________________
આગમસૂત્રના પ્રતિ આદરભાવ વધારવાનો પ્રયત્ન કર્યો છે.
પીએચ.ડી. કરવા માટે મારા લક્ષ્યમાં ઉત્સાહ વધારનાર કચ્છ અઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના પ્રમુખ સ્વ. બચુભાઈ વોરા અને મંત્રીશ્રી કિશોરભાઈ શાહ, છગનભાઈ રાયચંદ પારેખને હું કેમ ભૂલી શકું ? તેમનો પણ અંતરથી આભાર માનું છું. પુસ્તક પેપરના કાર્યમાં સલાહ સૂચન આપનાર શાહીબાગ સંઘના મંત્રીશ્રી કમલભાઈ શાહનો પણ અંતરથી આભાર માનું છું.
- પરમ પ્રસન્નતાનો વિષય છે કે જનકલ્યાણી આ શોધ પ્રબંધનો શ્રી ઘનશ્યામનગર સંઘ દ્વારા પ્રકાશન થઈ રહ્યો છે. શ્રી સંઘે આ શોધ પ્રબંધનું પ્રકાશન કરાવીને જીનવાણીના પ્રતિ પોતાની સાચી શ્રદ્ધા આસ્થાનો જે પરિચય આપ્યો તે અનુમોદનીય છે. શ્રી સંઘે મને સંશોધનના કાર્ય માટે ઘણી અનુકૂળતા કરી આપી છે તે માટે ઘનશ્યામનગર શ્રી સંઘની પણ હું ખૂબ આભારી છું.
આ શોધ પ્રબંધમાં અજ્ઞાનથી જો કોઈ કમીઓ રહી ગઈ હોય તો ક્ષમા માંગું છું. આ શોધ પ્રબંધમાં મારી અલ્પ બુદ્ધિના કારણે અને છદ્મસ્થપણાને કારણે કંઈ તૂટી રહી ગઈ હોય અથવા જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ લખાઈ ગયું હોય તો તે માટે જિનેશ્વર ભગવંતની સાક્ષીએ હું ક્ષમા યાચના કરું છું.
પ. પૂ. ગુરુ ભગવંતોના અને પ. પૂ. ગુરુણીમૈયાઓના ઉપકારથી ઉનઋણ બનવા આ “દંડક એક અધ્યયન” થિસીસના પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે તે માટે આંતરિક આત્મશાંતિ અનુભવું છું.
અંતે “દંડક એક અધ્યયન” ગ્રંથ જિજ્ઞાસુ આત્માઓને આત્માનુભાવનો આસ્વાદ કરાવે. આ શોધ પ્રબંધ અધ્યેતાઓને મંગલ જીવન દર્શનના અનુરૂપ જીવન જીવવાની સતત પ્રેરણા અર્પતુ રહે એ જ સાચી ઉપયોગિતા થશે તેવી મંગલ ભાવના સાથે વિરમું છું.
મણી જયા ચરણ રજ મંગલાકાંક્ષિણી સાથ્વી “નીતા” “ઘનશ્યામનગર” (અમદાવાદ)
૧૨