________________
છે. ચાર આકર્ષોથી બાંધવાવાળા તેનાથી સંખ્યાતગણા છે. ત્રણ આકર્ષોથી બાંધવાવાળા તેનાથી સંખ્યાતગણી છે, બે આકર્ષોથી બાંધવાવાળા તેનાથી સંખ્યાતગણી છે. એક આકર્ષથી બાંધવાવાળા તેનાથી સંખ્યાતગણા છે. એ પ્રકારે અભિશાપથી યાવત્ અનુભાગ નામ નિધત્તાયુનો બંધ કરે છે. આ પ્રકારે આ છ એ અલ્પબદુત્વ સંબંધી દંડક જીવથી આરંભ કરીને કહેવા જોઈએ..
વિશેષ પ્રકારના પ્રયત્નથી કર્મપુદ્ગલને ગ્રહણ કરવું તેને આકર્ષણ કહેવાય છે. જેમ ગાય પાણી પીતી પીતી ભયના કારણે પુનઃ પુનઃ આઘાટન કરે છે. ઘૂંટડા લે છે. એ જ પ્રકારે જીવ પણ જ્યારે આયુબંધ સંબંધી તીવ્ર અધ્યવસાયથી જાતિ નામ નિધત્તાયુનો બંધ કરે છે. ત્યારે એક મંદ આકર્ષથી અથવા બે-ત્રણ મંદતર અથવા ત્રણચાર મંદતમ અથવા ૫, ૬, ૭ અથવા ૮ આકર્ષોથી બાંધે છે. આયુષ્યની સાથે ' બાંધવાવાળા જાતિનામ આદિમાં જ આકર્ષનો નિયમ છે. કોઈ ધ્રુવબંધની પ્રકૃતિઓ કોઈ પરાવર્તમાન પ્રકૃતિ હોય છે. તેઓને ઘણા સમય સુધી પણ બંધનો સંભવ હોવાથી આકર્ષોનો કોઈ સંબંધ નથી.
ભગવતીસૂત્રના ૨૪મા શતકમાં ૨૪ દંડકોમાં ૨૦ ધારો બતાવીને ગમ્મા વિષે બતાવેલ છે. ઉવવાય અને ચવણદ્વારનું તેમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે.
જે રીતે કોઈ છળવાવાળો પુરુષ ઉછળતો ઉછળતો અધ્યવસાય વિશેષથી મારે કૂદવું જોઈએ. આ રીતની ઇચ્છાથી થવાવાળા કૂદવાના ઉપાયથી આવવાવાળા સમયમાં એટલે કે ભવિષ્યકાળમાં પોતાના પહેલાના સ્થાનને છોડીને આગળના સ્થાન ઉપર પહોંચી જાય છે. એ જ પ્રકારે આ જીવ પણ ઉછળવાવાળાની જેમ કૂદતાં કૂદતાં અધ્યવસાય વિશેષથી થવાવાળા કર્મના ઉદય પ્રમાણે ધારણ કરેલ પૂર્વભવને છોડીને ભવિષ્યમાં પોતાના આગળના ભાવોમાં પહોંચી જાય છે. એ જ પ્રમાણે આ જીવ પણ ઉદય પ્રમાણે મનુષ્ય વિગેરે ભવને છોડીને આગામી નારક ભવને પ્રાપ્ત કરે છે. નારક વગેરે જીવોની ત્રણ સમયવાળી વિગ્રહગતિ હોય છે. તે જીવ પોતાના પરિણામ અને મન, વચન અને યોગથી સંપાદન કરેલા મિથ્યાત્વ વગેરે કર્મબંધના કારણભૂત ઉપાયને વશ થઈને પરભવ સંબંધી આયુષ્ય કર્મનો બંધ કરે છે. તે જીવો પરભવમાં પોતાની
४०४