SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સ્વાદિમ : એલાયચી, લવિંગ, સોપારી, ધાણાદાળ, ચૂર્ણ વગેરેને સ્વાદિમ કહે છે. . - બીજા ચાર આહાર : (૧) ઉપસ્કર સંપન્ન ઃ જે આહાર વિશિષ્ટ દ્રવ્યોથી સુવાસિત કરવામાં આવે છે. એવા હિંગાદિ દ્રવ્યને ઉપસ્કર કહે છે. તેનાથી યુક્ત મગની દાળ વગેરે જેવા આહારને ઉપસ્કર સંપન્ન આહાર કહે છે. - (૨) ઉપસ્કૃત સંપન્ન : પકવીને રાંધીને) તૈયાર કરેલા ભાત, ખીચડી, રોટલી આદિ આહારને ઉપસ્કૃત સંપન્ન આહાર કહે છે. (૩) સ્વભાવ સંપન્ન ઃ જે આહાર કુદરતી રીતે જ પક્વ હોય છે તેને સ્વભાવ સંપન્ન આહાર કહે છે. જેમ કે પાકી કેરી, ખજૂર, કેળાં વગેરે . (૪) પર્યાષિત સંપનઃ રાત્રિ પર્યત આથો આવવા દઈને જે આહાર તૈયાર થાય છે તેને પર્યાષિત સંપનન્ન આહાર કહે છે, જેમ કે જલેબી વગેરે. આગમોમાં તેમ જ ટીકા સાહિત્યમાં આહારનું વિવેચનઃ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ આ પાંચ પ્રકારનો આહાર નિક્ષેપ છે. જીવ પ્રાયઃ દરરોજ આહાર કરે છે. કેમકે આહાર વિના શરીરનો નિર્વાહ થતો નથી. આ લોકમાં બીજકાર્ય ચાર પ્રકારનાં છે. તેનું શરીર બીજ રૂપ જ હોય છે. અઝબીજ, મૂલબીજ, પર્વબીજ અને અંધ બીજ. વનસ્પતિકાય જીવો અનેક પ્રકારની યોનિવાળા તે પૃથ્વીના સ્નેહનો આહાર કરે છે. તે બીજ પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ શરીરનો પણ આહાર કરે છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોના શરીરને અચિત કરી દે છે. (સૂ. ૩.) જે વૃક્ષ, વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે. તે વૃક્ષ યોનિવાળા વૃક્ષો કહેવાય છે. વૃક્ષથી તેઓની ઉત્પત્તિ થાય છે. વૃક્ષમાં તેઓ સ્થિત રહે છે. તે વૃક્ષયોનિક વૃક્ષ પૃથ્વી યોનિક વૃક્ષોના સ્નેહનો આહાર કરે છે. તેઓ પૃથ્વી,જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરનો ૪૪૫
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy