________________
કાપોત લેશ્યાનાં લક્ષણો - (અશુભ મનોવૃત્તિ) આ મનોવૃત્તિ પણ દૂષિત છે.
જેમ કે વાણીથી કુટિલ થવું, કુટિલ આચારવાળા બનવું, કપટી થવું, કુટિલ ચિત્ત થવું, પોતાના દોષોને ઢાંકવા, માયાચારથી પ્રત્યેક કાર્ય કરવું. શ્રત ચારિત્રરૂપ ધર્મમાં શ્રદ્ધા વિહીન થવું અને આર્યભાવથી રહિત બનવું. તથા બીજાઓને દુઃખ થાય એવાં વચન બોલવા, રાગ દ્વેષથી યુક્ત વચનોનો પ્રયોગ કરવો, ચોરી કરવી, બીજાના અભ્યદયને સહન ન કરવો એવા કાર્યયુક્ત યોગોથી જીવને કાપોત લેશ્યાવાળા જાણવા. (૪) તેજો લેશ્યાનો વર્ણ :
તેજો વેશ્યા વર્ણની અપેક્ષાએ હિંગળો તથા ગેરૂ આદિ ધાતુની સમાન છે. અભિનવ ઉદય સૂર્યના જેવો છે. પોપટની ચાંચના જેવો તથા દિવાની જ્યોતિના સમાન રક્તવર્ણવાળી હોય છે.
વળી તેજોલેક્ષાનો વર્ણ જેમ કોઈ સસલાનું રૂધિર, મેષનું રૂધિર, સુવરનું રૂધિર, સાબરનું રૂધિર, મનુષ્યોનાં રૂધિર, ઈન્દ્રગોપ નામનો કીડો, બાલસૂર્ય, સંધ્યાકાળની લાલિમા, ચણોઠીના અર્ધા ભાગની લાલિમા, ઉત્તમ હિંગળોક, પરવાળાના અંકુર, લાખનો રસ, અથવા લોહિતાક્ષમણિ, કિરમજીરંગની કાંબળ, હાથીનું તાળવું, ચીન નામના લાલદ્રવ્યનો ભૂકો, પારિજાતનું પુષ્પ, જપાનું ફૂલ, કિંશુક પુષ્પની રાશિ, લાલ કમળ, લાલ અશોક, લાલ કણેર, લાલ બંધુજીવક આદિનો વર્ણ લાલ હોય છે. તેનાથી પણ અધિક ઇષ્ટ થાવત અધિક મનોહર હોય છે. તેજો વેશ્યાનો રસ -
તેજો લેગ્યા રસની અપેક્ષાએ પાકી કેરીના જેવો રસ હોય, પાકેલા કવીઠનો જેવો રસ હોય છે. તેવા રસોથી પણ અનંતગણો મીઠો તેજોલેશ્યાનો રસ હોય છે.
વળી તેજોવેશ્યાનો રસ જે કોઈ આંબાઓની કેરીઓના પાકેલાના, પૂરા પાકેલાના વર્ણથી, ગંધથી, સ્પર્શથી યુક્ત હોય છે. તેનાથી પણ તેજોલેશ્યાનો રસ અધિક ઈષ્ટ યાવત અધિક મનોજ્ઞ હોય છે.
તેજો લેશ્યાનાં લક્ષણો - (શુભ મનોવૃત્તિ) અહિં મનોદશા પવિત્ર હોય છે. જેમ કે અહંકાર ન કરવો, ગુરુજનથી પોતાનું આસન નીચે રાખવું, ચપળતાથી
૨૫૩