SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયોનિક ઉદકવાળા જીવોના રસોનો તેમજ પૃથ્વીકાય વગેરેનો પણ આહાર કરે છે. (સૂ. ૧૭.) કોઈ કોઈ જીવ અનેક યોનિ વાળા અગ્નિકાયના હોય છે. એ જ પ્રમાણે વાયુયોનિકવાળા અગ્નિકાય, અગ્નિયોનિક ત્રસકાય આ ક્રમથી ત્રણ આલાપકો સમજી લેવા. આ પ્રમાણે વાયુકાય, વાયુકોનિક અગ્નિકાય વાયુયોનિક, વાયુયોનિ વાળા ત્રસ આ રીતે ચાર આલાપકો થાય છે. (સૂ. ૧૮.) સંસારના સઘળાં પ્રાણીઓ, સઘળાં ભૂતો, સઘળા જીવો અને સઘળા સત્વો, અનેક પ્રકારની યોનિઓમાં વધે છે. જગતના સઘળાં પ્રાણીઓ કર્મને જ આધીન છે. (સૂ. ૧૯.) - નારકોના આહાર: વૈમાનિકો સુધી નારકજીવ તેનું શરીર જે આકાશ પ્રદેશોમાં અવગાઢ હોય છે તે પ્રદેશોમાં રહેલા પુગલોને આત્મા દ્વારા ગ્રહણ કરીને તે પોતાના આહાર રૂપે ઉપયોગમાં લેતા નથી. અને પરંપરારૂપે શ્રેત્રાવગાઢ થયેલા પુદ્ગલોને પણ આહારરૂપે ઉપયોગમાં લેતા નથી. એવું જ કથન વૈમાનિકો પર્યંતના દંડકોમાં પણ સમજવું. નારકજીવો પોતાના આહારરૂપે જે પુગલોને ગ્રહણ કરે છે. જે ક્ષેત્રમાં પોતાનું શરીર અવગાહિત હોય છે એ જ ક્ષેત્રના પુગલને તેઓ ગ્રહણ કરીને આહારરૂપે તે ઉપયોગમાં લે છે. એ જ પ્રમાણે વૈમાનિક દેવો સુધીના ૨૪ દંડકના વિષયમાં પણ કથન સમજવું. અહિ જે કથન કરવામાં આવ્યું છે તે જ આહારની અપેક્ષાએ કરવામાં આવ્યું છે તેમ સમજવું. નારીજીવો સચિતાહારી નથી પણ અચિતાહારી છે. એ મિશ્રાહારી નથી. એ પ્રમાણે વૈમાનિક પર્યત સમજવું. ઔદારિક શરીરવાળા મનુષ્ય સચિત આહારવાળા પણ છે. અચિતાહારવાળા અને મિશ્ર આહારવાળા પણ છે. નારકના જીવો આહારાર્થી છે. નારકોના આહાર બે પ્રકારના કહ્યા છે. આભોગ-ઉપયોગપૂર્વક કરેલ અને અનાભોગ તે વિના ઉપયોગ કરેલું. તેમાં જે ૪૪૯
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy