SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ (૧મ્) ઉવવાય દ્વાર અને (૧૭મું) ચવાણકાર દંડક પ્રકરણમાં ૨૪ કારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. વિચારણામાં અને ૧૭મા દ્વારમાં ઉવવાય અને ચવણ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. ઉવવાયના અર્થો : શાસ્ત્રમાં ઉવવાય શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે. (૧) દેવ અને નારકગતિમાંથી જીવની જે ઉત્પત્તિ (જન્મ) થાય છે તેનું નામ ઉવવાય છે.' (૨) પ્રાપ્ત થઈને જેમાં જીવ હલનચલન કરે છે તેને ઉવવાય કહે છે. ચવણના અર્થો : શાસ્ત્રમાં ચવણ શબ્દનો અર્થ નીચે પ્રમાણે છે. (૩) અતિને વન કહે છે. આ અવન વૈમાનિક અને જ્યોતિષ્ક દેવોનું થાય છે. એક જીવની અપેક્ષાએ તે અવનને એક કહ્યું છે. અથવા સર્વજીવ અને સર્વ પુદ્ગલોના અવનના ભેદના અભાવે એકતા છે. ઉવવાયના પ્રકારો અને વિવેચનઃ શાસ્ત્રમાં દર્શાવેલ ઉવવાયને વિભિન્ન વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. ઉવવાયના બે પ્રકાર છે. ઋજુગતિપૂર્વક અને વિગ્રહગતિપૂર્વક ઉવવાયના ત્રણ પ્રકાર છે : જીવોના જન્મ ત્રણ પ્રકારના છે. (૧) ગર્ભજ (૨) સમુસ્કિમ અને (૩) ઉવવાયજ (૧) ગર્ભજ પણ ત્રણ પ્રકારના છે. જરાયુજ, અંડજ અને પોતજ. ૩૯૧
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy