________________
આશીર્વચન
પૂ. વિદુષી નીતાબાઈ મહાસતી પીએચ.ડી.નું થીસીસ સબ મિટ થયું તો આપ નીતાબાઈ મહાસતી પાસ થઈ અને આગળ વધો. સહુને સબોધ આપી બીજા જીવોનું કલ્યાણ કરો. ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીના શિષ્ય ગાદિપતિશ્રી પ્રાણલાલની સ્વામી આપને શુભ આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવે છે. ચાંદનીબાઈ મહાસતીને સુખશાતા પૂછશો.
આ લિ. ગાતિપતિશ્રી પ્રાણલાલજીસ્વામીના સુખશાતા
કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાય - પૂ. આચાર્ય નાગચંદ્રજી સ્વામી પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી
તા. ૧-૧-૨૦૦૬ શાસન સિતારા સુવ્યાખ્યાતા નીતાબાઈ મહાસતીજી, વિદ્યા વિલાસી ચાંદનીબાઈ મહાસતીજી ઠા. ૨
- માનવમંદિર કચ્છ બીદડાથી લિ. સુભાષચંદ્રજીની વતીએ સુખશાતા સ્વીકારશો. અત્રે અમો બને ઠાણાઓ સાતામાં છીએ. દીનેશચંદ્રજી મહારાજ મારી ખૂબ જ સેવા બજાવે છે. વિશેષમાં આપનો લાગણીશીલ પત્ર મળ્યો. આપને અમદાવાદ સુભાષબ્રીજ સ્થાનક વાસી જૈન સંઘ તરફથી આપે દંડક ઉપર પીએચ.ડી. થયા, બીજી ઘણી જ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા તેને અનુલક્ષીને આપનો બહુમાન કરશે એ જાણીને મને ખૂબ જ આનંદ થયો. સંપ્રદાયમાં આપ પીએચ.ડી. પ્રાપ્ત કરવામાં પ્રથમ સતીજી છો. આપ સમ્યગુજ્ઞાનમાં આગળ વધો અને જ્ઞાન સાથે નમ્રતાનો ગુણ કેળવો એ જ મારા આપને આશીર્વાદ છે. આપ ધ્યાનમાં ખૂબ જ આગળ વધો એ જ મારા તરફથી સુભાશિષ.
લિ. સુભાષમુનિ કચ્છ આઠકોટી મોટી પક્ષ સંપ્રદાય