપે છે પમરાટ લાવીને, કોયલ પોતાનો પરિચય આપે છે ટહુકાર કરીને, દરિયો પોતાનો પરિચય આપે છે ઘુઘવાટ કરીને, તેમ નીતાગુરુણી પોતાનો પરિચય આપે છે જ્ઞાન દર્શન, ચારિત્ર તપની અવિરત જ્યોત જગાવીને....
આજના મારા અવર્ણનીય આનંદની શી વાત કરું ? સાગરની ભરતીને ભુલાવે, વસંતના વધામણાથી કિલકિલાટ કરતી કોયલને ક્ષણભર વિસરાવે, તેવી આનંદની ધારા હૃદયરૂપી પાતાળ શ્રોતમાંથી ફુટી રહી છે મારા હૈયાની હાટડીએ, હર્ષ ઉલ્લાસની દિપમાળા પ્રકાશી રહી છે. મારા અંતરમાં ખુશીના ખુબુભર્યા ફુલડાં ખીલ્યાં છે ને આનંદના દીવડા પ્રગટ્યા છે. જેમના ગુણો છે અસીમ અને મારી પાસે શબ્દો છે સસીમ, કેમ કે ગુરુગુણને શબ્દના સીમાડામાં વર્ણવી શકાતા નથી, કલમ દ્વારા કંડારી શકાતા નથી, આકંથી આંકી શકાતા નથી, મીટરથી માપી શકાતા નથી, ગુરુના ગુણો શબ્દાતીત છે. એવા પૂ. ગુરુણીમૈયાની ઓળખાણ એટલે સ્નેહની સરિતા...તપની તેજસ્વીતા...જ્ઞાનની ગહનતા ચારિત્રની દૃઢતા જ્યારે જુઓ ત્યારે હસ્તમાં પ્રત અને જીવન અપ્રમત્ત ગુરુ શબ્દ બે અક્ષરનો સાંકેતિક અને રહસ્યભર્યો છે તેની પાસે કુબેર અને ચક્રવર્તીનો ભંડાર વામણો લાગે સમતા, સરળતા, સહજતા આદિ અનેક ગુણોના સોનલવર્ણા ઝળહળતા રત્નો પૂ. ગુરુણીશ્રીના જીવનમાં ભર્યા છે. શું વરસતા વરસાદની ધારાને ગણી શકાય ખરી ? શું અવનિના આભલે ટમટમતા તારલાગણનો હિસાબ નોંધાય ખરો ? શું સમુદ્રના જલબિંદુને ગણી શકાય ખરા? શું ફૂલની ફોરમને કરંડીયામાં કેદ કરી શકાય ખરી ? નહિ....નહિ....નહિ.
તેમ જેમણે મારા જેવા અજ્ઞ આત્માને મોક્ષમાર્ગ બતાવીને નમોલોએ સવ્વસાહણે પદમાં સ્થાન આપવા અમોઘ એવું સંયમદાન આપ્યું, મારા ભાગ્યનો ભાનુ, તકદીરનો તારો, નશીબનું
૨૬