SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં એક જીવ આશ્રયી સમકાળે કોઈને અચક્ષુદર્શન અને કેવલદર્શનમાંનું એક કોઈને અચક્ષુ, ચક્ષુ એ બે દર્શન અને કોઈને એ બેની સાથે અવધિ સહિત ત્રણ દર્શન હોય છે. પરંતુ સમકાળે ચાર દર્શન કોઈ પણ જીવને ન હોય. ૨૪ દંડકમાં ૪ દર્શન. ૫ સ્થાવરને - ૧ અચક્ષુદર્શન ૧ બેઇન્દ્રિયને - ૧ અચક્ષુદર્શન ૧ તે ઇન્દ્રિયને - ૧ અચક્ષુદર્શન ૧ ચૌરેન્દ્રિયને - ચક્ષુ અને અચક્ષુદર્શન ૧ ગર્ભજ મનુષ્યને - ૪ દર્શન ૧૫ બાકીના દંડકમાં – ૩ દર્શન (કેવલ વિના) ગુણસ્થાનમાં દર્શન : અચક્ષુદર્શનમાં ૧થી ૧૨ ગુણસ્થાન હોય છે. ચક્ષુદર્શનમાં ૧થી ૧૨ ગુણસ્થાન હોય છે. • અવધિદર્શનમાં ૪થી ૧૨ એટલે કે ૯ ગુણસ્થાન હોય છે. કેવલ દર્શનમાં ૧૩, ૧૪ એ બે ગુણસ્થાન હોય છે. સિદ્ધમાં પણ કેવલર્શન હોય છે. શરીરમાં દર્શન : ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીરમાં – ૪ દર્શન હોય છે. વૈક્રિય અને આહારક શરીરમાં - ૩ દર્શન હોય છે. (કેવલ વિના) લેશયામાં દર્શન : પ્રથમની પ લેગ્યામાં - ૩ દર્શન હોય છે. (કેવલ વિના). શુકલ લેગ્યામાં - ૪ દર્શન હોય છે. અલેશીમાં - ૧ કેવલદર્શન હોય છે.
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy