________________
શક્તિરૂપ ઋદ્ધિના બળથી ઉત્પન્ન થાય છે. તે જીવો આત્મકર્મથી જ ત્યાં ઉત્પન્ન થાય છે. અને તે જીવો પોતાના પ્રયોગરૂપ વ્યાપારથી ઉત્પન્ન થાય છે. એ જ રીતે એકેન્દ્રિયને છોડીને ૨૩ દંડકમાં સમજવું જોઈએ. એકેન્દ્રિયની વિગ્રહગતિ ચાર સમયની થાય છે. બાકીનું સઘળું કથન ના૨ક વગેરેના સંબંધમાં કહેલ છે એ જ પ્રમાણે સમજવું.
ના૨ક॰ ના૨કમાંથી નીકળીને પંચેન્દ્રિય તિર્યંચમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી કોઈ કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે. કોઈ પ્રાપ્ત નથી કરતાં. જે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે તે કેવલ બોધિને સમજે છે. તેમાં કોઈ જાણે છે કોઈ નથી જાણતું. જે જાણે છે તે અભિનિબોધિક અને શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને તે શીલ, વ્રત, ગુણ,વિરમણ, પ્રત્યાખ્યાન કે પૌષધોપવાસને અંગીકાર કરવા જે સમર્થ થાય છે. તેમાંથી કોઈ અવિધજ્ઞાન પ્રાપ્ત કરે છે કોઈ પ્રાપ્ત નથી કરતા. જે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે તે અણગાર થવાને કોઈ સમર્થ થાય છે. કોઈ સમર્થ થતા નથી. જે સમર્થ થાય છે તેમાંથી કોઈ મન:પર્યંતજ્ઞાન પ્રાપ્ત કરે છે. કોઈ પ્રાપ્ત નથી કરતા. જે મન:પર્યંતજ્ઞાન પ્રાપ્ત કરે છે તેમાંથી કોઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કોઈ ન પણ કરે, જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે તે સિદ્ધ થાય છે.
નારકો નારકમાંથી નીકળીને ઉપરના બે દંડકો સિવાય બીજા કોઈ દંડકમાં જતા
નથી.
અસુરકુમારોમાંથી અનંત૨ ઉર્તન કરીને પૃથ્વીકાયિકોમાં કોઈ ઉત્પન્ન થાય છે. કોઈ ન પણ થાય. કેમકે ઈશાન દેવલોક સુધીના પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય ઉત્પન્ન થઈ શકે છે. પંરતુ તેમાં શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવાથી કેવલી દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ નથી. એ જ રીતે અપકાય અને વનસ્પતિકાયમાં પણ અસુરકુમાર, અસુકુમારોમાંથી ઉર્તન કરીને પછી તેઉકાય, વાઉકાય અને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન ન થાય. તેનું કારણ ભવનો સ્વભાવ છે. તિર્યંચયોનિકમાં અને મનુષ્યમાં કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ નથી થતા. એ જ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર દેવોના વિષયમાં સમજવું.
પૃથ્વીકાયમાંથી નારકી અને દેવોમાં ઉત્પાદનો નિષેધ કરાયેલો છે. કેમકે તેઓમાં
૪૦૫