________________
આત્માંગુલથી તત્કાલિન વાવ, કુવા આદિ વસ્તુઓ મપાય છે. ઉત્સેધાંગુલથી જ ગતિના જીવોના શરીરોની અવગાહના માપી શકાય છે. તથા પ્રમાણાંગુલથી પૃથ્વીઓ તેમ જ વિમાનો આદિના પરિમાણ મપાય છે.
ઇન્દ્રિયોના વિષયમાં પરિમાણ આત્માંગુલથી જ સમજવા જોઈએ. નેત્રને વિષયનું પરિમાણ આત્માંગુલથી એક લાખ યોજનથી કાંઈક અધિક છે. નૈયાયિકવાદી ચક્ષુને પ્રાપ્યકારી માને છે. રત્નાકરાવતારિકામાં, વિશેષાવશ્યક ભાષ્યમાં, નંદીસૂત્રની ટીકામાં મન અને ચક્ષુ અન્યદર્શની પ્રાપ્યકારી માને છે. જૈન દર્શનમાં મન અને ચક્ષુ પ્રાપ્યકારી માનતા નથી. તે સિવાયની ચા૨ ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. પ્રાપ્યકારી એટલે સ્પષ્ટ અર્થને ગ્રહણ કરનારી. વિષયના કરેલા ઉપઘાત અને અનુગ્રહ દેખાય છે તેથી તે સ્પર્શાદિ ચાર ઇન્દ્રિયો જ પ્રાપ્યકારી છે. જેમ કે કર્કશ, કામળી આદિનો સ્પર્શ થતાં સ્પર્શેન્દ્રિયમાં, ત્રિકટુ આદિનો સ્વાદ લેતા રસેન્દ્રિયમાં, અશુચિ આદિના પુદ્ગલો સૂંઘતાં પ્રાણેન્દ્રિયમાં, ભેરી વગેરેનો શબ્દ સાંભળતાં શ્રોતેન્દ્રિયમાં અનુક્રમે ચામડી છોલાવી વગેરે ઉપઘાત દેખાય છે. ચંદન, રૂ, સૂંઘવાથી, કોમળ -મંદ શબ્દો સાંભળવાથી અનુક્રમે સ્પર્શાદિ ઇન્દ્રિયોમાં શીતલતા વગેરે અનુગ્રહ દેખાય છે. તેવી રીતે તીક્ષ્ણ તલવાર, ભાલાં વગેરે જોવા છતાં ચક્ષુને ચીરાવું વગેરે જેવો ઉપઘાત જણાતો નથી. તથા ચંદન, કપૂર વગેરે જોવાથી અનુગ્રહ થતો પણ જોવાતો નથી. વળી અગ્નિ આદિનું ચિંતન કર્યા છતાં મનને દાહ આદિ ઉપઘાત જણાતો નથી. તેમ જ જળ, ચંદન આદિ ચિંતવતાં તૃષા છીપવા વગેરે મનમાં અનુગ્રહ પણ જણાતો નથી. માટે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. એમ જાણવું.
ઇન્દ્રિયોનાં સંસ્થાન૨ :- નિવૃત્તિ ઇન્દ્રિયની.
શ્રોતેન્દ્રિયનો આકાર કદંબના ફૂલના જેવો કહેલ છે. પાંચે ઇન્દ્રિયો દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી બે-બે પ્રકારની હોય છે. દ્રવ્યેન્દ્રિયો પણ બે પ્રકારની છે. (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ. મતિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જે આત્માની વિશુદ્ધિતેનાથી ઉત્પન્ન જે જ્ઞાન તે જ ભાવેન્દ્રિય છે. તેના બે ભેદ છે. શ્રોતાદિ ઇન્દ્રિય વિષયક બધા આત્મ પ્રદેશોના તદાવરણીય કર્મનો ક્ષયોપશમ લબ્ધિ છે. અને લબ્ધિ અનુસાર પોતપોતાના વિષયમાં વ્યાપાર થવો તે ઉપયોગ છે.
૨૭૬