SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં ઉપયોગ :: ઔદારિક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીરમાં ૧૨ ઉપયોગ હોય છે. વૈક્રિય શરીરમાં ૩ અજ્ઞાન, ૪ જ્ઞાન અને ૩ દર્શન એ દશ ઉપયોગ હોય છે. વૈક્રિય શરીરીને કેવલજ્ઞાન અને કેવલદર્શન થતું નથી. આહારક શરીરમાં - ૪ જ્ઞાન અને ૩ દર્શન એ સાત ઉપયોગ હોય છે. આહારક શરીર સમક્તિને જ હોય છે. તેથી ૩ અજ્ઞાન ન હોય. આહારક શરીરીને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન ન હોય. કષાયમાં ઉપયોગ - કષાયમાં - ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન એમાં ૧૦ ઉપયોગ હોય છે. કષાયના સદ્ભાવમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન થતાં નથી. અર્થાત્ એ બે ઉપયોગ ન હોય. અકષાયમાં - ૫ જ્ઞાન અને ૪ દર્શન એ નવ ઉપયોગ હોય છે. અકષાયમાં અજ્ઞાનનો સંભવ નથી કેમકે અકષાયી જીવ નિયમા સમક્તિ હોય છે. લેશ્યામાં ઉપયોગ - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા અને પદ્મવેશ્યા એ પાંચ લેશ્યામાં ૧૦ ઉપયોગ હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ તેમાં ન હોય કેમકે તેરમે અને ચૌદમે ગુણસ્થાને એ પાંચેય વેશ્યાઓ હોતી નથી. શુક્લ લેગ્યામાં ૧૨ ઉપયોગ હોય છે કેમકે ૧૩ ગુણસ્થાનમાં શુકલેશ્યા હોય છે. અલેશીમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ હોય છે. ૧૪મા ગુણસ્થાનમાં લેશ્યા હોતી નથી. પરંતુ ઉપરના બે ઉપયોગ હોય છે. વેદમાં ઉપયોગ - સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસવેદીમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન વર્જીને ૧૦ ૩૮૯
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy