________________
રહિત થવું, માયાચારથી રહિત થવું, અપૂર્વ વસ્તુને જોવાની ઉત્સુક્તા ન રાખવી. વિનીત થવું, ગુરુજનનો વિનય કરવો, એમના આવવાથી ઊઠવું, પ્રણામ આદિ કરવાં, ઇન્દ્રિયોને જીતવી, મન, વચન, કાયાના યોગોને શુદ્ધ રાખવા, તીવ્ર તપશ્ચર્યા કરવી, તથા પ્રિયધર્મવાળા થવું. ધર્મમાં દઢતા રાખવી, પ્રાણાતિપાત આદિ પાપોથી સદા ભયભિત બની મોક્ષના અભિલાષી થવું. આ પૂર્વોક્ત લક્ષણોથી સંપન્નયોગ જીવોને તેજોલેશ્યાવાળા જાણવા.
(૫) પદ્મલેશ્યાનો વર્ણ :
પદ્મલેશ્યા વર્ણની અપેક્ષાએ હળદરના ટુકડાના રંગ જેવો છે. હળદરના કટકા કરવાથી અંદરથી જે રંગ દેખાય છે. તેવા રંગ સમાન છે. સણ તેમ જ બીજક વૃક્ષના પૃષ્પના જેવો છે.
વળી પદ્મલેશ્યાનો વર્ણ જેમ કોઈ ચંપા, ચંપાની છાલ, ચંપાનો ટુકડો, હળદર, હળદરની ગોટી, હળદરનો ટુકડો, હડતાલ કે હડતાલની ગુટિકા, હડતાલનો ટુકડો, ચિકુર નામની પીળી વનસ્પતિ, ચિકુર રાગ, સોનાની છીપ, ઉત્તમ સુવર્ણ નિકષ, કસોટી પર બનેલી સુવર્ણ રેખા, વાસુદેવના વસ્ત્ર, અલ્લકીનાં પુષ્પો, ચંપાનું ફૂલ, કરણનાં પુષ્પો, કુષ્માંડલતાનું પુષ્પ, સુવર્ણયુથિકા પુષ્પ, કોદંડકની પુષ્પમાળ, પીળો અશોક, પળો કણેર, પીળા બંધુજીવકનાં પુષ્પો આદિનો વર્ણ પીળો હોય છે. તેનાથી પણ અધિક ઇષ્ટ યાવત્ અધિક મનોજ્ઞ વર્ણવાળી પદ્મલેશ્યા હોય છે.
પદ્મલેશ્યાનો રસ :
પદ્મલેશ્યા રસની અપેક્ષાએ શરાબનો જેવો રસ હોય છે. વિવિધ આસવોનો જેવો રસ હોય છે. મધનો રસ અને સાકરનો જેવો રસ હોય છે. એનાથી પણ અધિકગણો પદ્મલેશ્યાનો રસ હોય છે.
વળી૪૧ પદ્મલેશ્યાનો રસ જેમ કોઈ ચંદ્રપ્રભા હોય, મનઃ શિલા હોય, ઉત્તમ સીધું નામનું મદ્ય, ઉત્તમ વારૂણી, પાનનો આસવ, પુષ્પનો આસવ, ફળનો આસવ, ચોયનો આસવ, મધુ, મે૨ક, કાપિસાયન નામનું મઘ, ખજુરનો સાર, દ્રાક્ષનો સાર, સારી રીતે શેરડીનો રસ, અષ્ટ, પિષ્ટ, નિષ્ટતા, આઠ જાતના લોટથી બનેલી વસ્તુ વિશેષ, જાંબુની
૨૫૪